Abtak Media Google News

રાજકોટ ગુરૂકુલ ગોંડલ રોડ ખાતે  આગામી તા.૧/૯ થી ૬/૯ સુધી બ્રહ્મનીષ્ઠ સંતો અને એર્કાતીક ભકતોનાં સાનિધ્યમાં ૫૬મો બ્રહ્મસત્ર મહોત્સવ ઉજવવામાં આવશે. આ ઉપરાંત તા.૨૭ને શુક્રવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં તા.૨૬ને ગુરુવારે સાંજે ૫ કલાકે જળયાત્રા તથા તા.૨૭ને શુક્રવારે સવારે ૬:૧૫ કલાકે ઘનશ્યામ મહારાજનો અભિષેક, સાંજે ૭ થી ૮ કલાકે નિત્ય ધુન-સત્સંગ, ૯ થી ૧૨:૩૦ કલાકે ગુરુવંદના કાર્યક્રમ, ૯:૦૦ કલાકે અન્નકુટ દર્શન-આરતી તથા ૯ થી ૧૨ કલાક દરમિયાન શ્રી હરીયાગ સહિતના કાર્યક્રમોની વણઝાર કરવામાં આવશે. આ ગુરુપૂર્ણિમાં મહોત્સવ યજમાનો દ્વારા ઘનશ્યામ મહારાજના પાટોત્સવ, સંત-ભોજન-પુજન, અન્નકુટના દર્શન, બ્લડ ડોનેશન કેમ્પો કરવામાં આવશે. આ સમગ્ર મહોત્સવનો લાભ લેવા સર્વ ધર્મપ્રેમીઓને અનુરોધ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.