Abtak Media Google News

અમેરિકાના ન્યુ જર્સીના ઉત્તર આર્લિંગ્ટન વિસ્તારમાં રિવરવ્યુ ગાર્ડન એપાર્ટમેન્ટમાં ભારતીય દંપતીની લાશ મળી આવી છે. જયારે તે લોકોની 4 વર્ષની પુત્રીને બાલ્કનીમાં રડતી જોય, પાડોશીઓએ તે અંગે તાપસ કરી. જયારે તેમનું ઘર ખોલવામાં આવ્યું ત્યારે દંપતીના મૃતદેહો મળ્યા.

U.S મીડિયાએ માહિતી આપતા કહ્યું છે કે, આ દંપતીનું મોત છરીના ઘા ઝીકી થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંધ રૂમમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પતિએ તેની પત્નીના પેટમાં છરી મારી હતી. તે આત્મહત્યા છે કે હત્યા આ બાબતે હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

આ દંપતીની ઓળખ કરતા માહિતી મળી કે, બંને મૂળ ભારતના હતા. બાલાજી ભરત રુદ્રાવર (ઉ.32) અને તેની પત્ની આરતી બાલાજી રૂદ્રવાર (ઉ.30)ના હતા. જે એપાર્ટમેન્ટમાં આ બનાવ બન્યો તેમાં અંદાજિત 15,000 થી વધુ લોકો રહેતા હતા.

બાલાજીના પિતા ભરત રુદ્રાવારે સમાચાર એજન્સી PTIને કહ્યું કે, “બુધવારે પડોશીઓએ બાળકીને બાલ્કનીમાં રડતા જોઈ હતી. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ આવી ઘર ખોલ્યું તો બંનેના મૃતદેહ મળ્યા હતા. સ્થાનિક પોલીસે ગુરુવારે મને તેની જાણ કરી. મૃત્યુનાં કારણ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

તેમને આગળ વાત કરતા કહ્યું કે, “મારી વહુ સાત મહિનાની ગર્ભવતી હતી. અમે તેના ઘરે ગયા હતા. અમે ફરી અમેરિકા તેની સાથે રહેવા જવાનું વિચારી રહ્યા હતા.” U.S પોલીસે કહ્યું કે તેઓના મૃતદેહ પોસ્ટમોટમ માટે મોકલવામાં આવ્યા છે. તેના રિપોર્ટ આવે પછી ખબર પડે કે મોતનું સાચું કારણ શું છે.

બાલાજીના પિતાએ આગળ વાત કરતા કહ્યું કે, “આ થવા પાછળના કારણ વિશે મને કોઈ ખબર નથી. બંને ખુશખુશીથી પોતાની ઝીંદગી જીવી રહ્યા હતા. તેમના પડોશીઓ પણ ઘણા સારા હતા.” U.S પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે કે, મૃતદેહોનું પોસ્ટમોટમ કરી કાનૂની કાર્યવાહી પુરી કરી પછી બંનેને ભારત પોહ્ચાડવામાં આવશે.જેમાં 8 થી 10 નો સમય લાગશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.