નેપાળના પ્રથમ મહીલા રાષ્ટ્રપતિ વિઘાદેવી ભંડેરી હવાઇ માર્ગે દ્વારકા હેલીપેડ ખાતે પ્રાઇવેટ હેલીકોપ્ટર મારફત પધાર્યા હતા. જયાં તેમનું સ્વાગત જીલ્લા કલેકટર એચ.કે.પટેલ, ધારાસભ્ય પબુભા માણેક, નગરપાલીકા પ્રમુખ નીલાબેન ઉપાઘ્યાય, જીલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા દ્વાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જયાંથી દ્વારકાધીશ જગતમંદીરે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, દ્વારકાધીશ દેવસ્થાન સમીતીના ઉપાઘ્યક્ષ ધનરાજભાઇ નથવાણી, સદસ્યો પરેશભાઇ ઝાખરીયા, હરિભાઇ આધુનિક તથા દ્વારકા શહેર ભાજપ પ્રભારી રમેશભાઇ હેરમા વિગેરેએ તેમનું દ્વારકાધીશનું ઉપરણું ઓઢાડી સન્માન કર્યુ હતું. દ્વારકાધીશ મંદીરે શ્રીજીના દર્શન કરી પાદુકાનું પૂજન કર્યુ હતું. મંદીરના શીખર ઉપર નૂતન ઘ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેમણે શારદામઠની મુલાકાત પણ લીધી હતી. અડધી કલાકના ટુંકા રોકાણ બાદ તેઓ હવાઇ માર્ગે પરત રવાના થયા હતા.
Trending
- પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દિવસના અંતે ક્યાં રાજયમાં કેટલું મતદાન થયું??
- તમારી કારને ખટારા કાર બનવાથી આ રીતે બચાવો
- સોશ્યલ મિડિયા મારફતે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોચાડનાર વિરૂઘ્ધ ફરીયાદ
- સદ્ગુરુએ કોઈમ્બતુરમાં કર્યું મતદાન, દરેકને મતદાન કરવા કરી અપીલ
- ઉનાળામાં અગનવર્ષા સામે ઠંડક આપતું અમૃત પીણું એટલે શેરડીનો રસ
- સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વર્ષે બેઇમાન મોસમ કેરીનો સ્વાદ બગાડશે
- જૈનમની શોભાયાત્રામાં પ્રભુજી ચાંદીના રથમાં કરશે નગરચર્યા
- વિકારનો વિનાશ કરનાર તપ એટલે ‘આયંબિલ તપ’