Abtak Media Google News

ઉત્તરાખંડ સરકારના બોર્ડ બનાવવાના ખરડાને રાજ્યપાલની મંજૂરી : ચારધામના મંદિરોનું સંચાલન બોર્ડને સોંપવા સામે પૂજારી પરિવારોમાં વિરોધ

ઉત્તરાખંડમાં હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર ગણાતા ચારધામ એટલે કે ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ મંદિરો આવેલા છે. આ ચારધામની યાત્રાએ ભારતભરમાંથી દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ જાય છે. હિમાલય પર્વતની ગોદમાં આવેલા આ ચારધામના વિકાસમાં અનેક વિઘ્નો આવતા હોય ઉત્તરાખંડની ભાજપ સરકારે આ પવિત્ર સ્થાનોના સર્વાંગી વિકાસ માટે દેવસ્થાન બોર્ડ બનાવવાનો નિર્ણય કર્યો છે. વૈષ્ણવો દેવી અને તિરૂપતિ બાલાજી મંદિરનું સંચાલન કરતા દેવસ્થાન બોર્ડની જેમ આ બોર્ડને વિશાળ સત્તા આપતા ખરડાને ગઈકાલે ઉત્તરાખંડના રાજ્યપાલ બેબીરાની મૌર્યએ મંજૂરી આપી છે. જેથી ચારધામ ઉપરાંત ઉત્તરાખંડના પચાસ મંદિરોના સંચાલન માટે ટૂંક સમયમાં દેવસ્થાન બોર્ડ બનાવવામાં આવશે.

Rajani

ઉત્તરાખંડ વિધાનસભામાં ગત શિયાળાના સત્રમાં પસાર કરાયેલા ચારધામ દેવસ્થાન બિલને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે. રાજભવનની મંજૂરી મળ્યા બાદ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે મંગળવારે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને તેમની આસપાસના મંદિરોનું સંચાલન ચારધામ દેવસ્થાન મેનેજમેન્ટ બોર્ડના નિયંત્રણ હેઠળ રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ તમામ દેવસ્થાનો સાથે સંકળાયેલા પુજારીઓ, ટ્રસ્ટીઓ, યાત્રાળુઓ, પૂજારીઓ અને પાંડાઓને પહેલા જેવા બધા જ અધિકાર મળતા રહેશે. આ બોર્ડની સ્થાપના પછી મંદિરોના સંચાલનનું કામ વધુ સરળતાથી અને ઝડપી કરવામાં આવશે. જ્યારે આપણે કોઈ સુધારો કરીએ છીએ ત્યારે પ્રતિક્રિયા આવે છે. તેમ જણાવીને રાવતે ઉમેર્યું હતું કે, યાત્રાળુ પુજારીના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે. રાજ્યના ચારધામ સહિતના તમામ ધાર્મિક સ્થળોએ દેશ-વિદેશના ભક્તોને ઉત્તરાખંડના ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની તક મળે અને સારી સુવિધા મળે તે માટે આ બિલ લાવવામાં આવ્યું છે. ચારધામ ઉપરાંત, ઉત્તરાખંડ સરકારે તેની આસપાસ સ્થિત 50 થી વધુ મંદિરોના સંચાલન માટે ગયા વર્ષે 9 ડિસેમ્બરે વિધાનસભામાં આ બિલ લાવ્યું હતું. આ બિલ વિધાનસભામાં રજુ કરવામાં આવે તે પહેલાં જ તીર્થ પુરોહિત તેનો વિરોધ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે આપણે કોઈ સુધારા કરીએ છીએ ત્યારે પ્રતિક્રિયા આવે છે. તેમણે કહ્યું કે તીર્થ પૂજારીઓના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે.

Rajmoti 8 X 5

ઉત્તરાખંડ સરકારે 50 મંદિરોના સંચાલન માટે બનનારા બોર્ડમાં સીઈઓ તરીકે આઈએએસ અધિકારીને નિમણૂંક આપવાનો, મુખ્યમંત્રીને બોર્ડના ચેરમેન ઉપરાંત પરિવારના સદસ્યને આ બોર્ડમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવનારું છે. આ બોર્ડનું કાર્યાલય આગામી માસમાં દહેરાદુનમાં ખોલવામાં આવવાની જાહેરાત પણ કરવામાં આવી છે. રાવત સરકારનો આ બોર્ડ બનાવવાના નિર્ણયનો વિરોધ કરતા કેદારનાથના કોંગ્રેસી ધારાસભ્ય મનોજ રાવતે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે અંગ્રેજોએ પણ વિચાર્યું ન હતું તેવું આ પગલું લીધું છે. આ નિર્ણયથી આદિ શંકરાચાર્યે સદીઓ પૂર્વે બનાવેલી હિન્દુ ધર્મની ધાર્મિક પરંપરાઓનો ભંગ થશે.

બદ્રીનાથના પુજારી પરિવારના આશુતોષ સેમવાલે પણ બોર્ડ બનાવવાના નિર્ણયનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, અમારો સમગ્ર પુજારી અને સંતમહંત પરિવારમાં આ નિર્ણય સામે ઉગ્ર વિરોધ છે. ચારધામનાં મંદિરોના પરંપરાની સંચાલન જાળવી રાખવાની અમો હિમાયત કરીએ છીએ. જો સરકાર અમારા વિરોધ સામે ઝુકશે નહીં તો વિરોધ કાર્યક્રમનું આયોજન કરવા માટે અમો ટૂંક સમયમાં બેઠક યોજીશું. જ્યારે ઉત્તરાખંડ સરકારના પ્રવકતાઓને હરીદ્વારના ભાજપી ધારાસભ્ય મદન કૌશિકે આ મુદ્દે જણાવ્યું હતું કે, નવું બનનારુ બોર્ડ ચારધામ મંદિરોમાં ચાલતી નિયમિત પુજા પાઠ અને ધાર્મિક પ્રક્રિયામાં ક્યાંય પણ હસ્તક્ષેપ નહીં કરે માત્ર આ મંદિરોમાં આવતા દાનનો યોગ્ય ઉપયોગ કરીને આ શ્રધ્ધા સ્થાનોનો સર્વાંગી વિકાસ કરવા આયોજન કરશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.