Abtak Media Google News

અનેકવાર રજુઆત છતાં ખાડા ન બુરાતા લોકો પરેશાન

જામજોધપુર સ્વામી નારાયણ મંદીર રોડ ઉપર થયેલ ખાડાને કારણે આ લત્તાવાસીઓએ એક વરસ થયા રજુઆત કરી દીધા છતાં તંત્ર ઘ્યાન દેતું નથી.

જામજોધપુર સ્વામીનારાયણ મંદીર રોડ ઉપર સી.સી. રોડ નું કામ નબળી ગુણવતા વાળુ થયું છે. આ રોડની જાડાઇ ખુબ જ ઓછી છે.

આ રોડ ઉપર ભુવા પડી ગયેલ છે. અને ખાડા પડી ગયા હોય વૃઘ્ધોન.ે આ રોડ પર નીકળવું મુશ્કેલ થાય છે. તેમજ ગામથી માર્કેટીંગ યાર્ડ જવા માટે તથા જોમજોધપુરથી અન્ય ગામ જવા માટેનો મુખ્ય રસ્તો  હોય વાહનની અવર જવર રહે છે. જેથી વાહન પણ આખી રાત નીકળી શકતા  નથી. અહી ગંભીરઅકસ્માત ની ભય રહેલ છે. નગરપાલિકાના તંત્રને નેગાભાઇ ગઢવી સહીત લત્તાવાસીઓએ એક વરસ થયા રજુઆત કરી લેખીતમાં છતાં તંત્ર દાદ દેતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.