Abtak Media Google News

ર ઉર્જા ઉત્પાદન થકી ખેડૂતોના વીજ પ્રશ્નનો કાયમી ઉકેલ

રાજ્યનો રૂ. ૮૭૦ કરોડનો પાયલોટ પ્રોજેક્ટ – ૧૨૪૦૦ ખેડૂતો – ૧૭૫ મેગાવોટ વીજ ઉત્પાદન – રાજકોટ જિલ્લાને મળશે ૫ ફીડરનો લાભ

        સૌરાષ્ટ્રમાં અનિયમિત વરસાદ તેમજ વિવિધ ભૌગોલિક કારણોસર પાણીની અછત અનુભવાય છે. ખેડૂતોને ચોમાસાના ખરીફ પાક સિવાય શિયાળુ પાક લેવા માટે કુવામાંથી સતત પંપ દ્વારા પાણી પહોચાડી  સિંચાઈ કરવામાં આવે છે, જેના પરિણામે ખેડૂતને હંમેશા વીજળી પર આધાર રાખવો પડે છે.  રાજ્યમાં કૃષિ ક્ષત્રે ૨૬% જેટલો વીજ વપરાશ રહેતો હોય છે, ત્યારે રાજ્યભરના ૧૫ લાખ ખેડૂતોને વીજ કનેકશન તેમજ સતત વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જ્યોતિગ્રામ સહીત અનેક વીજ પ્રોજેક્ટ અમલી બનાવાયા છે.

        તાજેતરમાં ખેડુતોના વીજ પ્રશ્ને રાજ્ય સરકાર દ્વારા અન્ય એક મહત્વાકાંક્ષી યોજના ‘સૂર્યશક્તિ કિશાન યોજના’ સ્કાય શરુ કરાઈ છે. ખેડૂતો માત્ર પાકનું ઉત્પાદન નહી પરંતુ વીજ ઉત્પાદન કરી વીજ વપરાસ ઉપરાંતની વીજળીની બચતમાંથી ખેડૂત વધારાની આવક મેળવી શકશે. આ યોજનાના પાયલોટ પ્રોજેક્ટમાં રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી ૧૩૭ ફીડરનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું અને ૧૨,૪૦૦ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ ૮૭૦ કરોડ રૂ. હોવાનું તેમજ રાજકોટ જીલ્લામ ૫ ફીડરો કાર્યરત થવાનું જેતપુર ખાતે આયોજિત ખેડૂતો સાથેના વાર્તાલાપમાં ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલ જણાવ્યુ હતું.

        આ અંગે વિશેષ માહિતી આપતાં રાજ્યના ઉર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું કે, સૌર ઉર્જા પ્લાન્ટ માટે ખેડૂતે માત્ર ૫% રકમ ભરવાની રહે છે, ૬૦ % રકમ સબસીડી રૂપે રાજ્ય તેમજ કેન્દ્ર સરકર આપશે, જયારે બાકીની રકમ ખેડૂત વતી રાજ્ય સરકાર ઓછા વ્યાજની લોન મેળવી આપશે. જે રકમ દર વર્ષે વીજ બચતમાંથી થયેલ આવકમાંથી જમા કરાવવાની રહેશે. આમ ખેડૂત સૌર ઉર્જા પ્લાન્ટમાંથી ૧૨ કલાક વીજળી મેળવી આવકનો નવો સ્ત્રોત ઉભો કરી શકશે.

સ્કાય યોજનામાં જોડવા માટે જરૂરી વિગત

Skyઆ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ સ્કાય ફીડર પર નોંધણી કરવવાની રહેશે. એક હોર્સ પાવર દીઠ ૧.૨૫ કી.વો. ની સોલાર પેનલ આપવામાં આવશે. ૧૦ એચ.પી. ની જરૂરિયાત હોય તો ૧૨.૫ કે. વી. નો સૌર ઉર્જા પ્લાન્ટ નાખવો પડે. પ્રતિ કી.વો. સોલાર ક્ષમતા મુજબ ૧૦x૧૦ ફૂટ જગ્યાની આવશ્યકતા રહેશે. પ્રથમ સાત વર્ષ માટે રાજ્ય સકરાર રૂ. ૩.૫૦/યુનિટ લેખે વીજળી ખરીદશે તેમજ પ્રતિ ૧૦૦૦ યુનિટ રૂ. ૩.૫૦ સબસીડી રૂપે રાજ્ય સરકાર આપશે આમ કુલ પ્રતિ યુનિટ રૂ. ૭ ખેડૂતોને મળે.

સ્કાય યોજના                                                               

કુલ રકમમાંથી ખેડૂતોનો હપ્તો ભરપાઈ કરાયા બાદ બચત સીધી તેમના ખાતામાં જમા કરવવામાં આવે છે. ખેડૂતોએ કરેલ રોકાણ ૮ માસથી ૧૮ માસમાં પરત મેળવી શકે છે. ત્યાર બાદ ખેડૂતોને પ્રતિ વર્ષ વધારાની આવક થશે. સોલાર સિસ્ટમની માલિકી ખેડૂતોની થશે. સોલાર પેનલનો વીમો રાજ્ય સરકાર લેશે. ૭ વર્ષ માટે મેન્ટેનન્સ એજન્સી દ્વારા કરવામાં આવશે.  સ્કાય ફીડર ધરાવતા ખેડૂતોને ૧૨ કલાક વીજળી આપવામાં આવશે.

        એક ગણત્રી મુજબ ૧૦ હો. પા. માટે ૧૨.૫ કી.વો. નો સોલાર પ્લાન્ટ સ્થાપવાની કિંમત રૂ. ૬,૨૮,૬૮૮ થાય. જેના ૫% રકમ રૂ. ૩૧, ૪૩૪ ભરી ખેડૂત પ્લાન્ટ નાખી શકે. જો સરેરાશ વીજ વપરાસ ૮૦૦ યુનિટ હોય તો કુલ રૂ. ૪૮૦૦ વીજબીલમાં બચત,  તેમજ પ્રતિ વર્ષ વિજ ઉત્પાદન બચત પેટે આશરે ૧૪૦૦૦ યુનિટ થાય જેની કિંમત ૪૯,૦૦૦ રૂ. તેમજ ૪૩,૭૫૦ રૂ. ખેડૂતને મળવા પાત્ર થાય છે. પ્રતિ વર્ષ ખેડૂતોને કુલ રૂ. ૯૭,૫૫૦ રૂ. ની બચત થઈ શકે. જેમાંથી હપ્તો બાદ કરતા રૂ. ૨૫૬૨૪ ની ચોક્ખી બચત મળવા પાત્ર છે.

        સ્કાય, પાયલોટ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ જિલ્લામાં ૫ ફીડર કાર્યાન્વિત થવા જઈ રહ્યા છે ત્યારે વધુને વધુ ખેડૂતો નાના રોકાણમાં લાંબાગાળે વિશેષ લાભ લઈ શકે તેવો ખેડૂતલક્ષી પ્રોજેક્ટ હોઈ આવનારો સમય ખેડૂતોની વીજ સમસ્યાઓનો કાયમી ઉકેલ ચોક્કસ લાવી આપશે , સાથોસાથ પર્યાવરણને પણ એટલોજ ફાયદો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.