ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે આજે બુધવારે અમદાવાદ- ગાંધીનગરની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વડા પ્રધાન મોદી બપોરે દોઢ વાગે દિલ્હીથી અમદાવાદ આવી રહ્યા છે. જ્યારે જાપાની પીએમ તેમના ધર્મપત્ની એકી આબે તથા ડેલિગેશન સાથે જાપાન સરકારના ખાસ એરક્રાફ્ટમાં બપોરે 3.30 વાગે સીધા ટોકિયોથી અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથકે ઉતરાણ કરવાના છે.જાપાનના વડાપ્રધાનનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા અમદાવાદ સજ્જ થઈ ગયું છે. એરપોર્ટ પર નરેન્દ્ર મોદી તેમનું સ્વાગત કરશે. અહીંથી બંને મહાનુભાવોનો રોડ શો શરૂ થશે. ગાંધી આશ્રમ સુધીના આ રોડ શોમાં બંને બાજુ ભારતના તમામ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી કરાવતા નૃત્યો અને કલાનું નિદર્શન થશે. તેમજ અમદાવાદના મુખ્ય માર્ગો પર પોસ્ટરો લાગવામાં આવ્યા છે. તડામાર તૈયારીનો આજે અંત આવ્યો છે.
Trending
- તમારો સીલિંગ ફેન પણ અવાજ કરે છે, આ ઘરેલું ટેકનિકનો ઉપયોગ કરો
- વડાપ્રધાન મોદીએ બિલ ગેટ્સને કહ્યું :અમારા દેશમાં બાળકનો જન્મ થાય છે, ત્યારે AI અને આઈ બંને બોલે છે
- દર શુક્રવારે માતા સંતોષીની પૂજા કરો…ધન, લગ્ન, સંતાન અને ભૌતિક સુખ પ્રાપ્ત થશે.
- જેલમાં બંધ ગેંગસ્ટર મુખ્તાર અંસારીનું હાર્ટ એટેક બાદ મોત
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!