Browsing: Injections

ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હતો : દવાઓ, ઈન્જેકશન અને મેડિકલ સાધનો મળી કુલ.રૂ.9000 મુદ્દામાલ કબજે રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી નજીક ડિગ્રી વગર દવાખાનુ ચલાવી લોકોના સ્વાસ્થ્ય…

પાણી પહેલા પાળ બાંધવી હિતાવહ ઘાતકી સાબિત થયેલી કોરોનાની બીજી લહેર જેવી સ્થિતિ કદાપી ઉભી ન થાય તે માટે આગોતરૂ આયોજન રેમડેસિવિર, ટોસીલીઝુમ્બ, ફુગ માટેની એમ્ફોટેરીસીન-બી…

મ્યુકરમાઇકોસિસના દર્દીઓને અપાતા એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શનના રાજ્યવ્યાપી કૌભાંડ અંગે કાળાબજારી કરતી ગેંગનો રાજકોટ પોલીસે પર્દાફાશ કરી અગાઉ 14 વોન્ટેડ આરોપીઓને પકડી લીધા હતા. આ કૌભાંડમાં ફરાર ચુડાના…

પેઇનકિલરના ઇન્જેક્સનની આડ અસરો થઇ  શંકાસ્પદ દવા, ઇન્જેક્શન અને આઇ.વી.સેટનો જથ્થો સીલ કરી એડીઆર કમિટીને સોંપાયો  સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર છે ત્યારે સિવિલ હોસ્પિટલની વધુ એક ધોર બેદરકારી સામે આવી છે. જેના કારણે એવું લાગી રહ્યું છે કે જાણે સિવિલ હોસ્પિટલનું વહિવટી તંત્ર ખાડે ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગઈ કાલે ઓપીડી બિલ્ડીંવમાં છઠ્ઠા માળે સર્જીકલ વૉર્ડમાં ૩૦ જેટલા દર્દીઓને પેનકીલરના એન્ટિબાયોટિકના ઇન્જેક્શન આપતા તેની આડઅસર થતા ભારે હોબાળો મચ્યો હતો. જેમાં એક માસૂમ ત્રણ વર્ષના બાળકને આંચકી ઉપડવા લાગી હતી. જેથી હોસ્પિટલ તંત્ર દ્વારા ઇન્જેક્શન અને બાટલાના જથ્થાને સિઝ કરી તેને એડીઆર કમિટીને સોંપવામાં આવ્યો છે. એક તરફ સંભવિત કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલનું વહીવટી તંત્ર ખાડે જતું દેખાઈ રહ્યું છે. રવિવારે સવારે 30 દર્દીઓને ઇન્જેક્શન આપ્યાની થોડીજ મિનિટો બાદ 30 દર્દીને ઠંડી સાથે તાવ શરૂ થયો હતો, સાથે તેમનું ત્રણ વર્ષનું ધ્રુવ નામના બાળકને આંચકી ઉપડ્યા બાદ તે બેભાન થઇ ગયો હતો.અંગેની જાણ થતાં તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી સર્જરી વોર્ડમાં દર્દીઓની હાલત વધુ બગડે નહીં તે માટે સાઇડ ઇફેક્ટની દવારૂપ એન્ટિડોટ આપવામાં આવતા તમામ દર્દીઓની સ્થિતિ સુધારા પર આવી ગઇ હતી. મળતી માહિતી મુજબ ધ્રુવ ટીંબડિયા નામના 3 વર્ષના બાળકને વધરાવળની તકલીફ હોય તેને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રવિવારે સવારે ઇન્જેક્શન આપ્યા બાદ ધ્રુવને આંચકી શરૂ થઇ ગઇ હતી અને તે બેભાન થઇ ગયો હતો. બાળકની કથળતી હાલત જોઇ તેના પરિવારજનો રોષે ભરાઇ ગયા હતા અને તબીબોની લાપરવાહી અંગે આક્ષેપ કર્યા હતા. આ અંગે તબીબ અધિક્ષક ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સીરીંજ, ઇન્જેક્શન કે આઇ.વી.સેટને કારણે રિએક્શન આવ્યાની શંકા છે,દવાઓ વગેરે આપ્યા બાદ વોર્ડમાં રહેલા અંદાજે 30 જેટલા દર્દીઓને સામાન્ય રાયગર એટલે કે ઠંડી આવવાની ફરિયાદ ઉપસ્થિત થતા ફરજ પરના ઉપસ્થિત નર્સિંગ કર્મચારી અને તબીબોએ તુરંત જ એન્ટીડોટ આપતા તબિયત સુધરી છે .સાથે હાલમાં એ તમામ શંકાસ્પદ દવા, ઇન્જેક્શન અને આઇ.વી.સેટનો જથ્થો સીલ કરાયો છે,અને મેડિકલ કોલેજની એડીઆર કમિટીને તપાસ સોંપવામાં આવી છે, કમિટીના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે. આ ઘટના વિષે દર્દીના સંબંધીઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે, સાઇડ ઇફેક્ટ અંગે અનેક વખત આ અંગે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને રજૂઆત કરી હતી પરંતુ શરૂઆતમાં કોઇએ ધ્યાન આપ્યું નહોતું અને લાંબો સમય વિત્યા બાદ ગંભીરતાનું ભાન થતાં તમામ સ્ટાફ દર્દીઓ પાસે પહોંચ્યો હતો અને રિએક્શન કાબૂમાં લેવાની દવા આપી હતી.

રસીકરણ લોકોનું થશે અને કોરોનાની અસરમાંથી અર્થતંત્ર ઝડપથી બેઠું થશે….. બજારને ધબકતું રાખવા માટે રસીકરણ અને રાજકોષીય રાહતનું ઈન્જેકશન ખૂબ જરૂરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામનએ અર્થતંત્રને…

વિશ્વ આખાને ધમરોળનાર કોરોનાની દવા અને સારવાર સાધનોની પેટર્ન રજિસ્ટ્રેશનની કવાયત સામે ભારતે ઉઠાવેલા વિરોધને હવે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે. અમેરિકા સહિતના…

કોરોના બાદ મ્યુકર માઇક્રોસિસની મહામારીના કારણે જરૂરી દવાની અછત ઉભી થતા કેટલાક લેભાગુ દ્વારા ઇન્જેકશનના કાળા બજાર શરૂ કર્યાનું પોલીસના ધ્યાને આવતા મેડિકલ સંચાલક સહિત બે…

રાજકોટથી એસઓજી ગ્રૂપ દ્વારા મ્યુકરમાયકોસીસની મહામારીમાં ઇન્જેક્શનના કાળાબજારી કરતા લેભાગુ તત્વોને ઝડપી પાડ્યા બાદ રાજ્યભરમાંથી કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં અંકલેશ્વરની ફાર્મા કંપનીના કર્મચારી અને…

મહામારીના કપરા સમયમાં દર્દીઓને સેવા કરવાને બદલે મેવા મેળવવાના કૌભાંડમાં બે તબીબ અને મેડિકલ ક્ષેત્રમાં જોડાયેલા શખ્સોએ લાંછન લગાડ્યું અંકલેશ્વરની લાયકા લેબથી ચોરેલું રૂ.૧૦૦૦નું ઇન્જેક્શન દર્દી…

તમામ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ અપાઈ કોરોના મહામારીના વિષમકાળમાં રૂા.25 લાખની દવાઓ, ઇન્જેકશનો, વેન્ટીલેટર મશીન, ઓક્સિજન બાટલાં, ફ્રુટ, માસ્ક, સેનિટાઇઝર અને સ્ટીમ મશીનનું વિતરણ કરાયુ સહકારી અગ્રણી…