Abtak Media Google News

જોડિયા તાલુકાના કુનડ ગામે સુપ્રસિદ્ધ શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર આવેલું છે.. આ મંદિરની જગ્યાએ દર વર્ષે માગશર સુદ ના આખા મહિના માં જેટલા શનિવાર આવે છે. ત્યારે તે જગ્યાએ ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. અને એક માનવમહેરામણ ઉમટી પડે છે. અને દૂર દૂર થી પદયાત્રા કરી ને હનુમાનજી ના મંદિરે પોતાની માનતા પુરી કરવા માટે અને દર્સન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.. અને આ જગ્યાએ મેળા જેવો માહોલ જોવા મળે છે. અને નાના મોટા ધધા વાળાઓ પોતાના પેટ માટે આવી ધાર્મિક સ્થળો એ જઈ ને રોજગારી મેળવી ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે આ વર્ષે માગશર મહિના ના દર શનિવારે આ જગ્યા ના મહંત અને સ્થાનિક ગ્રામજનો દ્વારા હાલમાં દેશ ભરમાં અને સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા ઊભી થઈ છે તે છે. કોરોના વાઇરસ ની મહામારી ને ધ્યાન માં રાખી ને આ વર્ષે શનિવાર ના દિવસે મંદિરમાં કોઈ પણ પ્રકારની મજૂરી ભક્તો માટે આપવામાં આવશે નહીં… જેની દરેક ભક્તો એ નોંધ લેવા વિનંતી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.