Abtak Media Google News

કોરોના મહામારીને પગલે દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર કોર્ટે રોક ફરમાવી છે. ત્યારે રાજકોટમાં સાદગીથી પણ શુકન સાચવવા માટે રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવામાં આવી છે.

રથયાત્રાનું શુકન પૂરતા પૂજન માટે સવારે 4 વાગ્યે પૂજન કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસરમાં જ 7 વાગ્યે પહિંદ વિધિ કરવામાં આવી હતી. બીજી તરફ ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી.

1 10ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે કોરોના મહામારીને લીધે સરકારે હાલ કોઈપણ ધાર્મિક કાર્યક્રમો, મેળાવડા, સંમેલન કરવા પર મનાઈ ફરમાવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભગવાન જગન્નાથના દર્શન કરવામાં આવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.