Abtak Media Google News

૩૫૦૦થી વધુ માનવ વસ્તી અને પ૦૦૦થી વધુ મુંગા પશુઓ પાણી માટે મારી રહ્યા છે તરફળીયા

ઉનાળાના પ્રારંભે જ હળવદ પંથકના ગ્રામ વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો છે હળવદમાંથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી પીવા અને ખેડૂતો પિયત માટે ઉપયોગ કરતાં હતા. પરંતુ જ્યારથી માળિયા બ્રાન્ચની નર્મદા કેનાલ બંધ કરવામાં આવી છે ત્યારથી પીવાના પાણીની તકલીફ પડી રહી છે. અને છેલ્લા વીસ – વીસ દિવસથી નવા માલણીયાદ ગામમાં પાણી ન મળતા ૩૫૦૦ થી વધુની માનવ વસ્તી અને ૫૦૦૦ અબોલ જીવ માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે તાત્કાલીક અસરથી પિવાના પાણીની સમસ્યા દૂર કરવા તાલુકા વિકાસ અધિકારીને નવા માલણીયાદ ગામના સરપંચ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી હતી.

G05 Learn Issues 02 Waterહળવદ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલથી પાઈપલાઇન દ્વારા પિવાનુ પાણી માલણીયાદ ગામમાં કેનાલ વાટે વિતરણ કરવામાં આવતું હતું પરંતુ ૧૫મી માર્ચથી નર્મદા કેનાલ સરકાર દ્વારા એક ઝાટકે બંધ કરી દેતાં “પાણી માટે પાણીપત” જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પશુપાલન કરવા વાળા ખેડૂતો પણ પાણી માટે આકરાં દિવસો વ્યતિત કરી રહ્યા છે.

પશુપાલન કરતાં ખેડૂતોને પોતાના મુગાં પશુઓને પાણી માટે અવેડા અવેડા ભટકવું પડે છે જેથી પશુઓ પણ પાણી માટે ભાભરડા પાડીરયા છે. ગામમાં પાણી માટે બોરવેલ છે પરંતુ પાણી પિવાલાયક ન હોવાથી ગ્રામજનોને પાણી માટે વલખાં મારવા પડે છે તદ્ઉપરાંત હજૂ તો ઉનાળાની શરૂઆતમાં જ લોકો પાણીની મહામારીની સમસ્યાથી પરેશાન થવા પામ્યા છે ત્યારે ૪૧ ડીગ્રી તાપમાનની કાળઝાળ ગરમીમાં કેવી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે તે યક્ષ પ્રશ્ન નવા માલણીયાદના ગ્રામજનોને સતાવી રહ્યો છે. ત્યારે આ બાબતે તાત્કાલિક ધોરણે પિવા લાયક પાણી આપવા માટે સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

૩૫૦૦ની વસતીવાળા માલણીયાદ ગામ પાણી માટે તરસી રહ્યુ છે : સરપંચ

6585Ba33 37E0 4083 8Fbfઆ અંગે માલણીયાદ ગામના સરપંચ થોભણભાઇ કણઝરીયાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં બે બોરવેલ છે પરંતુ બેમાંથી એકજ ચાલુ છે અને એક મોટરથી આખા ગામમાં પાણી મળી શકતું નથી જેથી ગામમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થવા પામી છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા ગામમાં બીજા બોરવેલ માટે મોટર, કેબલ વગેરે ફાળવવામાં આવે તેમજ બોરવેલ ચાલુ કરાવી પિવાલાયક પાણી આપવામાં આવે તેવી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

૫૦૦૦થી વધુ મુંગા પશુધનો પાણી માટે તરસે છે પશુપાલકો

Anindianfarmછેલ્લા ર૦ દિવસથી માલણીયાદ ગામની પાસેથી પસાર થતી કેનાલમાં પાણી નહિવત થતાં પશુપાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ બાબતે પશુપાલકોએ જણાવ્યું હતું કે, ૫૦૦૦થી વધુ પશુધન પાણી માટે દુરદુર ખાલીખમ ભાસતા અવાડામાં પણ ટીપું ય પાણી ન હોવાથી તરસી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.