Abtak Media Google News

સંતો સમુદાયનાં સહયોગથી અને સરકારના નિર્ણયથી યાત્રા પ્રવાસના અનોખા ધામ તરીકે જૂનાગઢનો સવાર્ંગી વિકાસ થશે

ગરવા ગિરનારની તળેટીમાં દર વર્ષે ભરાતા જગ-વિખ્યાત ભવનાથના મેળાને લઘુ કુંભમેળાનો દરજજો આપીને આવતા વર્ષથી આ મેળો ‘મિનિ કુંભ મેળા’ તરીકે ઉજવવાની અને ગિરનાર તીર્થના સર્વાંગી વિકાસ માટે ‘ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી’ રચવાની મુખ્યમંત્રી વિજયભાઈએ કરેલી જાહેરાતને ભાજપના સિનિયર અગ્રણી તેમજ ‘ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ’ના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ધ્રુવે અવકાર્યો છે. Raju Dhruv 1

સાધુ-સંતો અને ભાવિકોની લાંબા સમયની લાગણી અને માગણી ધ્યાનમાં લઈ ગિરનારના તમામ પગથિયાની મરામત, નવિનીકરણ કરવાની મુખ્યમંત્રીની જાહેરાતને પણ તેમણે વધાવી લીધી છે. ધ્રુવે જણાવ્યું છે કે, જુનાગઢ અને ગિરનાર તીર્થના સર્વાંગી વિકાસનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. દુનિયાના યાત્રા-પ્રવાસ-પર્યટનના નકશામાં હવે જુનાગઢ અનોખું સ્થાન પ્રાપ્ત કરશે તે નિશ્ર્ચિત છે.

રાજુભાઈ ધ્રુવે નિવેદનમાં જણાવ્યું છે કે, મુખ્યમંત્રીના નિર્ણય થકી આવનારા દિવસોમાં ગિરનાર તીર્થના વિવિધ સ્થળોની માળખાગત સુવિધાઓમાં મોટો વધારો થશે.

યાત્રિકોની સુખાકારી માટે સંખ્યાબંધ વિકાસ કાર્યોમાં વેગ આવશે એટલું જ નહીં, રોજગારીની તકોમાં પણ ઘણો વધારો થશે. ગિરનાર તીર્થક્ષેત્રના પરિસર અને આસપાસના ધર્માલયોને સામુદાયિક રીતે વિકાસના ફલક પર લઈ જવાની કામગીરી ગીરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના થકી વેગવાન બનશે.

વધુમાં રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે, તુલનાત્મક દ્રષ્ટીએ જોઈએ તો તી‚પતિ અને વૈષ્ણોદેવીના પહાડીતીર્થોની સમકક્ષ ગિરનાર તીર્થક્ષેત્રનાં વિકાસના દરવાજા હવે ખુલ્લી ગયા છે.

રાજુભાઈ ધ્રુવે ગત વર્ષે દેશનાં અન્ય રાજયોનાં મહત્વના યાત્રાસ્થળોનો પ્રવાસ ખેડીને ઉંડો અભ્યાસ કર્યો હતો અને તેના આધારે ગિરનાર સ્વાયત સતામંડળની રચના કરવાની દરખાસ્ત રાજય સરકાર સમક્ષ રજુ કરી હતી અને ગિરનાર તીર્થક્ષેત્રને વિકાસની ડગર પર આગળ લઈ જવા માટે સ્વાયત સતામંડળની રચના આવશ્યક હોવાનો વિગતવાર પ્રસ્તાવ મુકયો હતો.ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટી શા માટે જ‚રી છે તે અંગે વાત કરતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ગિરનાર તીર્થક્ષેત્ર આપણી પ્રાચીન આધ્યાત્મિક પરંપરાનું અનોખું કેન્દ્ર છે. અહીં ધર્મસ્થળો સાથે પર્યટનની વિપુલ તકો રહેલી છે.ગિરનાર અને આસપાસમાં વિવિધ ધર્મ/સંપ્રદાય અને માન્યતાઓની ધરોહર સાથે અનેક ધર્માલયો ધમધમે છે.

દર વર્ષે યોજાતા શિવરાત્રી અને લીલી પરીક્રમાના લોકમેળા અહીં દેશ વિદેશના ભાવિકોને આવકારે છે.

જુનાગઢને સૌથી વધુ આકર્ષે તેવી જો કોઈ શ્રદ્ધાના કેન્દ્રની વાત હોય તો નરસિંહ મહેતાનો ચોરો, દામોદરકુંડ, મુચકુંદ ગુફા, રેવતીકુંડ, બલરામ, દામોદરરાયજીના મંદિરો અને વલ્લભાચાર્યજીની બેઠક પણ સોનરખ સરિતા તટે યાત્રિકોને આકર્ષે છે. ગિરનાર વનપ્રદેશની અંદર આવેલા બોરદેવી, સુરજકુંડ, ઝીણાબાવાની મઢી, ઈન્દ્રેશ્ર્વર તથા આત્મેશ્ર્વરની ધાર્મિક જગ્યાઓ પણ અનન્ય શ્રદ્ધાના કેન્દ્ર છે.

આ તીર્થક્ષેત્રના સામુદાયિક વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની રચનાની જાહેરાત થતા ગિરનાર તીર્થક્ષેત્રનો એક સ્વતંત્ર સતામંડળના નેજા તળે વિકાસ થવાનું તોરણ બંધાયું છે.

રાજુભાઈ ધ્રુવે રાજયના મુખ્યમંત્રીનો આભાર વ્યકત કરી જુનાગઢના વિકાસના નિર્ણયને આવકાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.