Abtak Media Google News

બિગ બોસ ૧૦માં સ્પર્ધક તરીકે જોવા મળેલ સ્વામી ઓમનું નિધન થયું છે. તે છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને ૧૫ દિવસ પહેલા લકવાના શિકાર થઈ ગયા હતા. ત્યારબાદ તેમની તબિયત લથડતી રહી હતી. કોઈ સુધારો થયો ન હતો અને હવે થોડા સમય પહેલા જ તેનું અવસાન થયું હતું.

સ્વામી ઓમનો ૩ મહિના પહેલા કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. લકવાગ્રસ્ત થયા પછી તેને ચાલવામાં ઘણી તકલીફ થવા લાગી. કોરોનાથી પીડિત સ્વામી ઓમ સાજા થયા હતા, પરંતુ તેમનું શરીર નબળું પડી ગયું હતું. વિવાદો સાથે પણ સ્વામીનો ખુબ નાતો રહ્યો છે. બિગ બોસ ૧૦માં સ્વામી ઓમે ઘણી બધી ચર્ચા જગાવી હતી. તે ઘણી બધી બાબતોને લઈને વિવાદોમાં આવ્યા હતા અને પોતાના નિવેદનોને કારણે પણ હંમેશા તે ચર્ચામાં રહેતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.