Abtak Media Google News

32 મિલકતો સીલ કરાઇ, એક બાકીદારનું નળ જોડાણ કપાયું: 1.10 કરોડની વસૂલાત

કોર્પોરેશનની વેરા વસૂલાત શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રિઢા બાકીદારોની 32 મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 143 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે. આજે બપોર સુધીમાં 1.10 કરોડની વસૂલાત થવા પામી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે હાથ ધરવામાં આવેલી ટેક્સ રિક્વરીની કામગીરી અંતર્ગત શહેરના વોર્ડ નં.4માં લાતી પ્લોટ વિસ્તારમાં સાત મિલકતો, વોર્ડ નં.6માં પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક મિલકત, વોર્ડ નં.7માં ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે નક્ષત્ર-6 બિલ્ડીંગ પાંચ મિલકત, બોમ્બે હોટેલ ચોક પાસે અજંતા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં એક મિલકત, રોનક કોમ્પ્લેક્સ એક મિલકત, અમર કોમ્પ્લેક્સમાં બે મિલકત સહિત કુલ 32 આસામીઓની મિલકતને સીલ કરી દેવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં.16માં દેવપરા વિસ્તારમાં 1.16 લાખનો વેરો વસૂલવા માટે બાકીદારનું નળ જોડાણ કપાત કરવામાં આવ્યું હતું.

આજે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કુલ 19 મિલકતો સીલ કરવામાં આવી હતી અને 64 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા રૂ.24.45 લાખની વસૂલાત થવા પામી છે. જ્યારે વેસ્ટ ઝોનમાં બે મિલકતોને સીલ કરી દેવામાં આવી હતી અને 29 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ આપવામાં આવતા રૂ.54.81 લાખની વસૂલાત થવા પામી હતી. ઇસ્ટ ઝોનમાં 11 મિલકતો સીલ કરવામાં આવી હતી અને ઇસ્ટ ઝોનમાં 11 મિલકત કરાઇ હતી અને એક નળ જોડાણ કપાત કરવામાં આવ્યું છે. 50 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવતા રૂ.31.22 લાખની વસૂલાત થઇ છે. આજે કુલ 32 મિલકતોને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતાં. જ્યારે 143 બાકીદારોની મિલકત ટાંચમાં લેવામાં આવી છે. બપોર સુધીમાં 1.10 કરોડની વસૂલાત થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.