Abtak Media Google News

સાંસદ મોહનભાઇ કુંડારીયા,જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયા,જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર,ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા, કુંવરજીભાઇ બાવળીયા સહિતના આગેવાનો

આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાનાર છે,ત્યારે ” સૌનો સાથ સૌનો વિકાસ ” સુત્રની નેમ સાથે કામ કરી રહેલ ભાજપની ડબલ એન્જીનવાળી કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલ લોકસેવાના કાર્યોની ઝાંખી આપવા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ વિસ્તારોનો પ્રવાસ ખેડનાર છે, જે પૈકી આગામી તા.11 ઓક્ટોબરના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટના જામકંડોરણા ખાતે જંગી જનમેદનીને સંબોધવાના છે,ત્યારે આ વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઇ કચાશ ન રહે તે માટે રાજકોટ જિલ્લા ભાજપની ટીમ કમર કસી રહી છે,

વડાપ્રધાનની જનસભાના આમંત્રણ આપવાના આયોજનના ભાગરૂપે પડધરી, લોધીકા, રાજકોટ, કોટડાસાંગાણી, ઉપલેટા, ધોરાજી, વીંછીયા, જસદણ અને ગોંડલના તાલુકા મથકો પર સંગઠનના હોદ્દેદારો,સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ,સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠકનો ધમધમાટ ચાલ્યો છે. દરેક બેઠકોમાં સ્વયંભૂ લોક જુવાળ જોવા મળી રહ્યો છે .આ ઉપરાંત સંગઠનના હોદેદારશ્રીઓ,તાલુકા અને જીલ્લાના હોદેદારશ્રીઓ, ગામોના સરપંચઓ સાથે મીટીંગનુ આયોજન સાસંદ મોહનભાઈ કુંડારીયા,જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા,જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર,ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ,ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા, કુંવરજીભાઈ બાવળીયા ,રાજકોટ જિલ્લા દુધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, જીલ્લા બેંકના ડીરેક્ટરઓ,તેમજ જીલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો તેમજ આગેવાનોની વિશેષ ઉપસ્થિતીમાં કરવામાં આવેલ છે,

અગ્રણીઓ સાથે કરવામાં આવેલ હોદ્દેદારોની બેઠકમાં દરેક તાલુકામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં હાજર રહેવા માટે લોકોએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે,સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જિલ્લા ભાજપની પ્રમુખ તથા મહામંત્રીઓ સહિતની ટીમ,સાંસદસભ્ય,ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા રાત-દિવસ એક કરીને તનતોડ મહેનત કરવામાં આવી છે.

જામકંડોરણા ખાતેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનસભાની આયોજન તથા વ્યવસ્થાના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા અગ્રણીઓ અને કાર્યકરોને જુદીજુદી જવાબદારીઓ સોપવામાં આવી છે,વડાપ્રધાનને સાંભળવા માટે આવનાર કોઇપણ લોકોને કોઇ અગવડતા ન પડે તે માટે રાજકોટ જિલ્લા ભાજપનો દરેક કાર્યકર ખડેપગે છે,

આ તકે રાજકોટ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા થનગની રહ્યું છે.વડાપ્રધાનની જનસભાની વ્યવસ્થાના ભાગરૂપે જામકંડોરણામાં કુમાર છાત્રાલય પાસે 40 વીધા જમીન પર સમિયાણો ઉભો કરવામાં આવી રહ્યો છે,સભામાં આવનાર દરેક વ્યક્તિને ભોજન કરાવવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે,રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાંથી વડાપ્રધાનને સાંભળવા અંદાજીત  2 લાખની જનમેદની ઉમટે તેવો અંદાજ પ્રચંડ પરથી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.