Abtak Media Google News

Table of Contents

રાજુલા: ઝાપોદરમાં નશામાં ધૂત પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું

અબતક, ચેતન વ્યાસ

રાજુલા
દારૂના દૈત્ય એ વધુ એક પરિવારનો માળો પિખી નાખ્યો છે રાજુલાના ઝાપોદર ગામે દારૂડિયા પતિએ બોથડ પદાર્થના ઘા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું આ ઘટનાથી રાજુલામાં ચકચાર મચી જવા પામી છે.
આ બનાવના પગલે રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી કરી મૃતકની બહેનની ફરિયાદ પરથી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજુલાના ઝાપોદર ગામમાં રહેતા રેખાબેન ભરતભાઈ વાળા (ઉ. વ. 45) મહિલા 31 તારીખની સાંજના સમયે પોતાના ઘરે હતા ત્યારે પતિ ભરતભાઈ બદરૂભાઈ વાળાએ તિક્ષણ કે બોથડ હથિયાર વડે માથાના ભાગે તથા શરીરે આડેધડ ઘા મારતા લોહીલુહાણ હાલતમાં સ્થળે જ મોત થયું હતું બનાવ અંગે ગામના સરપંચ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મૃતદેહને રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડી રાજુલા માં રહેતા મૃતકના બહેનને જાણ કરવામાં આવી હતી જે અંગેની જાણ થતાં મૃતકના બહેન સોમીબેન જાદવભાઈ પરમાર હોસ્પિટલ દોડી આવ્યા હતા બનાવ અંગે પોલીસે મૃતકના બહેન સોમીબેન જાદવભાઈ પરમાર ઉંમર વર્ષ 65 ની ફરિયાદ પરથી જમાઈ ભરત બદરૂભાઈ વાળા વિરૂદ્ધ આઈપીસીની કલમ 302 મુજબ ગુનો નોંધી રાજુલા પોલીસ મથકના પી.આઇ ડી વી પ્રસાદ ના માર્ગદર્શન હેઠળ પોલીસે શોધખોળ હાથ ધરતા ગામની સીમમાં આરોપીને ઝડપી લઇ પૂછપરછ કરી હતી.

પોતાને દારૂ પીવાની ટેવ હોય આથી દારૂ ન પીવાની બાબતે પત્ની સાથે અનેક વખત બોલાચાલી ઝઘડો થતો જેથી 31 તારીખે પત્ની ને દારૂ પીવાની ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો આમ બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું મૃતક રેખાબેન 15 વર્ષ પહેલા ભરત વાળા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને સંતાનમાં ચાર દીકરા અને બે દીકરી છે માતા ના મોત અને પિતાના જેલવાસ થી પાંચ સંતાનો માતાપિતા વિહોણા બન્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.