Abtak Media Google News

ગાંધીનગરના દેરાસરમાં વર્ષમાં એક વાર જ બનતી અલૌકિય ખગોળીય ઘટના: મહાવીર ભગવાનના લલાટે સૂર્ય તિલકની અલૌકીક ઘટનાની અનોખી પરંપરા

ગાંધીનગર હાઈવે પર મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં વર્ષમાં એક વાર જ થતી અલૌકિય ઘટનામાં 1987થી શરૂ થયેલી પરંપરામાં આજે 22મી મે એ બપોરે 2:07 મિનિટે ભગવાન મહાવીરના લલાટે સૂર્ય તિલકનો અદ્ભૂત નજારો સર્જાયો હતો. પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ આ વખતે સોશિયલ મીડિયાના માધ્યમથી અપાયેલા દર્શન લાભનો વિશ્ર્વભરના કરોડો ધર્મપ્રેમીઓએ લાભ લીધો હતો. ગચ્છાધિરાજ આચાર્ય દેવ કૈલાશસાગર સુરિશ્ર્વરજી મહારાજના કાળધર્મ દિવસની પૂણ્ય સ્મૃતિમાં દર વર્ષે 22મી મેના બપોરે 2:07 મિનિટે જ્યારે આચાર્ય કૈલાસ સાગરસુરિશ્ર્વરજીને અગ્નિ સંસ્કાર અપાયો હતો તે ઘડીને યાદગાર રાખવા રાષ્ટ્ર સંત જૈનાચાર્ય પદ્મસાગર સુરિશ્ર્વરજી મહારાજ સાહેબની પ્રેરણા થઈ કે, ગુરૂ મહારાજની કાયમી સ્મૃતિ રહે તે માટે અલૌકીક કાર્ય નિર્માણ પામ્યું. ચોક્કસ દિવસે ચોક્કસ સમયે ભગવાનની પ્રતિમા પર સૂર્ય તિલક થાય તેવા નિર્માણ શિલ્પ શાસ્ત્રી, ગણિત શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના સમન્વયથી આ યોગ રચવામાં આવ્યો છે. રાષ્ટ્ર સંત જૈનાચાર્ય પદ્માસાગર સુરિશ્ર્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગજી મહારાજ સાહેબ, અજયસાગરજી મહારાજ સાહેબ દ્વારા શિલ્પ ગણિત અને જ્યોતિષ શાસ્ત્રના સમન્વયથી દેરાસરનું એવી રીતે નિર્માણ કરાવાયું કે, જૈનાચાર્ય કૈલાસસાગરસુરિશ્ર્વરજી મહારાજ સાહેબને જે દિવસે અને જે ઘડીએ અંતિમ સંસ્કાર અપાયા તે ઘડીએ જ ભગવાન મહાવીર સ્વામીના ભાલે સૂર્ય તિલકનો અદ્ભૂત નજારો સર્જાય છે. આજે 22મી મેના બપોરે 2:07 કલાકે મહાવીર લય જીનપ્રસાદના શિખરમાંથી સૂર્ય કિરણ તિર્થના મુળનાયક મહાવીર સ્વામી ભગવાનના લલાટ પર સૂર્ય તિલક દૈદીપ્યમાન થયું હતું અને લાખો ભાવિકોએ લાઈવ ટેલીકાસ્ટમાં વિશ્ર્વભરમાં તેના દર્શન કર્યા હતા.

આજ દિવસે અને આજ સમયે આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ને અગ્નિસંસ્કાર અપાયા હતા

આ દિવસ એ ગુરુ સ્મૃતિનો દિવસ છે. ખાસ કરીને આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.નો કાળધર્મ થયા બાદ તેઓને 22 મેના રોજ બપોરે 2.07 મિનિટે અગ્નિસંસ્કાર અપાયો હતો. ત્યારબાદ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા થઈ કે ગુરુ મહારાજની કાયમી સ્મૃતિ રહે અને લોકો પણ તેને યાદ રાખે, જેથી તેઓની પ્રેરણાથી આ કાર્ય નિર્માણ પામ્યું છે. ચોક્કસ દિવસે ચોક્કસ સમયે ભગવાનની પ્રતિમા ઉપર સૂર્યતિલક થાય એવી આ ઘટના સંભવત: માત્ર કોબા જૈન તીર્થ ખાતે જ જોવા મળે છે.

 

02 4

આ કોઈ ચમત્કાર નહિ, પણ શિલ્પ શાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સમન્વય

આ કોઈ ચમત્કાર નથી પરંતુ શિલ્પ શાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી બનતી ઘટના છે. રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મહારાજ સાહેબ અને અજયસાગરજી મહારાજ સાહેબે શિલ્પ-ગણિત અને જ્યોતિષ શાસ્ત્રના સમન્વયથી એવી રીતે આ દેરાસરનું નિર્માણ કરાવ્યું છે. જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને અંતિમસંસ્કાર આ દિવસે અને આ સમયે આપવામાં આવ્યા હતા. તેની સ્મૃતિ કાયમી રહે તે હેતુથી આ દિવસ અને સમય પસંદ કરવામાં આવ્યો છે. આ ઘટના થાય છે તેનું કારણ છે કે સૂર્યની ગતિ નિશ્રિત છે. અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ સૂર્ય ક્યારેય વક્ર ગતિ નથી કરતો તે અનુસાર પણ ચોક્કસ સમયે એવી રીતે દેરાસરનું નિર્માણ થયું છે કે દર વર્ષે 22મી મેના રોજ બપોરે 2.07 મિનિટે સૂર્યનું કિરણ ભગવાન મહાવીર સ્વામીના ભાલતિલક પર પ્રકાશી ઉઠે છે. તમને જણાવી દઇએ કે, અહીં જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની 41 ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.