- ભાવનગરના ઇતિહાસમાં સૌથી મોટી કરચોરી પકડાઈ
- આવકવેરા વિભાગની કાર્યવાહી
- ગુજરાતમાં 35 સ્થળોએ ITનું મેગા સર્ચ
- 170 કરોડના બેનામી વ્યવહાર ઝડપાયા, 9 કરોડની મત્તા જપ્ત
- જયેશ ધોળકિયા અને સુમેરુ બિલ્ડર્સ પર આઇટી દરોડા
- અમદાવાદ, ભાવનગર, નડિયાદમાં 35 સ્થળોએ IT દ્વારા કરાયું સર્ચ ઓપરેશન
Bhavnagar News: ભાવનગરના ઇતિહાસમાં સૌથી મોટી કરચોરી પકડાઈ છે. ખરેખર, અમદાવાદ, ભાવનગર, નડિયાદમાં 35 સ્થળોએ આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતું. આવકવેરા વિભાગે રણછોડદાસ ધોળકિયા ગ્રુપ અને ત્યાંના અન્ય ઉદ્યોગપતિઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, 170 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારોશોધી કાઢી 9 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.
ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં આવેલ તમાકુ અને છીંકણીના ડીલરને ત્યાં 18 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. જેમાં રણછોડદાસ ધોળકિયા અને સુમેરુ ડેવલપર્સને ત્યાં આઇટી વિભાગે ધામા નાખ્યા છે. મળતી માહિતી મુજબ નડિયાદ, અમદાવાદ, ભાવનગરમાં 35 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રોકડમાં વ્યવહાર થતા હોવાના પુરાવા મળ્યા છે. આ બધાની વચ્ચે હવે આ કાર્યવાહીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.
ભાવનગરના ઇતિહાસમાં સૌથી મોટી કરચોરી
તમાકુ અને છીંકણી તથા રીઅલ એસ્ટેટના ધંધા સાથે સંકળાયેલા રણછોડદાસ ઝીણાભાઈ ધોળકિયા ગ્રુપ તથા અન્યોને ત્યાં 18 ફેબ્રુઆરીના રોજ આવકવેરા વિભાગે અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં કુલ 35 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી બાદ હવે જે આંકડાઓ સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. સર્ચ દરમિયાન 170 કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે અને 9 કરોડની રોકડ તથા જ્વેલરી મળી છે. આ સાથે 20 પ્રાઈવેટ લોકર પૈકી 9 લોકર હજુ સીલ કરાયેલા છે અને તે સિવાયના 11 ખાનગી લોકર ઓપરેટ કરવામાં આવ્યા છે.
170 કરોડના બેનામી વ્યવહારો
આવકવેરા વિભાગની સર્ચ બાદ હવે તમાકુ અને છીંકણીના રૂ. 70 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે, આ સાથે પ્રોપર્ટી વેચાણના રૂ. 30 કરોડના વ્યવહારો જોવા મળ્યા તો તેમજ જમીન, મકાનમાં રૂ. 30 કરોડનું રોકાણ જોવા મળ્યું છે અને રોકડાંથી ખરીદ-વેચાણના રૂ. 40 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. IT દ્વારા 26 સ્થળોએ દરોડા તથા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આઇટી વિભાગના દરોડા દરમિયાન ભાવનગરમાં ડીલરને ત્યાંથી દસ્તાવેજનું પોટલું મળ્યું હતું. તમાકુ અને છીંકણીના ડિલરોને ત્યા દરોડા પાડવામાં આવતા અન્ય વેપારીઓ એલર્ટ થઇ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આ સાથે જયેશ ધોળકિયા અને સુમેરુ બિલ્ડર્સ પર પણ આઇટી દરોડા પાડવામાં આવ્યા હતા
ભાવનગરના ઇતિહાસમાં સૌથી મોટી કરચોરી ઝડપાઇ છે. વાસ્તવમાં અમદાવાદ, ભાવનગર, નડિયાદમાં 35 સ્થળોએ IT સર્ચ બાદ હવે મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ IT દ્વારા રણછોડદાસ ધોળકિયા ગ્રુપ સહિત અન્ય ઉદ્યોગપતિને ત્યાં સર્ચ કરાયું હતું. આ દરમિયાન 170 કરોડના બેનામી વ્યવહાર ઝડપાયા અને 9 કરોડની મત્તા જપ્ત કરાઇ છે. આ સાથે જયેશ ધોળકીયા, સુમેરૂ બિલ્ડર્સને ત્યાં IT દરોડા પડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન 20 પ્રાઈવેટ લોકર પૈકી 11 લોકર ઓપરેટ કરાયા છે.