Abtak Media Google News

અબતકની મુલાકાતે આવેલા સંતોએ માહિતી આપી

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માની આત્માની શાંતી અર્થે સ્વામિનારાયણ ગુરૂકુળમાં ખાસ વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. અબતકની મુલાકાતે આવેલા પ્રભુ સ્વામી અને અવિનાશ સ્વામી એ આશિર્વચન સાથે અબતકની પ્રગતી અને વિરાટ વાંચકોની ઉર્જા વધુને વધુ દેદિપ્યમાન બને તેવા આશિર્વચન આપી જણાવેલ કે સ્વામીનારાયંણ ગુરૂકુળમાં   પ્રાર્થના કરવામાં આવી હતી.

ગુરુવર્ય શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી , મહંત સ્વામી શ્રી દેવ પ્રસાદદાસજી સ્વામી , શ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામી તથા શ્રીપ્રભુ સ્વામી વગેરે સંતોએ પ્રાર્થના કરી હતી. જનમંગલ સ્તોત્રના  મંત્રો દ્વારા સંતોએ તેમજ ઉપસ્થિત હરિભક્તોએ સવારે 6:00 કલાકે પ્રાર્થના કરેલ.એ સાથે  હરિ જયંતીના પવિત્ર દિવસે સંતોએ તેમજ હરિભક્તોએ ભગવાનને અભિષેક કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.