Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શહેર અને જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો

અબતક, રાજકોટ

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શહેર ભાજપ અને  જિલ્લા ભાજપના કાર્યકર્તા સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો . આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવેલ કે આજના ભવ્ય રોડ – શો અને સ્વાગત કાર્યક્રમમાં લોકોએ પ્રેમ – સ્નેહ વરસાવેલ છે.

આ તકે શહેર ભાજપના હોદેદારો , જિલ્લા ભાજપના હોદેદારો , રાજકોટ મહાનગરપાલિકાના હોદેદારો અને જીલ્લા પંચાયતના હોદેદારોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ફુલહારથી ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું . આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કાર્યકર્તાઓને સંગઠનની વિવિધ જવાબદારી અને કામગીરી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપીને રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપીને તેનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું .

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવેલ કે ગુજરાતમાં નાનામોટા ઉદ્યોગો આવે તે માટે સરકાર પ્રયત્ન કરી રહી છે . આ માટે રાજય સરકાર પોલીસી લાવી રહી છે. અને આ પોલીસ વાઈબ્રન્ટ સમિટ પહેલા લાવવા માંગી છીએ . અને રાજય સરકાર નાના ઉદ્યોગોના એકમોને પ્રોત્સાહન આપશે . તેણે વધુમાં જણાવેલ કે રાજય સરકાર પ્રાકૃતીક ખેતીને પ્રોત્સાહન આપે છે અને ખેડુતોએ પ્રાકૃતીક ખેતી પધ્ધતી તરફ વળવુ જોઈએ . ખેતીમાં રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગથી માનવી બીમારીનો ભોગ બને છે.પ્રાકૃતીક ખેતી અપનવવાથી ખાતરમાં અપાતી સબસીડીની રકમ પણ બચશે . તેમણે આ તકે સૌર ઉર્જા ને પવન ઉર્જા તરફ વળવા પણ અનુરોધ કર્યો હતો .તેમણે કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય, લોકોનું કામ લઈને આવે અને એ કામ નિયમ મુજબ હોય તો તે કામ થાય છે કે નહીં તેની તકેદારી રાખવા જણાવ્યું હતું . આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દરેક ઉમેદવાર ચૂંટાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું અને રાજયની 182 ની સીટ પર કમળ ખીલે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો .

આ બેઠકમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી , ગ્રામ વિકાસ મંત્રી અર્જુનભાઈ ચૌહાણ , વાહન વ્યવહાર રાજય મંત્રી અરવીંદભાઈ રૈયાણી , સાંસદોહો મોહનભાઈ કુંડારીયા , રામભાઈ મોકરીયા , રાજકોટ શહેર સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર , શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી , જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા , ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ , લાખાભાઈ સાગઠીયા , કુવરજીભાઈ બાવળીયા , જયેશભાઈ રાદડીયા , મેયર ડો . પ્રદિપભાઈ ડવ , સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી નિતીન ભારઘ્વાજ , રાજકોટ જિલ્લા પ્રભારી રક્ષાબેન બોળીયા , શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી , કીશોર રાઠોડ , નરેન્દ્રસિંહ ઠાકુર , જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી , નાગદાનભાઈ ચાવડા , મનીષ ચાંગેલા , સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ સહીતના ઉપસ્થિત રહયા હતા .

આ તકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેમના વકતવ્યમાં ચાર માસ દરમ્યાન રાજય સરકારે કરેલ કામગીરીની સિધ્ધીઓ વર્ણવી હતી . તેમણે રાજકોટના ભાજપના કાર્યકર્તાઓની કાર્યશૈલીના ખુબજ વખાણ કર્યા હતા . આજે ભવ્યાતિભવ્ય સ્વાગતના કાર્યક્રમનો સંદેશ રાજય અને દેશમાં પહોંચેલ છે .

આ બેઠકમાં મુખ્યમંત્રીને રાજકોટ શહેર ભાજપ , જીલ્લા ભાજપના હોદેદારો , વિવિધ મોરચા – સેલના હોદેદારો , મહાનગરપાલિકાના હોદ્દેદારો , કોર્પોરેટરો , જીલ્લા પંચાયતના સભ્યો અને હોદેદારો , જીલ્લા પંચાયત તાલુકા પંચાયતો અને નગરપાલિકાના સભ્ય , હોદેદારો અને રાજકોટ શહેરના 18 વોર્ડના પ્રમુખ મહામંત્રી , પ્રભારીઓએ તેમનો વ્યકતિગત પરીચય આપ્યો હતો .

આ કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ અને અંતમાં આભાર વિધિ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ કરેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.