Abtak Media Google News

વિસાવદરના ઢેબર અને વડીયાના મોરવાડા ગામની મહિલાના અને સુરેન્દ્રનગરના યુવાનનું મૃત્યુ

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી સુકુ બન્યુ હોવા છતાં સ્વાઇનફલુનો રોગચાળો યથાવત રહ્યો હોય તેમ વધુ બે મહિલા અને યુવાનના મોત નીપજતા રાજકોટની સિવિલ હોસ્પિટલના સ્વાઇનફલુ વોર્ડમાં મૃત્યુ આંક ૧૪૪ પર પહોચ્યો છે. વિસાવદર તાલુકાના ઢેબર ગામની હંસાબેન મધુભાઇ માંગરોળીયા નામની ૫૫ વર્ષની મહિલાને ગઇકાલે સ્વાઇનફલુ વોર્ડમાં દાખલ કરાયા બાદ તેણીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો મોડીરાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.જ્યારે વડીયા તાલુકાના મોરવાડા ગામની કૈલાશબેન નંદલાલ બોરીસાગર નામની ૩૫ વર્ષની મહિલાને ગત તા.૩૦મીએ સ્વાઇનફલુ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયા બાદ રાતે મોત નીપજ્યું હતું. શહેરની ખાનગી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુની સારવાર લઈ રહેલા સુરેન્દ્રનગરના ૪૦ વર્ષીય યુવાનનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક ૧૪૪ પર પહોંચ્યો . સ્વાઇનફલુ વોર્ડમાં ત્રણ પુરૂણ અને એક મહિલાને સારવાર માટે દાખલ કરાયા છે. ચારેયનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ઢેબર અને મોરવાડાની મહિલાના સ્વાઇનફલુના કારણે મોત નીપજતા ગત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ આંક ૧૪૪ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.