Abtak Media Google News

સુજોક થેરાપીની રાજયકક્ષાની 25મી પરિષદ સંપન્ન

દવા વગરની વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિઓમાં લોકપ્રિય એવી સુજોક થેરાપીની માતૃસંસ્થા ઇન્ટરનેશનલ સુજોક એસોસિએશન દ્વારા રાજકોટમાં એક રાજ્ય કક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની 25મી પરિષદ હોઇ, સિલ્વર જ્યુબિલીની પણ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી નિષ્ણાત ચિકિત્સકોએ ભાગ લીધો હતો. અલગ-અલગ વિષયો પર નિષ્ણાતોએ વક્તવ્યો આપ્યા હતા. રાજકોટના ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે હાજર ચિકિત્સકોને આ થેરાપી આટલી અસરકારક હોઇ, તેનો પ્રચાર-પ્રસાર કરી લોકોમાં આ પધ્ધતિ પ્રત્યે જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું.

આ પધ્ધતિ દ્વારા ફક્ત હાથના પંજામાં ચોક્કસ જગ્યાએ દબાણ આપી દુ:ખાવા દૂર કરી શકાય છે. આંગળીઓ પર સ્કેચપેનના કલર કરીને પાચન સુધારી શકાય છે. હથેળીના ચોક્કસ ભાગ પર અનાજના દાણા બાંધીને ગેસ/એસિડિટી દૂર કરી શકાય છે.  આ પધ્ધતિનો પધ્ધતિસરનો અભ્યાસ કોઇપણ વ્યક્તિ કરી શકે છે. આ થેરાપીના નિ:શુલ્ક કાર્યક્રમો કરવા તેમજ વધુ વિગત માટે સંસ્થાના તપન પંડ્યા (98798 41048)નો સંપર્ક કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.