Abtak Media Google News

બંને એક થઈ શકશે નહિ તેવા ડરથી આપઘાત  કરતા પરિવારમાં કલ્પાંત

અબતક,સબનબ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર માં પ્રેમી પંખીડા આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે રેલ્વે ટ્રેન નીચે ઝંપલાવી અને પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી છે બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું છે.જેને લઈને સમાજમાં ચકચાર મચી જવા પામ્યો છે

લખતરના કેન્ટીનપરામાં રહેતા યુવક-યુવતીએ મંગળવારે સાંજના સમયે વણા અને બજરંગપુરા ગામ વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર ધસમસતી આવતી ટ્રેન સામે પડતુ મુકી સજોડે આત્મહત્યા કરી લીધી છે. બનાવની જાણ ટ્રેનના મોટરમેને રેલવે પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બન્ને મૃતકની લાશને પીએમ માટે સરકારી દવાખાને મોકલી આપી હતી.

આ અંગેની  મળતી માહીતી મુજબ લખતરકેન્ટીનપરામાં રહેતો 20 વર્ષનો કીરણ બટુકભાઈ થરેશા અને આ જ વીસ્તારમાં રહેતી 18 વર્ષીય કોમલબેન રઘુભાઈ ધરજીયા છેલ્લા દોઢ-બે વરસથી પ્રેમ સંબંધ હોય અને બંનેની જ્ઞાતિ અલગ હોય જેથી એક ન થઇ શકતા રેલવેની લાઈન ઉપર લાવી અને બંને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો છે.

ત્યારે આ મામલાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને બંનેની લાશના થયેલા 4 કટકાને પીએમ માટે લખતર સરકારી દવાખાને મોકલી આપ્યા હતા જયારે કેન્ટીનપરામાં રહેતા બન્નેના પરીવારજનોને જાણ થતા લખતર સરકારી દવાખાને લોકો એકઠા થઈ ગયા હતા.સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ છે કોઈ પણ જાતનો મામલો બિચકે નહીં તેવા પ્રયાસો પોલીસ તંત્રએ પણ હાથ ધર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.