Abtak Media Google News

પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એટલે દિવસ-રાત થાય છે, પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ રહે ત્યાં દિવસ અને બાકીના ભાગમાં રાત હોય છે

આપણું જીવન અને દિવસ-રાત એકબીજા સાથે વણાઇ ગયા છે. માનવી દિવસે કામને રાત્રે આરામએ એનો નિત્યક્રમ છે. દિવસ-રાત મહેનત કરીને આજનો માનવી પરિવારનું ભરણપોષણ કરે છે. પૃથ્વી પર દિવસ-રાત કેમ થાય છે તે વિષયક ઘણી રોચક વાત છે. દુનિયામાં કયાં રા તો કયાંક દિવસ હોય છે. પ્રાચીન બેબીલોનમાં તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયને દિવસ ગણતા હતા. સાવ સામાન્ય સમજમાં પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, એટલે જ દિવસ-રાત થાય છે. પૃથ્વીનો જે ભાગ સૂર્ય તરફ રહે ત્યાં દિવસ હોય બાકીના ભાગમાં રાત હોય છે. એકબીજા દેશો વચ્ચે પણ સમયમાં ફેરફાર જોવા મળે છે. વર્ષમાં એકવાર સૌથી લાંબો દિવસ કે રાત્રી પણ ભૌગોલિક ખગોળીય ઘટનાને કારણે આવે છે.

પૃથ્વીનો જે ભાગ ફરતો ફરતો સૂર્ય સામે આવે ત્યારે પૃથ્વી પરથી પૂર્વ દિશામાં ક્ષિતિજમાં સૂર્ય ઉગે છે ને સવાર પડે છે. સૂર્ય માથા ઉપર આવે તે સમયને બપોર કે મઘ્યાહન કહે છે. પૃથ્વીના આ એક ચક્રને ર3 કલાક, 56 મિનિટ અને 4.09  સેક્ધડ લાગે છે. એટલે કે ર4 કલાક પુરી થતી નથી પણ આપણે તો ર4 કલાક લેખે જ ગણતરી કરીએ છીએ, આપણે ત્યાં ર1મી જુન સૌથી લાંબો દિવસ અને રરમી ડિસેમ્બર સૌથી ટુંકો દિવસ હોય છે. સામાન્યત: રાત્રીના 1ર પછ બીજો દિવસ ગણાય છે.

આજે સમગ્ર વિશ્ર્વમાં આ પ્રથા ચાલુ છે. એક નવાઇની વાત એ છે કે પૃથ્વીની ફરવાની ગતિ ધીમી પડી છે માટે આગામી વર્ષો બાદ દિવસ લાંબો હશે.

રોમન અને ઇજિપ્તના પ્રાચીન કાળથી મઘ્યરાત્રીએ દિવસની શરૂઆત ગણાય છે. રાત્રીના બાર પછી એક લખાય પણ તેના સ્થાને 13 લખાય છે. રેલ્વે સહીત અનેક સમયપત્રકમાં આ સમય લખવાની પઘ્ધતિ છે. આજની ઘડિયાળ કે મોબાઇલમાં આ પઘ્ધતિ છે. 1ર કે ર4 કલાક અમે આપણે ફેરફાર કરવો પડે છે. એક વાત નકકી છે કે 365 દિવસને 1ર મહિનાનું વરસ જેમાં ચાર માસનો શિયાળો, ઉનાળો અને ચોમાસુ જેવી ત્રણ ઋણુ આવે છે. પૃથ્વીએ સૂર્યથી ત્રીજો ગ્રહ છે.

ધનતા, દળ અને વ્યાસમાં પૃથ્વીએ સૌર મંડળમાંનો સૌથી વધુ જમીન ધરાવતો સૌથી મોટો ગ્રહ છે. જેને વિશ્ર્વ અને ટેરા નામે પણ ઓળખાય છે.

એન્ટાર્કટિકા એટલે કે દક્ષિણ ધ્રુવ પર છ મહિના રાત અને છ મહિના દિવસ રહે છે. ત્યાં ફકત બે જ ઋતુ ઉનાળોએ શિયાળો હોય છે. અહીં સપ્ટેમ્બરથી માર્ચ સુધી દિવસ હોય છે. બાકીનો સમય રાત્રી આપણી પૃથ્વી સૂર્યની ફરતે પ્રતિ કલાકે 107160  કિ.મી. ઝડપે ફરે છે. આને કારણે દિવસ-રાત ઋતુઓ બદલાય છે. આપણો જ ગ્રહ એવો છે જયાં પાણી અને સજીવ સૃષ્ટિ છે. રાત્રે આકાશી નઝારો જોવાની ખુબ મઝા પડે છે. આપણી પૃથ્વી ઉપર એવી પણ જગ્યા છે ત્યાં સૂરજ ઉગતો જ નથી.

વિશ્ર્વના નોર્વે, આઇસલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન, કેનેડા, અલાસ્કા અને નોર્વેની  રાજધાની  ઓસ્લોમાં મે થી જુલાઇ વચ્ચે લગભગ 75 દિવસ માટે સૂર્ય ફકત ચાર કલાક માટે જ દેખાય છે. નોર્વેને મઘ્યરાત્રીનો દેશ પણ કહેવાય છે. આઇસલેન્ડમાં રાત્રે પણ સૂર્ય જોવા મળે છે. આપણાં દેશ ભારતમાં ઉગતા સૂરજની ભુમિ અરૂણાચલ પ્રદેશને કહેવાય છે જયાં સૌ પ્રથમ સૂર્યનો પ્રકાશ આવે છે. અરૂણ એટલે સૂર્ય અને ચલનો અર્થ થાય ઉદય થવો તેથી તેને અરૂણાચલ નામથી ઓળખાય છે. ત્યાંની ડોંગી વેલીની દેવાંગ ઘાટી એવી જગ્યા છે. જયાંનું દિવસ-રાતનું ચક્ર ભારતનાં બીજા રાજયો કરતાં ખુબ જ અલગ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.