Abtak Media Google News

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સભ્ય પરિવારનું યોજાશે સ્નેહ મિલન: સન્માન સમારોહનું આયોજન

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.1ર ને રવિવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉ5સ્થિતિમાં સભય પરિવારનું સ્નેહમિલન, ભોજન સમારંભ અને વિવિધ ક્ષેત્રે આગવું યોગદાન આપનારાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાશે.

વેપાર-ઉઘોગની વરિષ્ઠ અને 67 વર્ષની પીઢ મહારાજ સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ના વિશાળ સભ્ય પરિવારનું સ્નેહ મિલન, સંગીત સંઘ્યા અને સ્વરુચી ભોજન સમારંભ તથા વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળીઓના સન્માન સમારંભનું તા. 1ર ને રવિવાના સાંજના 6 કલાકે ગોલ્ડન, કલ્યાણ પાણી પ્લોટ, 1પ0 ફુટ રીંગ રો, અયોઘ્યા પાર્ક, સીનર્જી હોસ્પિટલ સામે, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃઘ્ધિ વધારવા મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા અતિથિવિશેષ તરીકે સાંસદ સભ્યઓ, મંત્રીઓ ધારાસભ્યઓ તથા મેયર તેમજ વિવિધ સંસ્થાના હોદેદારો તેમજ અધિકારીઓ ઉ5સ્થિત રહેશે.

રાજકોટ ચેમ્બરના સભ્યોએ પોતાના પાસ ચેમ્બરની ઓફીસેથી વહેલી તકે મેળવી લઇ આ કાર્યક્રમનો લાભ લેવા તમામ સભ્યોને અનુરોધ કરવામાં આવે છે. તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.