Abtak Media Google News

Screenshot 3 14

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાના દોષિત એજી પેરારીવલનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી, સુપ્રીમ કોર્ટે તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો, પેરારીવલન છેલ્લા 31 વર્ષથી જેલમાં બંધ છે. પેરારીવલને તેમની મુક્તિમાં વિલંબને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2018માં તમિલનાડુ સરકારે તેને મુક્ત કરવાની ભલામણ કરી હતી. આ પછી મામલો કાનૂની જંગમાં ફસાઈ ગયો.

 

 

21 મે 1991ના રોજ તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં એક જાહેર સભા દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. આ પછી પેરારીવલનની 11 જૂન 1991ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

Whatsapp Image 2022 05 18 At 7 1

પેરારીવલનને વર્ષ 1998માં ટાડા કોર્ટે મૃત્યુદંડની સજા સંભળાવી હતી. બાદમાં આ સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. 1999માં સુપ્રીમ કોર્ટે સજા યથાવત રાખવાનો આદેશ આપ્યો હતો. જો કે આ પછી વર્ષ 2014માં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી દેવામાં આવી હતી. આ પછી આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે પેરારીવલનને જામીન આપ્યા હતા. પરંતુ કેન્દ્ર સરકારે તેમની અરજીનો વિરોધ કર્યો હતો. એમ પણ કહ્યું કે તમિલનાડુના રાજ્યપાલે આ મામલો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી દીધો છે, જેમણે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.