Abtak Media Google News

જો સાપ પાછળ પડે તો ગભરાવું નહીં, વિશ્વમાં તેની ૨૫૦૦ થી વધુ પ્રજાતિ જોવા  મળે છે: ભારતમાં પણ ૩૦૦ વધુ પ્રજાતિઓ છે, જેમાં પ૦ ટકા જ ઝેરી સાપ છે, પૃથ્વી પર વસતા તમામ સાપો પૈકી ર૦ ટકા જાતિ ઝેરી હોય છે

આપણે નાના હતા ત્યારે મદારી ટોપલામાંથી ફેણ વાળો સાપ કાઢે તે મોરલી વગાડતા અને નાગ તેની સામે ડોલવા લાગે, આપણે ઘણી શેરી, ગલ્લી કે બહાર ખુલ્લામાં જઇએ ત્યાં પણ આપણને જોવા મળે છે. નાગ-નાગણી વિશેની તરહ તરતની વાતો, માન્યતા, ભ્રામક લોકવાયકા પ્રચલિત છે. પૃથ્વી પરના બધા પ્રાણીઓની જેમ આ પગ વગરનું પ્રાણી છે. પણ આપણાં સમાજમાં સૌથીવધુ ભ્રામક માન્યતાઓ એમની જોવા મળે છે. નાગ દુધ પીવે, નાગ કે નાગણી બદલો લે, તે ઉડી આપણને કરડે, સંવનન કરતા હોય ત્યારે કપડું ઢાંકી દો તો પૈસાદાર થઇ જાવ,નાગ-નાગણીની પૂજા જેવી વિવિધ વાયકાઓ છે જે ભ્રામક કે તથ્ય વગરની છે.

આપણાં શાસ્ત્રોમાં શેષનાગ ને વિશેષ સ્થાન અપાયું છે. ભગવાન વિષ્ણુ તેના આસાન જમાવીને બેસી તેવી વાતો આપણે વાંચી કે સાંભળી છે. શેષ નાગને હજાર માથા હોય અને સ્વર્ગ પહાડ ઉપર રહે તેવી વાતો વાંચવા મળે છે. આપણાં લોકજીવનમાં નાગપૂજા અને નાગજાતિઓની વાતો આવે છે. જો કે આ નાગપૂજા ઘણી પ્રાચીન મનાય છે. આદીકાળથી નાગને ભય અને અચંબાનું પ્રતિક ગણાય છે. નાગમાં પગ વગર દોડવાની શકિત સાથે તેજમીન અને પાણી બન્નેમાં રહે છે.

Snake5

નાગપૂજાની પ્રાચિનના પર પ્રકાશ પાડતા પી.જે. દેવરસ લખે છે કે વેદોના સમય પહેલા દ્રવિડ સંસ્કૃતિમાં નાગપૂજા જાણીતી હતી. એનાથી રક્ષણ મેળવવા યજ્ઞો પણ થતા હતા. આ વિશે લોક જીવનના મોતીમાં જોરાવરસિંહ જાદવે પણ ઘણો પ્રકાશ પાડીને વિવિધ વાતો રજુ કરીછે. વેદ-ઉપનિપદ બાદ રચાયેલા પુરાણોમાં નાગની ઘણી રસપ્રદ વાતોને પ્રસંગો મળે છે. વાગ ભટ્ટે નાગની ત્રણ મુખ્ય જાતિમાં દર્વીકર, મંડલી અને રાજીનામ સાથે નાગની, અનંત, પદ્દમ, શંખ, તક્ષક, વાસુકી અને કંબલ જેવી વિવિધ જાતોની વાત કરી છે.મહાભારતના આદિ પર્વ આસ્તિક પર્વમાં સાપોની કુલ ૭૮ જાતો વર્ણવી છે. હાલના અભ્યાસ મુજબ વિશ્વમાં રપ૦૦ થી વધુ પ્રજાતિઓ જે પૈકી ૨૦ ટકા જ ઝેરીસાપ છે. આપણાં ભારતમાં પણ ૩૦૦ થી વધુ પ્રજાતિઓના સાપ છે. જેમાંથી અળધો-અળધ એટલે પ૦ ટકા ઝેરી સાપ છે. દર વર્ષે એક લાખ લોકોના મૃત્યુ થાય છે. આજે પણ અંધશ્રઘ્ધાને કારણે સાપ કરડે ત્યારે ભુવા-ભરાડી પાસે લોકો ઝેર ઉતરાવવા જાય છે. ઇચ્છાધારી સાપની ભ્રામક લોકવાયકા બહુ જ જોવા મળે છે. ફિલ્મ જગને પણ આ નાગ વિષય ઉપર ઘણી બધી ફિલ્મો બનાવી હતી. જેમાં જાુની નાગીન અને નવી નાગીન ફિલ્મ ખુબ જ સફળ રહી હતી. જેમાં સાપના બદલાતી વાત કરવામાં આવી હતી. ભગવાન શીવજીના ગળામાં સદેવ નાગ હોય છે. ટીવી, સીરીયલોમાં પણ આ વિષયને લઇને અનેક એપીસોડ બનાવાયા છે.‘અપરાજિત પૃચ્છા’ ગ્રંથમાં ૬૩ નાગ કૂળોનો વેદકાલીન આર્યોને ૮૦ થી વધુ નાગ જાતિની જાણ હતી. જયાં નાગની પૂજા થાય ત્યાં પથ્થર ની નાગની મૂર્તિ પણ જોવા મળે છે. ઇ.સ. પૂર્વે પહેલા શતકના શિલ્પોમાં નાગની પૂજાના પ્રતિકો જોવા મળ્યા છે. કચ્છમાં હાલનો ભુજીયો ડુંગરમાં ભૂજંગ દેવ નાગની પૂજા થાય છે. તેથી તેનું નામ ભુજીયો ડુંગર પડયું છે. કેટલાક સાપ વિશે દૂધ પીવાની વાત કરે છે. પરંતુ છે ઉલ્ટાનું તે દુધી પી લેતા ઘણીવાર મૃત્યુ પણ થઇ જાય છે.

નાગ કોઇને પણ સંમોહિત કરી શકે છે એવી માન્યતા પણ ખોટી છે. એની પાસે કોઇ શકિત જ નથી હોતી, જો કદાચ એવું હોત તો સંમોહિત કરીને ગમે તેને મોતને ઘાટ ઉતારી દેત, આવી જ વાત સાપના બદલા લેવાની છે કે તેની આંખમાં કેમેરો હોયને મારનારની છબી અંકિત થઇ જાય પણ તે બદલો લે પણ આ ખોટું છે, તે બદલો લેવાની બુઘ્ધી જ ધરાવતો નથી માણસના પગલાનો અવાજ કે અન્ય અવાજથી જ સચેત થઇ જાય છે.

બીજું સાપ ૧૦૦ વર્ષ જીવે ને તેના માથા ઉપર મણી હોય છે. જેના હાથ નાગમણી આવે તે ન્યાલ થઇ જાય આવી બધી વાતો માત્ર કલ્પનીક છે. તો વળી કેટલાક તો સાપ ઉડવાની વાતો કરે છે. તે પણ ખોટી છે કારણ કે તેનામાં ઉડવાની ક્ષમતા જ નથી હોતી. અમુક સાપો ગુચડું વળીને દૂર સુધી ફંગોળાઇ કે એક ઝાડથી બીજા ઝાડ પર ઉછળીને જઇ શકે છે એ વાત સાચી છે. સાપ બીનનો અવાજ સાંભળીને તેના તરફ આકષાર્ય છે પરંતુ સાપ અવાજ સાંભળી શકતો નથી પણ બીન જે રીતે ડોલે તેના કંપનથી તે પ્રભાવિત થઇને શિકાર સમજીને પકડવા ઇચ્છે છે કે ફેણ મારે છે.

2Snake D

વિશ્ર્વભરમાં ન્યુઝીલેન્ડ, આઇસલેન્ડ અને એન્ટાર્કટિકા એવા ત્રણ દેશો છે જયાં સાપનું અસ્તિત્વ જ નથી. એનાકોન્ડા ગ્રીન સૌથી લાંબો સાપ નથી પરંતુ વજનદાર છે જેનું વજન ૫૫૦ પાઉન્ડ છે.

દુનિયામાં બ્રાઝિલમાં આવેલ સાપ આઇલેન્ડએ સર્પનું સૌથી ગીચ સ્થળ છે. આ જગ્યાએ દરેક વર્ગ મીટરે અંતરે પાંચ સાપ રહે છે, મતલબ કે તમારી પલંગ જેવડી જગ્યામાં દશ સાપ રહે છે એ પણ સૌથી વધુ ઝેરીલા સાપ

તમામ પ્રાણીઓને તાલિમ આપીને શીખવી શકાય પણ નાગને તે નથી કરી શકાતું  કારણ કે બીજી પ્રાણીની જેમ શિખવાની પ્રક્રિયા નિયંત્રીત કરી શકે એવી સીસ્ટમ જ નથી હોતી, કીંગ કોબરા સૌથી ઝેરી લો અને લાંબો સાપ છે. જે ૧૮ ફુટ લાંબો હોય છે તે એટલો બધા ઝેરી હોય છે કે ફકત ૭ એમ.એલ. જથ્થામાં ર૦ માણસો અને એક હાથીને મારી શકે છે. ૭૦ ટકા સાપ ઇંડા ભૂકે છે ને બાકીના ૩૦ ટકા બચ્ચાને સીધો જન્મ આપે છે. હવામાં ઉત્પન્ન થતા ઘ્વનિ તરંગો તેની ઉપર કોઇ અસર થતી નથી તે સાપ પીપુડી વાગે એટલે આવે તે માત્ર ભ્રમ છે.

દક્ષિણ આફ્રિકામાં મળેલ સાપ હોર્નડ વાઇ પર ના માથા પર બે નાના શીંગડા હોય છે. સાપ વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વાર તેમની સંપૂર્ણ કાંચળી ઉતારે છે.

નાગના વિષય સાથે સંંલગ્ન આજના સમાજ ઉપર કટાક્ષ કરતી કવિ સચ્ચિદાનંદ હિરાનંદ વાત્સ્યાયન પંકિત ચોટ દાર છે.

સાઁપ!

તુમ સભ્ય તો હુએ નહીં

નગર મે બસના

ભી તુમ્હે નહીં આયા !

એક બાત પૂછું…. (ઉત્તર દોગે?)

તકબ કૈ સે સીખા ર્ડંસના….

વિષ કર્ણ પાયા ?

સર્પ વિશે જાણવા જેવું

* સાપનું અસ્તિત્વ પૃથ્વી ઉપર ૧૩૦ મીલીયન વર્ષથી એટલે કે ડાયનાસોરના સમયથી છે.

* દુનિયામાં બધે સાપ જોવા મળે પણ તેને ઠંડુ વાતાવરણ ગમતું નથી.

* આફ્રિકામાં મળી આવતા ‘બ્લેક મામ્બા’ સૌથી ખતરનાક છે. જેના ડંખથી ૯૫ ટકા લોકો મોતને શરણે થાય છે.

* સાપ કયારેય ચાવતો જ નથી, સીધો જ ગળી જાય છે. જેમ કે દેડકા, ઉંદર, ગરોળી

* દુનિયામાં સૌથી લાંબો ૩૦ ફુટનો ‘પાયથોન રેટિકયુલાટસ’ પ્રજાતિનો સાપ છે જયારે કિંગ કોબ્રા ૧૮ ફુટ લાંબો હોય છે.

* સાપ તેના નાકથી નહી પરંતુ જીભથી સુંઘે છે

* વિશ્વમાં ન્યુઝિલેન્ડ, આઇસલેન્ડ અને એન્ટાર્કટિકામાં સાપનું અસ્તિત્વ જ નથી.

* સર્પ દંશથી દર વર્ષે એક લાખ લોકોના મૃત્યુ થાય છે, એટલે કે દર માસે ૮ હજારથી વધુ લોકો મૃત્યુ પામે છે.

* સાપ છંછેડયા વગર ડંખ મારતો નથી તેના ઉપર પગ પડવાથી મોટાભાગે ઘટના બને છે.

* વિશ્ર્વમાં અઢી હજારથી વધુને ભારતમાં ૩૦૦ થી પ્રજાતિના સાપો જોવા મળે છે. જે પૈકી ર૦ ટકા જ ઝેરી સાપ છે.

* ભારતમં દર વષે અઢી લાખ લોકોને સાપ કરડે છે જે પૈકી પ૦ હજાર લોકો માર્યા જાય છે.

* પાણીમાં રહેતો સાપ પણ તેમની ત્વચાની માત્રા થોડો શ્વાસ લઇ શકે છે તેને પાણીની જ‚ર નથી રહેતી તે શિકારમાંથી જ પાણી મેળવી લે છે., ઘણાં સાપ મહિનાઓ સુધી ભુખ્યા રહી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.