Abtak Media Google News

તાલુકાના દોલતી અને ધાંડલા ગામને સતર્ક રહેવા સૂચના

અબતક, પ્રદીપ ઠાકર, અમરેલી

જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ન કરવા મામલતદાર ડિઝાસ્ટર, અમરેલી દ્વારા સૂચના જારી

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામ પાસે સૂરજવડી નદી પર આવેલા સૂરજવડી સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા મંગળવાર તા. 16 ઓગસ્ટ, 2022  4:00 (બપોર પછી) વાગ્યાની સ્થિતિએ જળાશયની ડીઝાઈન સ્ટોરેજના 90 ટકાથી વધુ જળાશય ભરાઈ જતાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. વર્ષાઋતુના પગલે જળાશયમાં પાણીની સતત આવક થતાં ગમે ત્યારે જળાશય ઓવરફ્લો થઈ શકે એમ છે. આ સ્થિતિમાં મામલતદાર ડીઝાસ્ટર, અમરેલી દ્વારા સાવરકુંડલા તાલુકાના દોલતી અને ધાંડલા ગામને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર – જવર ન કરવા માટે વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.