- આજથી સુર્યનારાયણ વધુ કાળઝાળ બનશે: પારો 44 ડિગ્રીને પાર થવાની સંભાવના
ગુજરાતમાં રાજકોટ 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. આજથી સુર્યનારાયણ વધુ કાળઝાળ બનશે. રાજયના આઠ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતુ. છોટા ઉદેપુરમાં કમૌસમી વરસાદ પડયો હતો. જેના કારણ કેરી સહિતના પાકને નુકશાનીની ભીતિ સેવાય રહી છે.સૌરાષ્ટ્રના અમરેલી શહેરનું તાપમાન શુક્રવારે 41.1 ડિગ્રી નોંધાયું હતુ. ભાવનગરનું તાપમાન 37.8 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 32 ડિગ્રી, ઓખાનું તાપમાન 32.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 33.2 ડિગ્રી, રાજકોટનું તાપમાન 43 ડિગ્રી વેરાવળનું તાપમાન 31.6 ડિગ્રી, સુર્યનારાયણનું તાપમાન 41.8 ડિગ્રી, મહુવાનું તાપમાન 35.4 ડિગ્રી, કેશોદનું તાપમાન 38 ડિગ્રી, કચ્છના ભુજનું તાપમાન 41.5 ડિગ્રી, નલીયાનું તાપમાન 35 ડિગ્રી, કંડલા એરપોર્ટનું તાપમાન 35.6 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 42 ડિગ્રી નોંધાયું હતુ.
ઉત્તર ગુજરાતના અમદાવાદનું તાપમાન 41.7 ડિગ્રી, ડિસાનું તાપમાન 40.5 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 40.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.7 ડિગ્રી, દક્ષિણ ગુજરાતના વડોદરાનું તાપમાન 39.4 ડિગ્રી, સુરતનું તાપમાન 35.8 ડિગ્રી અને દમણનું તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતુ.
આજથી રાજયભરમાં ગરમીનું જોર વધશે. આગામી ચાર દિવસમાં રાજયના કેટલાક શહેર મહતમ તાપમાનનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોચી જશે. રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર રહે છે. પરંતુ સુર્યાસ્ત બાદ બે ચાર કલાકમાં શહેરનું વાતાવરણ ઠંડુ થઈ જાય છે તે રાજકોટની સૌથી મોટી ખાસીયત છે.
છોટા ઉદેપુરમાં કમોસમી વરસાદ
રાજયમાં એક તરફ આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે. તો બીજી તરફ છોટા ઉદેપૂરમાં સામાન્ય કમૌસમી વરસાદ પડયો હતો.જેના કારણે કેરી સહિતના પાકને નુકશાની થવા પામી છે. સામાન્ય રીતે એપ્રીલ-મે માસમાં રાજયમાં માવઠા પડતા હોય છે. પરંતુ આ વર્ષ માવઠાનો માર એપ્રીલમાં પડયો નથી. મે માસમાં માવઠાનું જોખમ જળુંબી રહ્યું છે.