અમદાવાદ એરપોર્ટ ઉપર બુધવારે બપોરે જાપાનના વડાપ્રધાન પત્ની સાથે આવી પહોચ્યા હતા. આ પહેલા ભારતના વડાપ્રધાન મોદી પણ આવી પહોચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને દેશોમાં PM ખુલ્લી જીપમાં સવાર થઈને એરપોર્ટ ઉપરથી સાબરમતી ગાંધી આશ્રમ પહોંચી ચુક્યા છે.ઉલ્લેખનીય છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે આજે બુધવારથી અમદાવાદ- ગાંધીનગરની બે દિવસની મુલાકાતે આવી ગયા છે. જેના કારણે અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને સાથે શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. ગાંધી આશ્રમ સુધી પહોચ્યાં ત્યારે રસ્તામાં દેશના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરી હતી.સાથે ગાંધી આશ્રમમાં વડાપ્રધાને મેહમાનોને ગાંધીબાપુના ત્રણ વાંદરા વિશે માહિતી આપી હતી.
Trending
- શરદ પવારે NCP-SCPના મેનિફેસ્ટોને આપ્યું ‘એફિડેવિટ’ નામ, ક્યાં ક્યાં મુદ્દાઓનો કર્યો સમાવેશ ??
- હવે હેલિકોપ્ટરથી સાળંગપુર જઈ શકાશે
- હમીર રાઠોડ બાદ રાજુ સોલંકીનું પણ શંકાસ્પદ મોત થતાં રોષ ભભુક્યો
- પારડી નજીક ખોખડદડ નદીમાં નાહવા પડેલા બે કિશોરના ડૂબી જવાથી મોત
- પોલીસ અને ફ્લાઇંગ સ્કવોડનું સંયુક્ત ઓપરેશન : કેશોદના પંચાળા ગામની સીમમાંથી માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું
- રાહુલ ગાંધી 29મીએ પાટણમાં ચૂંટણી સભા સંબોધશે
- પારો ફરી ઉંચકાયો:7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર
- તોબા ગરમી: હવે સ્કૂલનો સમય 11 વાગ્યા સુધીનો કરવાના DEOને આદેશ