Abtak Media Google News

સુરેન્દ્રનગરમાં આંબેડકરનગર વિસ્તારમાં સામાન્ય બાબતે આધેડ પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક શખ્સે બુટ પાલિસનું કામ કરતા આધેડ પાસે પૈસાની માંગણી કરી હતી. પરંતુ આધેડે ના કહેતા હુમલાખોરે ગળાના ભાગે છરીનો ઘા ઝીકી દીધો હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરમાં હેન્ડલુમ ચોક પાસે અનઘટનાથ મહાદેવ મંદિર પાસે બુટ પાલિસ કરતા કરશનભાઇ આલાભાઈ બથવાર નામના આધેડ પર અજય કોળી નામના શખ્સે છરી વડે ગળાના ભાગે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

કરશનભાઇ બથવાર બુટ પાલિસ કરતા હતા ત્યારે અજય કોળી દોડી આવ્યો હતો અને પૈસાની માંગણી કરી હતી. જેથી કરશનભાઇએ પૈસા આપવાની ના કહેતા અજય કોળીએ છરી વડે ગળાના ભાગે ઘા મારી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે કરશનભાઈના ભત્રીજા હરેશભાઇ બથવારની ફરિયાદ પરથી અજય કોળી નામના શખ્સ સામે એટ્રોસીટી અને ખૂનની કોશિસનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.