Abtak Media Google News

વૈશ્વિક મહામારી વચ્ચે પણ ભારતે વિવિધ પગલાઓ લઇ ફુગાવાને નિયંત્રણમાં લાવવા પ્રયાસો કર્યા છે: વર્ષ 2014-2020 દરમિયાન ફુગાવાનો દર 5%થી પણ ઓછો નોંધાયો

કોઈપણ અર્થ વ્યવસ્થા માટે સૌથી જરૂરી એ છે કે જો ફુગાવાને અંકુશમાં રાખવામાં આવે તો અર્થવ્યવસ્થા ઝડપી થઈ શકે છે અને આ મુદ્દાને ધ્યાને લઇ સરકાર દ્વારા વિવિધ પગલાં પણ ભરવામાં આવતા હોય છે આ તકે ભારત દેશમાં પણ ફુગાવાને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને પરિણામે વૈશ્વિક મહામારી કોરોના વચ્ચે પણ સરકારે ફુગાવાના દરને નિયંત્રણમાં રાખવા માટે સફળતા હાંસલ કરી છે જે અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા માહિતી આપવામાં આવી હતી. સંસદમાં વડાપ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતે વર્ષ 2014 થી વર્ષ 2020 સુધી ફુગાવાના દરને પાંચ ટકાથી નીચે રાખવામાં સફળતા હાંસલ કરી છે જે ખરા અર્થમાં એક સરાહનીય કામગીરી કરી શકાય.

વડાપ્રધાન મોદી દ્વારા વિપક્ષો પર આક્ષેપો પણ કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસના સમયમાં ફુગાવાનો દર બે આંકડામાં પહોંચી ગયો હતો ત્યારે જો કોના સમયમાં તેમની સરકાર હોત તો દેશને ઘણી તકલીફો માંથી પાર થવું પડત. બીજી તરફ ભારત જે રીતે આર્થિક રીતે સમગ્ર વિશ્વ પર પોતાનો પગદંડો જમાવી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હાલ ભારતની અર્થવ્યવસ્થા વૈશ્વિક તાલુકા ખૂબ જ ઝડપી આગળ વધી રહી છે અને વૈશ્વિક મહામારી દરમિયાન પણ ભારતના લોકોએ ખૂબ જ ગંભીરતાથી પોતાની જવાબદારી સ્વીકારી તેઓ આગળ વધ્યા છે અને દેશને ઘણો એવો ફાયદો પણ પહોંચ્યો છે. માટે સૌથી મોટી વાત એ હતી તે જે રીતે ફુગાવાનો દર સતત વધી રહ્યો છે ત્યારે તેને નિયંત્રણમાં કેવી રીતે રાખી શકાય પરંતુ યોગ્ય પગલાઓને કારણે સરકારને સફળતા પણ હાંસલ થઈ છે.

વિશ્વના અન્ય દેશોની સરખામણી કરતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારતે કપરા કાળમાં પણ ખૂબ ઉન્નતિ હાંસલ કરી છે અને આ સમયગાળામાં ખેડૂતોએ ખૂબ મોટી માત્રામાં ખાદ્ય પદાર્થોને પણ વિકસિત કરી હતી. પરિણામે દેશના 80 કરોડ લોકોને નિકુલ અનાજ પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં સરકારે અને ભારતે નિકાસમાં પણ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને દેશના દરેક ક્ષેત્ર માં થી વિકાસનું પ્રમાણ ઊંચું આવ્યું છે અને પરિણામે દેશની અર્થવ્યવસ્થાને પણ તેની હકારાત્મક અસર નો સામનો કરવો પડ્યો છે.

સ્ત્રી તરફ સરકાર ઉત્પાદન ક્ષેત્રને વધુને વધુ વેગવંતુ બનાવવા માટે પણ સતત કાર્યશીલ અને પ્રગતિશીલ રહ્યું છે અને આત્મનિર્ભર ભારત અભિયાનને અમલી બનાવ્યું છે જેનો લાભ ઘણા ખરા લાભાર્થીઓ દ્વારા લેવામાં આવેલો છે. મહિમા સરકાર આ તમામ મુદ્દાઓને ધ્યાને લઇ વધુ વિકાસશીલ પગલાં લેશે તો તેનો ફાયદો દેશની સાથે સરકાર અને સ્થાનિક લોકોને પણ મળતો રહેશે અને સામે લોકોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. તું માત્ર જરૂરિયાત એ છે કે સરકાર અને લોકો ફુગાવા ઉપર નિયંત્રણ રાખે.

સરકાર ઉત્પાદન ક્ષેત્રે ખાનગી રોકાણકારોને પ્રોત્સાહિત કરી રોજગારીની તકો ઉભી કરશે

બજેટ 2022માં સરકારનો મુખ્ય લક્ષ્ય એ છે કે, સરકાર વધુને વધુ ઉત્પાદન ક્ષેત્રે ખાનગી રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટેના દરેક પગલાઓ લઇ રહી છે જેથી જો તેઓને પ્રોત્સાહિત કરવામાં આવશે તો તેઓ તેમનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં કરશે અને રોજગારીની વિશેષ તકો પણ ઊભી થશે હાલના સમયમાં ભારત માટે સૌથી જરૂરી વાત અથવા તો મુદ્દો હોય તો તે એ છે કે સરકાર ઉત્પાદન ક્ષેત્રે વધુ ધ્યાન કેન્દ્રિત કરે અને વિશ્વના દેશો કે જે ભારતમાં આવવા માંગે છે તેઓ વધુને વધુ રોકાણ આ ક્ષેત્રમાં કરે જેથી રોજગારી ની તકો ઊભી થાય સામે દેશને પણ તેનો મહત્તમ લાભ મળી શકે. હાલ સરકાર ખાનગી રોકાણકારોને વધુ ને વધુ પ્રોત્સાહિત કરવા માટેના નવા નિયમો અમલી બનાવી રહ્યું છે અને નાણા વિભાગ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ ચિત્ર સામે આવે છે કે દેશની અર્થવ્યવસ્થા વિકસિત કરવા માટે સરકાર ઉદ્યોગને પ્રોત્સાહિત કરશે.

વૈશ્ર્વિક સ્તર ઉપર ભારતની અર્થ વ્યવસ્થા ઉદાહરણરૂપ

લોકસભામાં વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે વૈશ્વિક તરપત ભારતની અર્થવ્યવસ્થા એક ઉદાહરણ રૂપ સાબિત થઇ રહી છે અને ભારત ઝડપથી વિકસિત થતી અર્થ વ્યવસ્થા પણ બની રહી છે. આ મુદ્દાને પણ વિશ્વ ગંભીરતાથી ધ્યાને લીધું છે. તરફ સમગ્ર વિશ્વ કોરોના ની અપડેટ માં આવી ગયું હતું ત્યારે ભારતને પણ તેની અસરનો સામનો કરવો પડ્યો હતો પરંતુ યોગ્ય આયોજનના પગલે ભારતની અર્થવ્યવસ્થા ઝડપે આગળ વધી રહી હોવાનું વિશ્વના દેશોએ પણ સ્વીકાર્યું હતું.

પ્રધાન મોદીએ એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું હતું કે સરકારનો મુખ્ય લક્ષ્ય અને હેતુ લઘુ અને મધ્યમ ઉદ્યોગોને બેઠો કરવા માટેનો છે ત્યારે આગામી સમયમાં આ પ્રકારના તમામ નીતિ નિયમો અને નવી યોજનાઓને પણ અમલી બનાવવામાં આવશે જેથી આ ઉદ્યોગો ફરી બેઠા થઈ શકે. અહીં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિકસિત કરવા માટે સરકારે 3 લાખ કરોડ રૂપિયાની સ્કીમને પણ અમલી બનાવી છે. સરકાર ડિજિટલ ટ્રાન્ઝેકસનને પણ વેગવંતુ બનાવવા માટે સતત કાર્ય કરી રહ્યું છે

ક્રિપ્ટો કરન્સીનો ટેકસ રોકાણકારો માટે ઓછી જગ્યા છોડી છે

ક્રિપ્ટો કરન્સી ને લઈ અને તર્ક વિતર્કો થઇ રહ્યા હતા ત્યારે બજેટમાં નાણામંત્રી દ્વારા ક્રિપટોકરન્સી ને માન્યતા આપવાનું જણાવતા રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો તો સામે સરકારે પણ એવા જટિલ નીતિ નિયમો બનાવ્યા જેમાં રોકાણકારોની સાથે સરકારને પણ ખૂબ જ મોટી આવક થઈ શકે. એટલું જ નહીં ક્રિપટોમાં જે ટેક્સ દર નિર્ધારિત કરવામાં આવ્યો છે તે રોકાણકારો માટે સૌથી ઓછી જગ્યા થશે જેનો મતલબ એ કે જે રીતે વર્તતા સ્ક્રિપ્ટમાં લોકોને મળવું જોઈએ તે મળી શકશે નહીં. પરંતુ હાલ ભારત દેશમાં દોઢ કરોડથી વધુ રોકાણકારો ક્રિપટો માં રોકાણ કર્યું છે ત્યારે જાણવું તેમના માટે જરૂરી એ છે કે સરકારે છ તેવા મુદ્દાઓ નિર્ધારિત કર્યા છે જેનું પાલન કરવું પડશે પરંતુ તેઓને જે લાભ મળવા જોઈએ તે મળી શકશે નહીં.

  • ક્રિપ્ટોની આવક પર 30% ટેક્સ
  • નુકશાનીને સરભર નહીં કરી શકાય
  • ઇન્ડેક્સેસનનો નહિવત લાભ
  • કોઈ પણ પ્રકારની કર મુક્તિ નહીં
  • દરેક ટ્રાન્સફર પર 1% ટીડીએસ
  • ક્રિપટો મારફતે આપેલી ભેટ પણ ટેકસેબલ

નાણાંકીય વર્ષ 2022માં ભારતનો જીડીપી 147.5 લાખ કરોડે પહોચે તેવી શકયતા

હાલ ભારત દેશ માટે સૌથી મહત્વની વાત એ છે કે દેશનો જીડીપી નો દાસ વધુને વધુ આગળ વધવું જોઇએ જેથી તેને આધારિત છે નાણાકીય ખાસ ઊભી થાય તેનું અનુમાન સરકાર લગાવી શકે ત્યારે નાણા વિભાગ દ્વારા એ વાત ઉપર શક્યતા સેવવામાં આવી રહી છે કે નાણાકીય વર્ષ 2022માં ભારતનો જીડીપી 147.5 લાખ કરોડે પહોંચે તેવી શક્યતા છે. સરકારે તેના 6.9 ટકા એટલે કે આશરે નવ લાખ કરોડ રૂપિયાનાણાકીય ખાધ રૂપે બચત પણ કરશે. જેનો ઉપયોગ જે તે સમયે કરી શકાય.

ભારત ની મહત્વતા અને તેનું લક્ષ્ય વધુને વધુ વિકાસ દરને ઝડપથી આગળ લાવવા માટેનો છે જેના માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસ લગતી ખીમો લઘુ અને મધ્યમ ઉદ્યોગો ની સાથે મોટા ઉદ્યોગો ને પણ આપવામાં આવશે. સરકારે કોલેટ્રોલ ફ્રી ગેરેન્ટેડ લોન ઉદ્યોગ અને આપવા માટેનો પણ નિર્ણય લીધો છે જેથી તેઓ ઝડપી કામગીરી કરી શકે અને દેશના વ્યવસ્થામાં તેનો સિંહફાળો આપે.

સપ્ટેમ્બર કવાટરમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં ‘બેડ લોન’ની સંખ્યામાં ઘટાડો નોંધાયો

કોરોના ની રિકવરી બાદ દેશની અર્થવ્યવસ્થાને પણ તેની હકારાત્મક અસર જોવા મળી છે ત્યારે બેંકિંગ ક્ષેત્રમાં પણ ભારતને ઘણો ફાયદો પહોંચ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે બેડ લોનનું પ્રમાણ વધતા નજરે પડતું હતું તેમાં ઘટાડો થયો છે અને હાલ બેડલોન 8 લાખ કરોડે પહોંચી છે. જે આંકડો સામે આવ્યો છે તે સપ્ટેમ્બર માસનો છે અને જાહેર ક્ષેત્રની બેંકોને ધ્યાને લઈને બહાર લાવવામાં આવ્યો છે.

નહિ બેંકોના એનપીએમાં પણ અનેક અંશે ઘટાડો નોંધાતા તેની હકારાત્મક અસર પણ સામે આવી છે. એટલું જ નહીં પ્રધાનમંત્રી નિધી યોજના હેઠળ જે નાના વેપારીઓ છે તેમને પણ નાણાં આપવામાં આવ્યા છે જેથી તેઓ સ્વનિર્ભર બની શકે અને પોતાનું યોગદાન દેશની અર્થવ્યવસ્થામાં આપી શકે તો સામે દીનદયાળ અંત્યોદય યોજના થકી પણ સરકારને ઘણો એવો ફાયદો મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.