Abtak Media Google News

મોરારીબાપુ માટે રામમંદિર કરતા પણ માનવ મંદિર અને મનુષ્ય દેવો ભવ:નું વધુ મહત્વ: કોરોનાના પગલે કથા મુલતવી રખાઈ: હવે ૧લી એપ્રિલથી રામકથા શરૂ થશે

દાનની વ્યાખ્યા બદલવાની જરૂર, મંદિરોમાં ધ્વજા ચડાવવાને બદલે ગરીબોનાંછોકરાઓને કપડા સીવડાવી દો: પૂ.બાપુ

રાજયમાં કોરોના રોગચાળો આવે નહીં તે માટે રાજય સરકારે જાહેર કાર્યક્રમો રદ કર્યા છે અને લોકોને પણ જાહેર કાર્યક્રમોકે મેળાવડાબંધ કરવા અપીલ કરી છે ત્યારે અત્રે ચાલતી પૂ. મોરારીબાપુની શ્રી રામકથાની આજે બપોર બાદ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. શનિવારથી શરૂ થયેલી શ્રી રામકથામાં આજે ત્રીજા દિવસે બાપુએ ભકતોને રામકથામાં રસ તરબોળ કર્યા હતા.

Img 20200315 132537623 1

રાજયની પ્રવર્તમાન સ્થિતિ અને જાહેર આરોગ્યને ધ્યાને લઈ સરકારે કરેલી અપીલને માન આપી રાજુલામાં ચાલતી પૂ. મોરારીબાપુની બાકીની શ્રી રામકથા તા. ૧ એપ્રિલ સુધી મુલત્વી રાખવામાં આવી છે. આજે કથા પૂર્ણ થયા બાદ શ્રી રામકથાની પોથીની વિધિવત પૂજા અને અન્ય પરંપરાગત ધાર્મિક કાર્યવાહી ચાર ઋષિપુત્રો દ્વારા કરાશે અને બાકીની કથા તા. ૧ એપ્રિલથી ફરી શરૂ થશે.

કથશ સ્થળે મંડપ વ્યાસપીઠ સહિત તમામ ગોઠવણી એમ જ રહેશે આમ છતાં સરકાર તરફથી એક એપ્રિલ અગાઉ કંઈક અપીલ થશે તો એ મુજબ કથા આગળ ધપશે.

સરકારની અપીલ બાદ લોકોમાં એવી વાતો થતી કે પૂ. બાપુએ કથા મોકૂફ રાખવી જોઈએ જેથી આ શ્રી રામકથા ૧૫ દિવસ સુધી મોકૂફ રાખવાનો પૂ. બાપુએ નિર્ણય જાહેર કર્યો છે.

રાજુલામાં વુંદાવન બાગ રામપરા-૨ તા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના લાર્ભો પૂ.મોરારી બાપુની રામકાના બીજા દિવસે પૂ.બાપુએ રામમંદિર કરતા પણ માનવ મંદિર અને મનુષ્ય દેવો ભવ: વધુ મહત્વનું હોવાનું  જણાવીને હાલની કોરોનાની સ્થિતિમાં જરૂર પડયે કથા બંધ રાખવાનું કહ્યું હતુ. ઉપરાંત તેઓએ દાનની વ્યાખ્યા બદલવાની ટકોર કરતા કહ્યુ હતુ કે મંદિરોમાં ધ્વજા ચડાવવાને બદલે ગરીબોનાં છોકરાઓને કપડા સીવડાવી દો. તેમજ નિ:શુલ્ક દવાખાના હોય તેને મન મુકીને ઉદાર હાથે દાન આપવાની અપીલ પણ કરી હતી. પૂ.મોરારીબાપુએે જણાવેલ કે આરોગ્ય મંદિરનો પાયો, નિવ નિ:શુલ્ક એ તેનો પાયો છે. તેમા ગમે તેટલો મોટા માણસ આવે તેની જે સારવાર થાય તે જ સામાન્ય લોકોની થાય અને નિ:શુલ્ક સારવાર મળે તેવુ જણાવેલ, આરોગ્યએ અમૂલ્ય છે તેનું મુલ્ય ન હોય  જોઇએ. વિદેશીમાં આરોગ્ય સેવા ફી મળે છે પરંતુ તેના બિલ તો સરકાર ભોગવે છે જેથી આરોગ્ય મંદિરનો પાયો અમુલ્ય હોવો જોઇએ. આરોગ્ય મંદિર મૂર્તી અંગે છાણાવટ કરતા પૂ. બાપુએ દાખલ યેલ દર્દીએ આરોગ્ય મંદિરની મૂર્તી છે અને તે જ આ મંદિરનો પ્રાણ છે તેથી જ દર્દી દેવો ભવ: નો મંત્ર છે પરંતું હલામાં હોસ્પિટલનો ધંધો બનાવીને ઊઘાડી લુંટ ચલાવતા હોસ્પિટલમાં તો દર્દી દેવો ભવ: નહી પરંતુ  બીલ જ દેવો ભવ: ચાલી રહ્યુ છે. તેવું પૂ. બાપુએ જણાવેલ છે. પૂ.બાપુએ જણાવેલ કે આમા સુધારો વો જરૂરી છે. પૂે. બાપુએ ડોકટરને આ આરોગ્ય મંદિરનો પુજારી છે. શાસ્ત્રો મુજબ પુજારી વૈરાગી હોવા જોઇએ પૂ.બાપુએ જણાવેલ કે નિષ્ણાંત ડોકટરો આવી નિ:શુલ્ક હોસ્ટિપલમાં પોતાની સેવા આપે તેવુ જણાવેલ પૂ.બાપુએ કરૂણા છે તે તેની આરતી છે વેદાના, સંવેદના જાગે તે ભાવ, સંવેદના પૂર્વક સારવાર તે આર ઓરાગ્ય મંદિરની આરતી છે અને આરોગ્ય તે આ મંદિરનો પ્રસાદ છે. તેવુ પૂ.મોરારી બાપુએ જણાવેલ હતું. તેમ જ તેમણે એવુ પણ જણાવેલ કે, આવા ટ્રસ્ટમાં ઉચ્ચ વિસારો વાળાને જ રાખવામાં તો જ સારૂ કામ ઇ શકે.

તેમજ આજની કામાં ચાર યુગોની સાધના અનુષ્ઠાન વિશે પૂ.બાપુએ જણાવેલ કે, સતયુગમાં ધ્યાન દ્વારા ભગવાનની પ્રાપ્ત થતી આ અંગે પૂ.બાપુએ એવી ટકોર કરી હતી કે ધ્યાન યોગ કરતા પોત-પોતાના ઘરનું ધ્યાન રાખવું ને ધર્મનું કામ છે પ્રેતાયુગમાં યજ્ઞનું મહત્વ જયો ત્રાપર યુગમાં સોઠ સાથે ઉપચારી પૂજા અર્ચનાનું મહત્વ હતું. પરંતુ કલીયુગમાં ફકત રામ નામનો મહિમાં બનાવેલ છે.

1.Monday 2 E1584357404216

પૂ. બાપુએ જણાવેલ ગાંધીજીનો મંત્ર ‘રામ’ નામ તેમજ રામ નામનો મહિમા ચપાર છે. ઘરનું કામ કાજ કરતા-કરતા ‘રામ’ નામનો જાય શ્રેષ્ઠ છે. તેમજ ધાર્મિકતા સાથે સાથે  ઘરનું કાર્ય ને જ શ્રૈષ્ઠ કાર્ય જણાવેલ છે. હાલતા ચાલતા સ્વચ્છ જગ્યામાં ગમે ત્યારે અને ગમે ત્યા ‘રામ’ નામ લઇ શકાય છે.

કથા બાદ સૌને ‘કોરાના વાયરસ’ વિશે સાવચેત રહેવા જણાવેલ હતું.બીજા દિવસે કોગ્રેસના અગ્રણી અર્જૂનભાઇ મોઢવાડીયા તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવિણભાઇ તોગડીયા તથા વિવિધ જગ્યાના સંતો-મહંતો પધારેલ હતાં. આજની રામ કામાં રામપરા-૨ના સરપંચ સનાભાઇ વાધ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરજણભાઇ વાધ, ભચાદ અને કડીયાળીના પૂર્વ સરંપંચો તેમજ ખૂબ મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો, યુવાનો, ભાઇઓ અને બહેનોએ કથા શ્રવણનો લાભ લીધેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.