Abtak Media Google News

બે મહિના પૂર્વે જંક્શન પોલીસ ચોકીની બાજુમાં દીનદહાડે છરીના ઘા ઝીકી હત્યા કરી હતી 

રાજકોટમાં  જંક્શન પોલીસ ચોકીની બાજુમાં જ આવેલા કોમ્પ્લેક્સમાં તાળાં ચાવીની દુકાન ધરાવતા શિખ વેપારી યુવાનની તેના કૌટુંબિક કાકા-ભત્રીજાએ  છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી, હત્યા કરી નાસી છૂટેલા બંને આરોપીને બે મહિના પકચી મથુરામાં પોલીસે પકડી લેતા બંનેનો કબજો મેળવવા પ્ર.નગર પોલીસ મથુરા પહોંચી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટર્સમાં રહેતા અને જંક્શન પોલીસ ચોકીની બાજુમાં આવેલા ગુરુનાનક શોપિંગ સેન્ટરમાં વાહેગુરુ નામે તાળાં ચાવીની દુકાન ધરાવતાં સત્યસિંઘ રઘુનાથસિંઘ રાજુની (ઉ.વ.35) ગત તા.16 નવેમ્બરના પોતાની દુકાને હતા ત્યારે તેનો કૌટુંબિક કાકા-ભત્રીજા ફરજસિંઘ અને તરજીતસિંઘ એક્ટિવા પર દુકાને ધસી ગયા હતા અને બોલાચાલી કરી સત્યસીંઘને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી ત્યાંથી નાશી ગયા હતા.સત્યસિંઘની ભત્રીજા વહુની અગાઉ ફરજસિંઘ છેડતી કરી હતી

ત્યારથી સત્યસીંઘ અને ફરજસિંઘ વચ્ચે માથાકૂટ ચાલતી હતી તે મામલે જ સત્યસિંઘની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. દરમિયાન આરોપીઓને મથુરામાં પોલીસે બે મહિના બાદ પકડી લેતા આરોપીનો કબ્જો લેવા પ્ર.નગર પોલીસ સ્ટેશનનો કાફલો મથુરા રવાના થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.