Abtak Media Google News

આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતુ, પરંતુ પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેમકે પપૈયાં આ સમગ્ર ઝાડની અંદર તથા તેની અંદર અમુક એવા ગુણો છે કે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. અને તે તમારા શરીરના અનેક પ્રકારના રોગોને દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. પપૈયું કાચું હોય કે પાકું બંને રીતે આપણા શરીરને ખૂબ ફાયદાકારક સાબિત થતું હોય છે, કેમકે પપૈયાં ની અંદર રહેલા વિટામીન્સ અને મીનરલ્સ તમારા શરીરને કાયમી માટે સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.

પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં પપેન નામનું પદાર્થ મળી રહે છે. જે તમે ખાધેલો ખોરાક પચાવવામાં ખુબ મદદરૂપ સાબિત થાય છે. અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે તમારું પાચનતંત્ર વધુ મજબૂત બને છે અને જેથી કરીને તમારા શરીરની કેટલી બીમારીઓ દુર રહે છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ પપૈયાનું સેવન કરવાના કારણે થતા અમુક ફાયદાઓ વિશે :

  • પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમારી આંખોને લગતી દરેક સમસ્યાઓ દૂર થાય છે અને તમારી આંખોની રોશની વધુ મજબૂત બને.
  • પપૈયા ની અંદર અમુક એવા પોષક તત્વો હોય છે કે તેનું સેવન કરવાના કારણે તમારું પાચનતંત્ર વધુ મજબૂત બને છે. અને તેને કારણે તમે ખાધેલો ખોરાક ખૂબ આસાનીથી પચી જાય છે જેથી કરીને તેમને ગેસ અને અપચા જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
  • આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને રેચક માનવામાં આવે છે. અને આથી જ પપૈયાનું સેવન કરવાના કારણે તમને જૂનામાં જૂના કબજિયાતની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે અને તમારી પાચનશક્તિ મજબૂત બને છે.
  • નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે પપૈયાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમકે પપૈયાં ની અંદર રહેલાં પોષક તત્વો તમારા બાળકના વિકાસ માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થાય છે.
  • પપૈયા ની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીન-એ તથા વિટામિન સી હોય છે. જે તમારા શરીરની અંદર જામેલ વધારાના કોલેસ્ટ્રોલને દૂર કરે છે અને આથી તમને અને ને લગતી દરેક સમસ્યાઓમાં રાહત મળે છે.
  • પપૈયાનું સેવન કરવાના કારણે તમારા પાચનતંત્ર સાફ થઈ જાય છે. અને તેની અંદર જામેલો જૂનો કચરો દૂર થઈ જાય છે અને આથી તમારું પાચનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે, અને તમારું પાચનતંત્ર વધુ મજબૂત બને છે.
  • પપૈયા નો છુંદો કરી અને તેના દ્વારા તમારા ચહેરાને સાફ કરવામાં આવે તો તેના કારણે તમારા ચહેરા ઉપર રહેલા બ્લેકહેડ પણ દૂર થઈ જાય છે. અને સાથે-સાથે ખીલના ડાઘ પણ દૂર થઈ જાય છે અને ત્વચા એકદમ ચમકદાર બની જાય છે.
  • પપૈયાનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર અમુક એવા પોષક તત્વો ઉત્પન્ન થાય છે. જે તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ કેન્સરની ગાંઠ હોય તો તે કેન્સરના કોષોને વધતા અટકાવે છે અને તમને કેન્સરની સમસ્યામાંથી રાહત અપાવે.
  • પપૈયાનું સેવન કરવાના કારણે તમારું લીવર વધુ મજબૂત બને છે. અને લીવરમાં કોઈપણ જાતની સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે.
  • પપૈયા ના બીજ ને વાટી અને તેનું સેવન કરવાના કારણે તમારા શરીરની અંદર કોઈપણ જાતના કૃમિ અથવા તો પેટ માં કોઈપણ જાતના કૃમિ થયા હોય તો તે દૂર થઈ જાય છે. અને નાના બાળકોને કૃમિની સમસ્યા માંથી છુટકારો મળે છે.
  • પપૈયાના પાનનો રસ જો ડેન્ગ્યુના દર્દીને પાવામાં આવે તેના કારણે તેના શરીરના પ્લેટલેટ કાઉન્ટ માં વધારો થાય છે અને તેને ડેન્ગ્યુની સમસ્યામાંથી છુટકારો મળે છે.
  • સાંધાના દુખાવામાં જો પપૈયાના પાનના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે કોઈપણ પ્રકારની સાંધાના દુખાવાની સમસ્યા દૂર થઈ જાય છે.
  • આમ પપૈયાનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય છે. અને આથી જ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર પપૈયા ના ઝાડ ને સર્વ શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.