Abtak Media Google News

એ વાત તો બધા જાણો છે કે આજે ભારત પાસે કોહિનુર હિરો છે. આ હિરોએ ભારતમાંથી જ મળ્યો છે. પરંતુ આ હિરા વિશેની કહાણી શાયદ જ કોઇ જાણતું હશે. આ હિરા જે પણ રાજા કે વ્યક્તિ પાસે ગયો તેને બર્બાદ કર્યા છે. તો ચલો જાણીએ આ શ્રાપીત હિરાવીશે…..

એવું કહેવામાં આવે છે કે આ હિરાને ભગવાન ક્રિષ્ન જામવંતથી લાવ્યા હતા. આ હિરાને અંગ્રેજો ભારતની ગુલામીના સમયે પોતાની સાથે લઇ ગયા હતા. આ હિરાના કારણે ઘણા લોકો બર્બાદ થઇ ગયા. આ હિરો જેની પણ પાસે ગયો તે વંશનો નાશ થયો છે. ૧૩મી સદીમાં આ હિરો જેની પાસે હતો તે વ્યક્તિએ લખ્યું હતું કે આ હિરો શ્રાપીત છે. અને જેની પણ પાસે જાશે તેને બર્બાદ કરી દેશે તો ચલો જાણીએ આ હિરાના શ્રાપીત હોવાની કહાની વિશે…..

– કાકતીય વંશ

કોહિનુર નામનો આ હિરો કાકતીય વંશ પાસે ૧૪મી સદીમાં આવ્યો હતો. ૧૦૮૩માં આ વંશનો ખરાબ સમય શરુ થયો હતો. ૧૩૨૩માં એક યુધ્ધ દરમ્યાન આ વંશનો વિનાશ થઇ ગયો.

– નાદિર શાંહની વિનાશ :

આ વાત ૧૭૩૯ની છે તે સમયે નાદિર શાહએ કોહિનુરને પોતાના કબ્જામાં લીધો હતો. તે પોતાની સાથે પર્શીવ્યા લઇ ગયો હતો. ત્યાં જ તેને આ હિરાનું નામ કોહિનુર રાખ્યું હતું કહેવામાં આવે છે કે આ હિરાના ચક્કરમાં જ નાદિર શાહનું મૃત્યુ થયું હતું.

– ભારતમાં પણ કરી બર્બાદી :

ત્યાર બાદ લાંબા સમય સુધી આ હિરો ભારતમાં આવ્યો હતો. અહીં આ હિરો ઘણા રાજાઓ પાસે ગયો હેરાનીની એ વાત એ છે કે આ હિરો પાસે ગયો તે રાજાઓનું મૃત્યુ થયુ.ં

– બ્રીટીશ સામ્રાજ્યનો પણ વિનાશ :

૧૮૫૦ સુધીમાં બ્રિટીશે લગભગ અડધી દુનિયા પર પોતાની હકુમત કરી ચુક્યા હતા. પરંતુ જ્યારથી અંગ્રેજો પાસે આ હિરો ગયો ત્યારથી તેમના અડધા દેશો આઝાદ થવા લાગ્યા અને બ્રીટેશ સામ્રાજ્યનો અંત થઇ ગયો એવી રીતે જોવામાં આવે તો આ હિરો જેની જેની પાસે ગયો તેની બર્બાદીનું કારણ બન્યો. એટલા માટે જ ઘણા લોકો આ હિરાને શ્રાપીત માને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.