Abtak Media Google News

પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપવા અંગે બીસીસીઆઈ અને આઇસીસી વચ્ચે થઈ ચર્ચા

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(આઈસીસી) એ ગુરુવારે જણાવ્યું હતું કે, ક્રિકેટની વિશ્વ સંચાલક મંડળ દ્વારા વિઝા અને કરવેરાની વ્યવસ્થા અંગે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)સાથે પ્રોત્સાહક વાતચીત થઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ ગુરુવારે જણાવ્યું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના અધ્યક્ષ એહસાન મણિએ આઇસીસીને ટૂર્નામેન્ટ પહેલા તેના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે વિઝાની બાંયધરી આપવા જણાવ્યું છે. નોંધનીય છે કે, બંને પાડોશી દેશો વચ્ચેના સંબંધોમાં તંગી જોવા મળી રહી છે.  રાજકીય તનાવને કારણે ભારત અને પાકિસ્તાને બંને દેશો વચ્ચે વર્ષ 2013થી ક્રિકેટ શ્રેણીનું આયોજન કરાયું નથી.

આઇસીસીએ બીસીસીઆઈ સાથે ભારત સરકાર તરફથી ટૂર્નામેન્ટ માટે ટેક્સ છૂટ મેળવવા અંગે વાતચીત પણ કરી છે.આઈસીસીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, બોર્ડને ભારતમાં આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2021ની આસપાસ ચાલી રહેલી તૈયારીઓ અંગે અપડેટ પ્રાપ્ત થયું છે.

બીસીસીઆઈ દ્વારા ટેક્સની વ્યવસ્થા અને વિઝા બાંયધરી અંગે ભારત સરકાર સાથે સકારાત્મક ચર્ચા અંગેના અપડેટનો સમાવેશ કરવામાં આવ્યો છે.  ધારણા છે કે આવતા મહિનામાં બંને મુદ્દાઓઓનો ઉકેલ આવી શકે છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેની આગેવાની હેઠળની આઇસીસી ક્રિકેટ સમિતિએ તાજેતરના મહિનાઓમાં ભૂતપૂર્વ અને હાલના ખેલાડીઓની ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

પ્રોટોકોલ હોવા છતાં પણ, ડિસીઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માં અમ્પાયરની હાકલ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો.  જો કે, આઇસીસીએ જણાવ્યું હતું કે, સ્ટમ્પની ફરતે સમાન અમ્પાયરનો કોલ માર્જિન સુનિશ્ચિત કરવા લેગ-સમીક્ષાઓ પહેલા ડીઆરએસ પ્રોટોકોલને ટ્વિક કરાઈ હતી. કુંબલેએ જણાવ્યું હતું કે, અમ્પાયર્સ કોલ અંગે સમિતિએ ચર્ચા કરી હતી અને તેના ઉપયોગનું વિસ્તૃત વિશ્લેષણ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.