Abtak Media Google News

મૂળ કામગીરી મહેસુલી કર્મચારીઓની હોય તેઓ સાથ નહિ આપે ત્યાં સુધી તલાટી મંત્રી પણ પૈસા ઉઘરાવવાની કામગીરીથી દૂર રહેશે : તલાટી-કમ- મંત્રી મંડળ

મહેસુલી કર્મચારી મહામંડળે તાજેતરમાં શ્રમિકોને વતન પહોચાડવાની કામગીરીનો બહિષ્કાર કર્યા બાદ હવે તલાટી- કમ- મંત્રી મંડળે પણ આ કામગીરીનો બહિષ્કાર કરી દીધો છે. અને જાહેર કર્યું છે કે જ્યાં સુધી મહેસુલી કર્મચારીઓ આ કામગીરીમાં સા નહિ આપે ત્યાં સુધી પંચાયત વિભાગના તલાટીઓ પૈસા ઉઘરાવવાની કામગીરીી દૂર રહેશે.

રાજકોટ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ચિરાગભાઈ ગરૈયાએ જણાવ્યું છે કે રાજકોટ જિલ્લામાંી પરપ્રાંતીય મજૂરો પાસેી ટ્રેનના ભાડા પેટે પૈસાની ઉઘરાણી કરવાની કામગીરી આજ દિન સુધી પંચાયતના કર્મચારી તા પંચાયતના તલાટી કમ મંત્રીઓએ રેવન્યુ વિભાગ સો હળીમળીને દિવસ રાત જાગીને કરી છે. આ કામગીરી તલાટી કમ મંત્રીઓ કોરોનાના કહેર વચ્ચે જાનના જોખમે કરે છે. ત્યારે ત્રણ દિવસ પૂર્વે મહેસુલ મંડળે એવી જાહેરાત કરી હતી કે આવી કામગીરીી અમારા કર્મચારીઓને ચેપ લાગવાનું જોખમ રહેલું છે.

વધુમાં પ્રમુખે જણાવ્યું કે યઆ કામગીરી પંચાયત વિભાગે પુરા ખંત અને ઈમાનદારીી કરેલ છે. પરંતુ મૂળ કામગીરી મહેસુલ વિભાગની હોય તેમ છતાં તેના કર્મચારી ચેપ લાગવાનું કારણ દર્શાવી આ કામગીરીનો બહિષ્કાર કરેલ હોય જેી પંચાયતના તલાટી મંત્રીઓ પણ આ કામગીરીી અળગા રહેશે. અન્ય તમામ કામગીરી કરવામાં આવશે. પરંતુ મહેસુલ વિભાગના કર્મચારીઓ આ કામગીરીમાં સા આપશે તો જ આ કામગીરી કરવામાં આવશે. અન્યા પંચાયત વિભાગના તલાટી મંત્રી પણ પૈસા ઉઘરાવવાની કામગીરીી દૂર રહેશે. તેમ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.