Abtak Media Google News

માર્ગ પરિવહન બાદ હવે બંદરોના વિકાસ ઉપર પણ સરકારનું ધ્યાન કેન્દ્રિત : કાચા માલ તથા પ્રોડકટનું પરિવહન સરળ બનાવી ઉદ્યોગોનો ખર્ચ ઓછો કરાવવા સરકારના પ્રયાસો

માર્ગ પરિવહન બાદ હવે બંદરોના વિકાસ ઉપર પણ સરકારે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કાચા માલ તથા પ્રોડકટનું પરિવહન સરળ બનાવી ઉદ્યોગોનો ખર્ચ ઓછો કરાવવા સરકાર પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે સરકાર 1 લાખ કરોડના ખર્ચે બંદરોની કનેક્ટિવિટી સુધારી ઉદ્યોગોને ફાયદો કરાવશે.

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલના જણાવ્યા અનુસાર, કેન્દ્રએ પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાન હેઠળ 100 મહત્વપૂર્ણ પોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ માટે રૂ.1 લાખ કરોડની ફાળવણી કરી છે.

સોનોવાલે જણાવ્યું હતું કે શિપિંગ રૂટ દ્વારા માલસામાનને ખસેડવાની કિંમત હંમેશા સસ્તી હોય છે. શિપિંગ દ્વારા કોલસાની અવરજવરને કારણે વીજળીના વધતા ખર્ચ અંગે પંજાબ દ્વારા ઊભી કરાયેલી ચિંતાઓ પણ દૂર થઈ છે.

સોનોવાલનું મંત્રાલય સાગરમાલાની પ્રગતિ પર નજર રાખી રહ્યું છે, જે પોર્ટ કનેક્ટિવિટી સુધારવા અને દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસની મહત્વાકાંક્ષી યોજના છે.  પ્રારંભિક યોજનામાં રૂ. 5.4 લાખ કરોડના બજેટ અંદાજમાં 802 પ્રોજેક્ટ સામેલ હતા.  આ ઉપરાંત, ગયા વર્ષે મે મહિનામાં યોજાયેલી છેલ્લી સાગરમાલા એપેક્સ બોડીની બેઠક દરમિયાન ₹59,000 કરોડના અંદાજિત ખર્ચ સાથે 567 નવા પ્રોજેક્ટ ઉમેરવામાં આવ્યા હતા.

“આ ગુજરાતથી બંગાળ સુધીની એકંદર કોસ્ટલ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ પ્લાનનો એક ભાગ છે. આમાંથી 220 પ્રોજેક્ટ્સ પહેલાથી જ પૂર્ણ થઈ ગયા છે, 230 પ્રોજેક્ટ્સ અમલીકરણના તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે, જ્યારે બાકીના વિકાસના વિવિધ તબક્કામાં છે.”

આ સિવાય સોનોવાલે કહ્યું કે પોર્ટ કનેક્ટિવિટીને વધુ પ્રોજેક્ટ દ્વારા પણ ટેકો આપવામાં આવી રહ્યો છે.  “1 લાખ કરોડ રૂપિયાના પીએમ ગતિ શક્તિ માસ્ટર પ્લાને 18 ઇન્ફ્રા સંબંધિત મંત્રાલયોને એક બેનર હેઠળ કામ કરવા માટે એકસાથે લાવીને અમને વધુ તકો આપી છે,” તેમણે ઉમેર્યું હતું કે વિવિધ 100 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ વચ્ચે વધુ સારી કનેક્ટિવિટી સહિતની ઓળખ કરવામાં આવી છે.

“આ માટે રૂ. 75,000 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેમાંથી રૂ. 15,000 કરોડ ખાનગી કંપનીઓ પાસેથી આવશે, જે ખૂબ જ પ્રોત્સાહક છે,” સોનોવાલે જણાવ્યું હતું.  કાર્યક્ષમતા સાથે.

કોલસાનું પરિવહન શિપિંગ મારફત કરી રેલવે ઉપરનું ભારણ ઓછું કરાશે

હાલ વીજળીની માંગ મોટા પ્રમાણમાં વધી છે. ત્યારે ભારતીય રેલવે પર દબાણ ઓછું કરવા માટે દરિયાકાંઠાના શિપિંગ માર્ગો દ્વારા કોલસાનું પરિવહન કરાશે. ટૂંક સમયમાં અમે પારાદીપ ( ચેન્નાઇ)થી કાંગલા સુધી પણ શિપિંગ શરૂ કરીશું”. તેઓએ ઉમેર્યું કે અત્યારે કોલસાના પરિવહનનો ખર્ચ વીજળીની કોસ્ટ ઉંચી લઈ જાય છે.ત્યારે શિપિંગ મારફત પરિવહન એ શ્રેષ્ઠ રસ્તો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.