કોરોના મહામારીએ સમગ્ર દેશને ભરડામાં લીધો છે. લોકડાઉનથી વેપાર-ધંધાને મોટો ફટકો પડયો છે તો લોકડાઉન બાદ પણ જન્માષ્ટમી, ગણેશોત્સવ વગેરે તહેવારો પર પ્રતિબંધ લાદતા વેપારીઓને મહામંદીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતીઓના ગરબા નવરાત્રી નજીકના દિવસોમાં આવી રહી છે પરંતુ કોરોના સંક્રમણ અટકાવવા લોકોની સુખાકારી માટે સરકારે નવરાત્રી યોજવા પર પણ પ્રતિબંધ મુકી દીધો છે જેથી પ્રાચીચ, અર્વાચીન ગરબા ચાલુ વર્ષે થશે નહિ, અર્વાચીન રાસોત્સવ બંધ રહેતા મોટા આયોજકોને તો નુકશાની વેઠવી જ પડી છે પરંતુ નાના પાયે સંગીત ઇન્સ્ટ્રુમેનટનો ધંધો કરી પેટીયું રડતા ધંધાર્થીઓ- વેપારીઓ માટે આ તહેવાર બંધ રહેતા મહા મુશ્કેલી ઉભી થઇ છે. રામનાથ પરા મેઇન રોડ પર તબલા, ઢોલ, નગારા, મંજીરા, ખંજરી વગેરે સંગીત સાધનો વેચતા અને રીપેરીંગ કરતા રવિન્દ્રભાઇ આ અંગે જણાવે છે કે અમે પેઢીઓથી આ ધંધો કરી રહ્યા છીએ. અમારા ધંધાને પ્રથમ વખત આટલી મોટી નુકશાની આ વર્ષે વેઠવી પડશે, આખો દિવસ દરમ્યાન માંડ ૪ થી પ ગ્રાહક દુકાને રડયુ ખડયુ કામ કરાવવા આવે છે. અને ચા-પાણીનો માંડ ખર્ચો નીકળે છે. નવરાત્રી બાદ પણ તમામ નાના મોટા ફંકશનો બંધ રહેવાના હોય અને હજુ કેટલા દિવસો બાદ ધંધો રેગ્યુલર શરુ થાય તે કહેવું પણ ઘણું મુશ્કેલ છે. (તસવીર: કરણ વાડોલીયા)
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ભાગીદારીમાં સંભાળવું
- તમારા ક્રશને ઇમ્પ્રેસ કરવાની સરળ ટિપ્સ
- શું તમારામાં પણ ફોકસનો અભાવ છે? તો આ 4 ટીપ્સ મદદ કરશે
- પરસોતમ રૂપાલા ઉપર હુમલો થવાની દહેશત?: તંત્રે બંદોબસ્ત વધારવો પડશે!!
- ઈ-ચલણથી બચવા નવો કીમિયો: વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાડી ફરતા 10 ભેજાબાજ ઝડપાયા
- સુપેડી મંદિરમાં ધાર્મિક વિધિઓ ઉપર કોઈ બાધ નહિ રહે, ખોટો દુષ્પ્રચાર બંધ થવો જોઈએ
- પ્રખ્યાત બોલીવુડ અભિનેતા ગોવિંદાની રાજકારણમાં એન્ટ્રી
- સરગુન મહેતાનો સ્ટાઇલિશ પર્પલ લુક