Abtak Media Google News

ભારતમાં રાજકીય સામાજિક શાંતિમાં પલીતો ચાપવાના મનસૂબા ધરાવતા સરહદપાર રહીને દેશના સરહદીય વિસ્તારોમાં અશાંતિ ફેલાવવા માટે ગદ્દારોને હાથો બનાવનારા તત્વો પર  તવાઈ ઉતારી દેશના ગદ્દારો ના ઇરાદાઓ નાકામ કરવા ની રણનીતિ હવે કારગત બની રહી છે,

ખાલિસ્તાની ચળવળ ચલાવનારા તત્વોને પાકિસ્તાન માં બેઠા બેઠા પંજાબમાં રાજકીય અંધાધૂંધી સર્જનાર આઇ એસ આઇ ના આકાઓ ના મુખ્ય સૂત્રધાર ના મનસૂબા નાકામ બનાવવા માં જબરદસ્ત સફળતા મળી હોય તેમ લુધિયાણા બોમ્બ બ્લાસ્ટ સૂત્રધાર ને જર્મન માંથી ઝડપી લેવામાં આવ્યો છે ,તાજેતરમાં જ  છેલ્લા નવ મહિનાથી ચાલતા ખેડૂત આંદોલન કાર્ વચ્ચે છુપાયેલા દેશના ગદ્દારો ની દેશવિરોધી ગતિવિધિઓ સામે આવી છે, ખેડૂતોના નામે દેશમાં અંધાધૂંધી સરજી સરહદ પારના આકાવો અને વિદેશમાં બેઠા-બેઠા ખાલિસ્તાની ઓ ના નામે ચળવળ ચલાવનારા મુખ્ય સૂત્રધાર જર્મની મા પકડાયો છે,

જેના પર લુધિયાણા કોર્ટમાં બોમ બ્લાસ્ટ કરવાનો આક્ષેપ છે તે જસવીદરસિંહ મુલતાની અને આઈએસઆઈ નો પણ હાથો બનાવાયું હતો, ભારતમાં ખાસ કરીને પંજાબ માં ખેડૂત આંદોલન સંગઠનના નામે એકતા સર્જી સતાં હાંસલ કરવા ના કાવતરા કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે, જર્મનીમાં બેઠા બેઠા પંજાબમાં સત્તા હાંસલ કરવા સહિતના મનસૂબા ધરાવતા ખાલિસ્તાન ના આકા જસ્વિંદર ને જર્મનીમાંથી ઝડપી લેવામાં આવ્યો છે, દેશના ગદ્દાર નો સત્તા હાંસલ કરવાનો મનસૂબો નાકામ બનાવવાની આ ઘટના માં જર્મની નાખી ઝડપાયેલા ખાસ કરીને જેનું નામ લુધિયાણા કોર્ટે બ્લાસ્ટ ના મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યું છે તે જસવિન્દ્રસિંહ મુલતાની ને પાકિસ્તાનની આઇએસઆઇ નું પણ પીઠબળ છે સાથે સાથે પોતે સિક્સ ફોર જસ્ટિસ એસ એફ જે સંસ્થા નું સંચાલન પણ કરતો હોવાનું બહાર આવ્યું છે

જર્મનીમાં પકડાયેલ જસ્વિન્દ્ર મુંબઈ જેવા મહાનગરોમાં અરાજકતા અને બોંબ ધડાકાની સાજીસ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે પંજાબના ગુરુ પવનસિંહ ૨૦૨૦ માં ખાલિસ્તાન ચલાવતો હતો તેને જસવિન્દર સાથે કનેક્શન હોવાનું અને ગંભીરસિંહ રાજ એવાલ જેવા ખેડૂત આગેવાનો ને હાથો બનાવીને પંજાબમાં સત્તા કબજે કરવા માટે રાજકીય પક્ષ બનાવીને રાજ્પાલને પંજાબના મુખ્યમંત્રી બનાવવાની સાજીસ જર્મનીમાં કરાતી હોવાનું બહાર આવ્યું છે ભારત સરકાર દ્વારા જર્મની નાખી પકડાયેલા દેશના ગદ્દાર ની તપાસ માં જોડાઈને દેશમાં રહેલા ગદ્દારોને બે નકાબ કરવાની રણનીતિ આગળ વધારવામાં આવી રહી છે

મુંબઈથી યુરોપ સુધીના દેશના ગદ્દાર ઉના કનેક્શન માં પાકિસ્તાનની આઇએસઆઇ અને બબ્બર ખાલસા ના આંતકવાદી હ્રવિંદસિંહ સાધુ જેવા ગદ્દારો નું કનેક્શન બહાર આવ્યું છે ભારતમાં અરાજકતા સર્જી અને પંજાબની સત્તા કબજે કરવાના મનસૂબા નાકામ બન્યા છે ત્યારે આગામી દિવસોમાં જ જસમંદરની તપાસમાં હજુ દેશના કેટલાક વધારાના ગદ્દારો ની મોઢા પરની નકાબ હટશે એવી શક્યતા દેખાઈ રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.