Abtak Media Google News

રહેણાંક વિસ્તારમાં “પ્રોફેશનલ્સ” કામ કરી શકે !!

અત્યાચારી વલણ દાખવવાનું બંધ કરો: હાઇકોર્ટની તંત્રને ટકોર

સામાન્ય રીતે રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ ઉપયોગ કરવાની મંજૂરી કાયદો આપતો નથી અને જે છે તે જુદા જુદા નિયમ મુજબ નિવાસ 3 પ્રકારની મંજૂરી ધરાવતા બિલ્ડિંગમાં ધર્મશાળા, પ્રી સ્કૂલ, હોસ્ટેલ જેવા કેટલાક કોમર્શિયલ યુઝને છૂટ આપવામાં આવી છે ત્યારે હાઈકોર્ટના આ નિર્ણયથી વકીલો અને સીએને રાહત મળશે.

રહેણાંક જગ્યાઓમાંથી કામ કરતા વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જેવા પ્રોફેશનલ્સ માટે મોટી રાહત શું હશે?ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવી જગ્યાઓને સીલ કરવાના અને અલગ દાદર તેમજ પાર્કિંગની સુવિધા અને બિન-રહેણાંકમાં બદલવાની ડેવલોપમેન્ટ પરવાનગીના આગ્રહને ” ગણાવ્યો હતો. એએમસી દ્વારા ફ્લેટ સીલ કરવામાં આવ્યા બાદ સીએ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર કાર્યવાહી કરતા ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ડિવિઝન બેંચે સીલ ખોલવાનો આદેશ આપ્યો હતો. ખંડપીઠે કોર્પોરેશનની કાર્યવાહીને ઘૃણાસ્પદ ગણાવી હતી અને પૂછ્યું હતું કે, ” તો પછી વકીલો, સીએ અને ડોક્ટરો ક્યાં જશે? આ અત્યાચારી છે. અમે તેમને (સીએ) તેમની ઓફિસ ચલાવવાની પરવાનગી આપીશું.” બેન્ચે એએમસી પાસે 2 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે.

ડિવિઝન બેન્ચે 2 મેના રોજ પસાર કરાયેલા સિંગલ જજના આદેશ પર સ્ટે મૂક્યો હતો જેના દ્વારા એએમસીની સીલિંગ કાર્યવાહીને યોગ્ય ઠેરવવામાં આવી હતી. કોર્પોરેશન પોતાની દલીલમાં કોમ્પ્રીહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ-2017(સીજીડીસીઆર)

અને હોસ્પિટલ સહિતની કોમર્શિયલ ઇમારતોમાં ફાયર સેફ્ટી અંગેની જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોને ટાંકીને કહ્યું હતું કે પ્રોફેશનલ વર્ક માટેની ઓફિસ માટે પણ આ અનુસરવાની જરૂર રહે છે.

આ કેસમાં સીએ મયંક જૈન એલિસબ્રિજમાં એરોન રેસિડેન્સીના પહેલા માળે તેમની ઓફિસ ચલાવે છે. તેઓ આ ફ્લેટના 30 ચોરસ મીટરનું રહેણાંક હેતુઓ માટે અને બાકીના અડધા ફ્લેટનું બિન-રહેણાંક હેતુઓ માટેનું ટેક્સ બિલ ચૂકવે છે. માર્ચ 2021 માં, એએમસીએ સીએને નોટિસ આપી હતી અને તેમને પરવાનગી વિના વ્યવસાયિક કાર્ય માટે જગ્યાનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. 18 ડિસેમ્બર, 2021 ના રોજ કોર્પોરેશનના અધિકારીઓએ તેમની ઓફિસને એ આધાર પર સીલ કરી દીધી હતી કે વ્યવસાયિક કાર્ય માટે ફ્લેટનો ઉપયોગ સીજીડીસીઆરનું ઉલ્લંઘન કરે છે અને નિયમોનું પાલન કરવા માટે તેમને એક અલગ દાદર, અલગ પાર્કિંગ સુવિધા અને બિન-રહેણાંક ઉપયોગ માટે બિલ્ડિંગના ઉપયોગની પરવાનગીની જરૂર છે, કારણ કે મકાન નિવાસ-3 કેટેગરીમાં આવે છે. જેનો ઉપયોગ એપાર્ટમેન્ટ, હોસ્ટેલ, ધર્મશાળાઓ, પ્રી-સ્કૂલ અને પોસાય તેવા આવાસ માટે જ થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.