Abtak Media Google News

એકવાર એક કોન્ફરન્સમાં કોઈક વ્યક્તિએ જાહેરાત કરી “હું જે પ્રમાણેકહુંતે પ્રમાણે તમારે બધાઅ ેકરવાનું છે.” બધા સહમત થયા. પછી તે વ્યક્તિએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું “બધા પોતાના હાથ ઊંચાકરો.” બધાએ પોતાના હાથ ઊંચા કર્યા. પછી માથા પર હાથ મૂકીને કહ્યું “બધા પોતાના હાથ માથા પર મૂકો.” બધાએ તેમ કર્યું. આમ તેવ્યક્તિ જેમ-જેમ બોલતા ગયા, લોકો તેમ-તેમ કરતાં ગયા. ધીમે ધીમે તે વ્યક્તિએ બોલવાનું બંધ કરી કેવળ એક્શન જ કરવાની ચાલુ રાખી. તેમ છતાં લોકેતેની એક્શનને અનુસરતા જ રહ્યા. ત્યારે પહેલા વ્યક્તિએ કહ્યું “મેં તો કેવળ એટલું જ કહ્યું હતુંકે હું જેમ કહું તેમ બધાએ કરવાનું છે. પણ જેમ કરું તેમ કરવાનું ક્યાં કહ્યું હતું ?”

રીડર્સ ડાયજેસ્ટમાં એક સમય ેઆવેલા આ પ્રસંગના આધારે આપણને વર્તનની અસરનો ખ્યાલ આવે છે. આપણેજે બોલીએ છીઅ ેતેના કરતાં આપણે જે કરીએ છીએ, તેની અસર વધાર ેથાય છે.

મગધ દેશના રાજા બિંબિસારના રાજ્યના પ્રશ્નમાં પણ, આજ સિદ્ધાંત રામબાણ ઇલાજ સાબિત થયો. પ્રશ્નએ હતો કે તેમના રાજ્યના ગરીબ માણસો ઘાસના ઝૂંપડાં બાંધીને રહેતા હતા. તેઓ ખૂબલા પરવાહ હતા. તેના કારણે એમના જ ઝૂંપડાંમાં આગ લાગી જતી. આવા ઘણાં અગ્નિકાંડ થયા એટલે રાજાએ જાહેર કર્યું “જેનું ઘાસ સળગશે, તેને એક વર્ષ સુધી સ્મશાનમાં રહેવું પડશે.” આ સાંભળી લોકો સાવધ થયા. પરંતુ હજુ થોડા ંઝૂંપડાં તો સળગતા જ હતા, ને લોકો સજા પણ ભોગવતા હતા.

એક દિવસ રાજાના ઘાસના ગોદામમાંજ આગ લાગી. રાજા બિંબિસારે જ્યારે આવાત જાણી, ત્યારે તેઓ પોતે પણ સ્મશાનમાં જવા તૈયાર થયા. બધાએ ખૂબ સમજાવ્યા. છતા ંતેઓ ન જ માન્યા અને રાજમહેલ છોડી તેઓ સતત એક વર્ષ સુધી સ્મશાનમાં જઈને રહ્યા. તેમના આ વર્તનનું પરિણામએ આવ્યું કે, ત્યારપછી જ્યાં સુધી તેમણે શાસન કર્યું, ત્યાં સુધી એક પણ ઝૂંપડું સળગ્યું નહીં.

અંગ્રેજીમાં એવું કહેવાય છેકે,’ Your actions speak louder than words.’ એટલેકે, તમારા શબ્દો કરતાં તમારું વર્તન વધારે વાતો કરે છે. એટલે જ મહાપુરુષો કેવળ બોલતા જ નથી, પણ તે પ્રમાણે વર્તીને લોકોને સમજાવે છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે. મહાપુરુષો જ ેજે આચરણ કરે છે, સામાન્ય મનુષ્યો તેને જ અનુસરે છે.

પ્રમુખ સ્વામી મહારા જે જે ઉપદેશ આપ્યો છે. તે કેવળ બોલ્યા જ નથી, પણએ પ્રમાણેવર્તીન સમજાવ્યું છે.

બોચાસણ ગામમાં એક વાર તેઓ મંદીર પરિસરમાં પસાર થતા હતા. ત્યાં વચ્ચે બાથરૂમ આવ્યું. તેમણે સહેજ થોભી અંદર ડોકિયું કર્યું, તો ઘણી દુર્ગંધ આવતી હતી. એટલે કંઈ પણ બોલ્યા વગર તેઓ બાથરૂમમાં ગયાને બાથરૂમ અંદરથી બંધ કર્યું.

સાથેના સંતોને થયુ ંકેતેઓ લઘુશંકા (પેશાબ) કરવા ગયા છે. પરંતુ અંદર તો તેમણે ગાતરિયું ખીંટીએ લટકાવ્યું, ધોતિયાનો કછોટો માર્યો અને સાવરણો લઈને બાથરૂમ સાફ કરવા લાગ્યા ! એ દુર્ગંધ જ્યાં સુધી ન ગઈ અને બાથરૂમ ચોખ્ખું ચણાક ન થયું, ત્યાં સુધી ઘસ્યા જ કર્યું.

બહાર ઊભેલા સંતો-યુવકોને તો આ વાતની ત્યારે ખબર પડી, જ્યાર ેપ્રમુખ સ્વામી મહારાજે બાથરૂમ એકદમ ચોખ્ખું કરીને દરવાજો ખોલ્યો. બહાર નીકળી તેઓ તો એક પણ શબ્દ બોલ્યા વગર આગળ ચાલવા લાગ્યા, પરંતુ સાથે ઊભેલા સૌને, એક પણ શબ્દ વગર સ્વચ્છતાનો સંદેશ મળી ગયો.

વિશ્વવ્યાપી BAPS સંસ્થાના ધણી હોવા છતાં, તેમણે વર્તનમાં ઉતારીને સંદેશો આપ્યો છે. તેમના આ વર્તનમાંથી પ્રેરણા લઈને અમેરિકાના ચેરીહિલના સમૃદ્ધ તબીબ ડો. રાજીવવ્યાસ, કે જેમની નીચે 800 માણસો અને 38 ડોક્ટરો કામ કરે છે, છતાં તેઓ રોજ સવારે મંદિરદર્શને આવીને ભક્તિ ભાવપૂર્વક મંદિરના સંડાસ-બાથરૂમ સાફ કરે છે. સુરતમાં પણ લાખો રૂપિયાનો વ્યાપાર કરનારા યુવાનોનું એક વૃન્દદર રવિવારે મંદિરમાં સંડાસ-બાથરૂમ સાફ કરે છે.

આવા તો કંઇક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પ્રમુખ સ્વામી મહારાજને આદર્શ માનીને સ્વચ્છતાની સેવામાં લાગ્યા છે.

એટલે જ અમેરિકાના રાજકીય નેતા હિલેરી ક્લિન્ટને કહ્યું હતું “પ્રમુખ સ્વામી મહારાજે સદાચારનો કેવળ બોધ જ નહોંતો આપ્યો. પરંતુ તે મૂલ્યો અનુસાર પ્રત્યેક દિવસ જીવ્યા હતા.”

આજે ઘણા માતા-પિતાની ફરિયાદ હોય છે કે, તેમનાં સંતાનો તેમના કહ્યામાં રહેતાં નથી. તેનું એક કારણ માતા-પિતાનું વર્તન પણ છે. કારણ કે માતા-પિતાનું વર્તનએ બાળક માટે દર્પણ છે. જેમ દર્પણમાં આપણે આપણી છબી જોઈએ છીએ, તેમ માતા-પિતાના વર્તનમા ંબાળક પોતાની છબી જુએ છે, અને તે પ્રમાણે જ વર્તે છે.

સ્વીડીશ ગવર્નમેન્ટ દ્વારા કિશોર અવસ્થાના અપરાધીઓનો અભ્યાસ કરવામાં આવ્યો. તેમાં કારણ નીકળ્યું કે માતા-પિતાના વર્તનમાં જીવનનાં જે મૂલ્યો હોય છે, તે જ મૂલ્યોન ેતેમનાં સંતાનો મુખ્યત્વે ગ્રહણ કરે છે.

માટે આપણા વર્તનમાં જ આપણું ભવિષ્ય છુપાયેલું છે. સારું વર્તન કરીશું તો સારી અસર અનુભવાશે, ને ખરાબ વર્તન કરીશું તો ખરાબ અસર અનુભવાશે. કેવું વર્તન કરવું ? તે નિર્ણય આપણા હાથમાં છે.

– સાધુ અચલકીર્તિદાસ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.