Abtak Media Google News

તમામ સમાજના આગેવાનો રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ: વર્ધન મહાદેવ કે વધર્માન મહાવીર પરથી વઢવાણ નામ પડયું હોવાની માન્યતા

ગિરનાર પછીનો સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભૂભાગ એટલે વઢવાણની આ પવિત્ર ભોમકા, વઢવાણ એવું ગામ નામ વર્ધન મહાદેવ કે વર્ધમાન મહાવીર પરથી પડ્યું છે. જે 2500 વર્ષથી પણ વધુ પ્રાચિન હોવાનુ મનાય છે.  ત્યારે ઋષીપાંચમે વઢવાણનો સ્થાપના દિવસ માનીને એક દાયકાથી તેની ઉજવણી કરાય છે. જે અંતર્ગત વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા વઢવાણ ભોગાવો નદીની આરતી સાંજે 5 કલાકે શનિમંદિરે ક્રયહતી.જેમાં વઢવાણના અસ્તીત્વ અને ગૌરવને બચાવવા વઢવાણ વાસીઓ દ્વારા સંકલ્પ લેવાયો હતો આ તકે અમિતભાઈ કંસારા દશરથસિંહ અસવાર ગઢવી બનેસંગભાઈ વગેરે એ વઢવાણ નો શિલાલેખ નું પૂજન કરાયું હતું જ્યારે મહાઆરતીમાં રાજકીયપક્ષાપક્ષીથી દુર રહી તમામ સમાજના આગેવાનો રાજકીય પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

મૈત્રકરાજ્યમાં વઢવાણ જિલ્લાનો દરજ્જો ધરાવતું હતું. વઢવાણનગર તેના ઐતિહાસિક ઘટનાઓથી જાણીતું છે. ઈ. સ. 115 માં રાણકદેવીનું વઢવાણ ભોગાવામાં સતી થવું, ઈ. સ.1300માં બત્રીસ લક્ષણનો ભોગ લેતી સુપ્રસિદ્ઘ માધાવાવનું સર્જન, 1305માં પ્રબંધ ચિંતામણી નામના મહાન ગ્રંથનું વઢવાણમાં સંપાદન, 1820માં કવિ દલપતરામનો જન્મ, 1921માં ગાંધીજીના હસ્તે વઢવાણમાં ઘરશાળાની સ્થાપના, 1945માં વઢવાણ કેમ્પને સુરેન્દ્રનગર નામ અપાયું. આ તમા ઘટનાઓ વઢવાણની ઐતિહાસિકતા સિદ્ઘ કરે છે.

પાટણના રાજવી સિદ્ઘરાજ જયસિંહ રાખેંગારને મારીને રાણકદેવીને જૂનાગઢ લઈ જતો હતો ત્યારે રાણકદેવી વઢવાણના ભોગાવામાં સતી થઈ. આ વખતે દૂહો રચાયો હતો કે, વારુંનગર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે, ભોગવતો રાખેંગાર હવે ભોગવ ભોગાવાના ધણી  ઉજ્જૈનના પ્રખ્યાત રાજવિક્રમ બાપા ગધર્વસને વઢવાણમાં રાજ કર્યું હતું એમ કહેવાય છે કેમ કે, ગધૈપીળી નામનું એક તળાવ જેનું બીજું નામ ફાટસર ત્યાં પૂર્વાભિમુખના સ્વંયભૂ ગણેશની ચર્તુભૂજ આજે પણ બેઠી છે. આ ગણપતિ ફાટસર તળાવ પાસેથી કુંભાર લોકો તેમજ અન્ય લોકો મકાન માટે માટી ખોદે છે.

ત્યારે કોઈવાર ઉંડે ઉંડે માટીની ખાણમાંથી ગધૈયા સિક્કા મળી આવે છે. કલ્પસૂત્ર નામ જૈનશાસ્ત્રમાં જણાવ્યું છે કે, અસ્થિગ્રામ નામના આ સ્થળે ભગવાન મહાવીર પધાર્યા, રાતભર શૂણપાણ યજ્ઞને ઝઝુમતો રહેવા દઈ મહાવીરે તેના કૃપા કરી તેનો ઉદ્ઘાર કર્યો ત્યારબાદ આ સ્થળ વર્ધમાનપુર તરીકે નામાભિધાન પામ્યું જે કાળક્રમે અપ્રભંશ થતા આજે વઢવાણ તરીકે ઓળખાય છે. ઝાલાવાડના સમર્થ વાર્તાકાર બચુ ગઢવી વારંવાર કહેતા કે, વાલી વઢવાણની જોક, મરે પણ મારે નહી, બાધે બધા લોક, વઢે પણ વેડે નહીં. હળવદના રાજચંદ્રસિંહજીના પાટવી કુંવર પૃથ્વીરાજજીએ સામંત તળાવમાં પાણી પાતા ઘોડા પાસે શિયાણીના દરબાર અદાજીના ઘોડા ઉ5ર ચાબૂક ના ઘા કર્યા તે વાતની રાજ સાહેબને ખબર પડતાં ઠપકો આપ્યો.

આથી, પૃથ્વીરાજજી ગુસ્સે થઈ ત્યાંથી નીકળી વઢવાણમાં સંવત 1660માં જુદું રાજ્ય સ્થાપ્યુ. ચંદ્રસિંહજીને દાજીરાજ અને બાલાસિંહજી એમ કુંવરો હતા. જેમાં દાજીરાજે સને 1881માં રાજ્યની લગામ હાથ લીધી હી. 5 મે 1885ના રોજ દાજીરાજ સ્વર્ગસ્થ થયા તેમજ પછી બાલસિંહજી, ત્યારબાદ જશવંતસિંહજી, પછી જોરાવરસિંહજી અને છેલ્લે સુરેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા હતા.

આ સમયે ભારતને આઝાદી મળી અને રજવાડાઓનું વિલીનીકરણ થયું. જશવંતસિંહના નામ 5રથી જોરાવરસિંહ અને સુરેન્દ્રસિંહજીના નામથી સુરેન્દ્રનગર શહેરનું નામ પડ્યું છે. 1948માં વઢવાણ રાજધાનીનું શહેર હતું તે સમયે વઢવાણ તાલુકાનું મુખ્ય મથક બન્યું હતું. વઢવાણ શહેરમાં મહાવીર સ્વામીની દેરી, રાણકદેવીનું મંદિર, ગંગાવાવ, માધાવાવ, ગણપતિ ફાટસર, હવા મહેલ, ચંદ્રવિલાસી મહેલ, પાડા મસ્જિદ, કાનેટી હનુમાન, નકટી વાવની મેલડીમાનું મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે. વર્ધમાનપુરીમાં યશોભૂષણ સર્વદા વર્ધમાનમ્ સૂત્ર ગુંજતું હતું.

વઢવાણ શહેરમાં બ્રાહ્મણો મોટા ભાગે વાઘેશ્વરી ચોક તરફ, માધાવાવ તરફ મોચી, ખાંડીપોળ ખત્રીની કહેવાતી, મુસ્લિમ રહેતાં તેને કસ્બો કહેવાતો, વોરાજી રહેતા તે વિસ્તારને વોરાવાડ, લીંબલીપા, લાખુપોળ, દીવાન ડેલીમાં સોની અને વાણિયા રહેતા, ભરવાડો ખારવાની પોળ બહાર તેમજ  અને સતવારા શિયાણીની પોળ બહાર રહેતા હતા. વઢવાણ એ સમયે બાવન બજારનો બાવટો ગણાતું હતું. વઢવાણ શહેર જ્યારે વર્ધમાનપુર તરીકે ઓળખાતું ત્યારે યશોભૂષણ સર્વદા વર્ધમાનમ્ સૂત્ર ગુંજતું હતું. આજે પણ વઢવાણની અસ્મિતાને ચાહનાર આ સૂત્રે સાર્થક કરી રહ્યા છે. હાલ વઢવાણ માત્ર ઐતિહાસિક બની ગયું છે.. વઢવાણ બજારો સુમસામ બની ગયા છે. વેપાર-ધંધામાં સુરેન્દ્રનગરમાં થઈ ગયા છે. વર્તમાન વઢવાણ માત્ર ભૂતકાળને યાદ કરીને ભવિષ્ય તરફ મીટ માંડીને રહ્યું છે.આમ, રાણકદેવી સતીકથા, ભગવાન મહાવીર અસ્થિગ્રામ નામના સ્થળે શુણપાણ યજ્ઞને ઝઝુમતો રાખવાની હવામહેલ, પાડા મસ્જિદ, કાનેટી હનુમાન, શહેરના છ દરવાજા અને કારડીયા રાજપૂતો તથા કંસાર દરબાર ગઢના વિવિધ ઈતિહાસોની કથા આ નગર સાથે સંકળાયેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.