Abtak Media Google News

એસટી બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગ

સુરેન્દ્રનગર એસટી ડેપોની સતત બેદરકારી સામે આવી રહી છે તેવા આ સંજોગોમાં સુરેન્દ્રનગર એસટી ડેપોની અવારનવાર ગામડામાં તથા અન્ય જિલ્લાઓમાં જતી એસટી બસો બંધ કરી દેવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર એસટી ડેપોનું તંત્ર ખાડે ગયું હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કંડકટર ના ભાવે મુખ્ય એસ.ટી.ડેપોમાં 18 ટ્રીપ ની બસો બંધ કરી નાખવામાં આવી છે.

ત્યારે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા એસ.ટી.ડેપોમાં મશીન બંધ હોવાના પગલે અનેક રૂટની બસો બંધ હતી ત્યારે હવે મશીનો શરૂ છે ત્યારે કંડકટર ના અભાવે 18 રૂટોની બસો બંધ કરવામાં આવી છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કલાકો સુધી બસ સ્ટેન્ડમાં રાહ જોયા બાદ બસો આવી રહી નથી જેને લઇને મુસાફરોમાં પણ એક પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે આજે વહેલી સવારથી કંડકટર ના અભાવે 18 એસટી બસોની ટ્રીપો બંધ કરી દેવામાં આવી છે. હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ અને ગ્રામીણ વિસ્તારમાં જે વિદ્યાર્થી ફેરા કરી રહી છે તેવી બસો બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તાજેતરમાં જ શાળા કોલેજો અને નવા શિક્ષણ સત્રનો પ્રારંભ થયો છે તેવા સંજોગોમાં 18 એસટી બસોની ટ્રીપો બંધ કરી દેવામાં આવતા મોટા ખાનગી વાહનોમાં ભાડા આપી અને વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગર ખાતે શિક્ષણ મેળવવા આવી પડતું હોવાની નોબત પણ સર્જાઈ છે.

ત્યારે કંડકટરની ભરતી બહાર પાડ્યા અને ત્રણ વર્ષ થઈ ગયા અને પરીક્ષા લીધેલાને પણ 6 મહિના થઈ ગયા તે છતાં હજુ સુધી મેરીટ લિસ્ટ અને પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી અને નવા ક્ધડકટરોની નિમણૂંક પણ આપવામાં આવી નથી તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લા એસટી ડેપોમાં 40 જેટલા કર્મચારીઓની ઘટ જોવા મળી રહી છે તો અમુક જૂના આજે કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે તે સતત રીટાયર થઇ રહ્યા છે તેને લઈને આ ઘટના સતત વધતી જઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં સરકાર દ્વારા એસ.ટી તંત્ર દ્વારા તાત્કાલિક પરિણામો જાહેર કરી અને નવા એસટી કર્મચારીઓ અને ક્ધડકટરોની નિમણૂંક આપવામાં આવે તે હવે જરૂરી બન્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્ય ડેપોમાં અને કંડક્ટરો 18 કલાક પોતે એક બસમાં ફરજ બજાવે છે.

સુરેન્દ્રનગર ડેપોમાં કંડક્ટરો નિ ઘટ હોવાના પગલે સુરેન્દ્રનગર ડેપોમાંથી ઉપરથી અનેક બસોમાં એક જ કંડકટર 18 કલાક સુધી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવે છે તેવા સંજોગોમાં એક કંડકટર ત્રણ જેટલી ટ્રીપો મારતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે કંડક્ટરોની તાત્કાલિક ભરતી કરવામાં આવી અને જે જૂના કંડક્ટરો છે તેમની ઉપર જે કામનું ભારણ નાખવામાં આવી રહ્યું છે તે ઓછું કરવામાં આવે તે પણ હવે જરૂરી બન્યું છે ત્યારે આગામી દિવસોમાં એસટી તંત્ર અને સરકાર દ્વારા કંડક્ટરાની પરીક્ષાના મેરીટ જાહેર કરવાનો બાકી છે તે જાહેર કરી અને તાત્કાલિક કંડકટરની ભરતી કરી અને સુરેન્દ્રનગર એસટી ડેપો વ્યવસ્થિત ચાલે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.