Abtak Media Google News

સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે 2019નાં વર્ષમાં કુલ 76 લોકોનાં મોત થયા છે. જ્યારે છેલ્લા 2 દિવસમાં 7 લોકોનાં મોત સ્વાઈન ફ્લૂથી થયા છે. આજે સવારે જ 4 લોકોનાં મોત થયા છે. જેમાં 2 લોકોનાં મોત સિવિલ હોસ્પિટલમાં અને 2 લોકોનાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

રાજકોટના કોઠારિયા સોલવન્ટની 6 વર્ષની બાળા અને 44 વર્ષિય પુરૂષનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે અમરેલીની એક મહિલાનું અને જામનગરની 50 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 15થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં જેતપુર, વીછીયાં, પડઘરી, કોટડાસાંગાણી, રાજકોટ, જામકંડોરણ, ગોંડલ, જૂનાગઢ, કચ્છ, જામનગર, પોરબંદર, અમરેલી, બોટાદ, સોમનાથ અને ગીર સહિતના ગામાનો લોકોનો સમાવેશ થાય છે. 2019માં સ્વાઈન ફ્લૂના કુલ 230થી વધુ દર્દીઓ જાહેર થયા છે. જેમાં 76 લોકોનાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.