Abtak Media Google News

બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અંગે હમણાં એકાદ-બે દિવસથી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જ્યાં એક બાજુ તમામ નાના-મોટા લોકો યથાયોગ્ય કોવિડ રિલીફ ફંડમાં દાન કરીને સહયોગ આપી રહ્યા છે ત્યારે બચ્ચન શું ફક્ત ’બોલ બચ્ચન’ જ કરશે? તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું હતું. ત્યારે આ અંગે અમિતાભે મૌન તોડીને કહ્યું છે કે, હાલ સુધીમાં અમિતાભે કોરોના સંક્રમણને કાબૂમાં લેવા રૂ. 15 કરોડનું દાન કર્યું છે.

અમિતાભ બચ્ચન અંગે જે તર્ક-વિતર્ક ચાલી રહ્યા હતા તેનો અંત આવ્યો છે. તેમણે હાલ સુધી કુલ રૂ. 15 કરોડનું દાન કરી દીધું છે. જો કે, મુદ્દાની વાત એ છે કે, દાન કરવું સારી બાબત છે પણ દાન કર્યાનો  ઢંઢેરો ગામમાં પીટવો એ દાનનું અપમાન ગણવામાં આવે છે. આવા સંસ્કારો લોહીમાં જ હોય છે. મૂંગા મોઢે કાર્ય કરવાની મજા જ કંઈક અલગ છે અને અમિતાભનો અંદાજ પણ કંઈક આવો જ છે. જેના કારણે તેમણે કોરોના સંક્રમણને અટકવવાની પ્રવૃત્તિઓ માટે આપેલા દાન અંગે કોઈ તસવીર જારી ન કરી હતી જેથી એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, બચ્ચન ફક્ત ’બોલ બચ્ચન’ કરે છે. ત્યારે આ ચર્ચાઓના અંત માટે અંતે બચ્ચને કહ્યું કે, તેમણે હાલ સુધી રૂ. 15 કરોડનું દાન કર્યું છે.

અમિતાભ બચ્ચન પોતાની ટીકાથી ઘણાં જ નારાજ છે. કોવિડ-19  દરમિયાન અમિતાભ બચ્ચને ડોનેશનની યાદી શેર કરી છે. તેમણે અનેક સંસ્થા, હોસ્પિટલમાં દાન આપ્યું છે. આ લિસ્ટ શેર કરતાં સમયે તેમને ઘણી જ શરમ આવે છે, પરંતુ આમ કરવા પાછળનું મોટું કારણ પણ બતાવ્યું છે. બિગ બીએ કહ્યું હતું કે, તેમને રોજ મળતી ગાળો તથા અપમાનજનક ટિપ્પણીઓની ગંદકીનો સામનો કરવાને બદલે આ લિસ્ટ પહેલાં જ શેર કરી દેવાની જરૂર હતી. અમિતાભે કહ્યું હતું કે તેમણે 15 કરોડ જેટલી રકમ ડોનેટ કરી છે. અમિતાભે કહ્યું હતું, ’હા હું ચેરિટી કરું છું, પરંતુ ક્યારેય આ વાત કોઈને કહેવી જરૂરી લાગી નહીં. આ બહુ જ શરમજનક છે. પરંતુ મારા માટે આજે આ વાત બતાવવી પ્રાસંગિક બની ગઈ છે. રોજ ગાળો, ભદ્દી કમેન્ટની ગંદકી પર મારું તથા મારા પરિવારનું ક્યારેય ધ્યાન ગયું નહોતું. સમજદારી આ જ છે કે આ તો થતું રહે છે. આથી તમારું કામ કરતા રહો. કોઈને કહો નહીં, માત્ર મેળવનારને ખબર હતી અને વાત ત્યાં જ પૂરી થઈ જતી હતી.’ આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશના 1500થી વધુ ખેડૂતોની બેંક લોન મેં ચૂકવી અને તેમને આત્મહત્યા કરતાં બચાવ્યા. 300થી વધુ લોકો આવી શક્યા નહીં, 50 લોકો માટે ટ્રેનનો કોચ બુક કરાવ્યો. તેમને મુંબઈ બોલાવ્યા, બસ મોકલી, મુંબઈ દર્શન કરાવ્યા, ઘરે બોલાવીને જમાડ્યા તથા લોન કેન્સલના સર્ટિફિકેટ આપ્યા અને તેમને મારા ખર્ચે જ ઘરે મોકલ્યા.

વીર શહીદ જવાનોની યાદી મગાવવામાં આવી અને તેમના પરિવાર, પત્ની તથા તેમના બાળકો, કેટલીક ગર્ભવતી શહીદ વિધવાઓને જરૂર પ્રમાણે મદદ કરી. પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને જનક બંગલે બોલાવ્યા. અભિષેક-શ્વેતાના હાથે મદદ આપી.

ગયા વર્ષે કોરોના દરમિયાન ચાર લાખ રોજમદાર શ્રમિકોને એક મહિનાનું કરિયાણું આપ્યું. શહેરમાં પાંચ હજાર લોકોને રોજ બે ટાઈમ ભોજન આપ્યું. ફ્રન્ટ લાઈન વોરિયર્સ તથા હોસ્પિટલ્સને હજારો માસ્ક, પીપીઈ કિટ, સેનિટાઈઝર આપ્યા. મારા અંગત ફંડમાંથી શિખ સમુદાયને ડોનેશન આપ્યું. આ સમુદાયે શ્રમિકોને તેમના ઘરે પરત મોકલવામાં મદદ કરી હતી. આ બસને ચલાવનારા મોટાભાગના ડ્રાઈવર શિખ હતા. શ્રમિકો જ્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે અનેકની પાસે પગમાં ચંપલ નહોતા. અનેક લોકોને ચંપલ આપ્યા. ઉત્તર પ્રદેશ-બિહારના અનેક જિલ્લા માટે 30 બસો બુક કરી. પૂરી યાત્રા દરમિયાન ભોજન-પાણી આપ્યું.

મુંબઈથી ઉત્તર પ્રદેશ જતી આખી ટ્રેન બુક કરી, જેમાં 2800 પ્રવાસીઓને મોકલ્યા. તે તમામને મારા ખર્ચે મોક્યા. જ્યારે રાજ્યોએ ટ્રેન કેન્સલ કરી તો તરત જ 3 ચાર્ટર ઈન્ડિગો પ્લેનના માધ્યમથી પ્રવાસીઓને ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન તથા જમ્મુ કાશ્મીર મોકલ્યા.જેવો વાઈરસનો પ્રકોપ વધ્યો એટલે બંગલા સાહિબ ગુરુદ્વારાને એક આખું ડાયગ્નોસ્ટિક સેન્ટર આપ્યું. મારા નાના-નાની તથા માતાની યાદમાં એમઆરઆઈ તથા સોનોગ્રાફી મશીન આપ્યું. 450 બેડનું એક કેર સેન્ટર સેટ અપ માટે રકાબગંજ ગુરુદ્વારામાં ડોનેશન આપ્યું. ઓક્સિજન ક્ધસન્ટ્રેટર્સ ટૂંક સમયમાં મોકલવામાં આવશે. દિલ્હીમાં જરૂર વધારે છે તો ત્યાં અને થોડાંક મુંબઈમાં. 50 ઓક્સિજન ક્ધસન્ટ્રેટર્સ પોલેન્ડથી 15 મે સુધીમાં આવી જશે. બાકી 150 અમેરિકાથી આવશે. ઓર્ડર કરવામાં આવ્યા છે. કેટલાંક હોસ્પિટલને પણ મોકલવામાં આવ્યા છે. મુંબઇ મહાનગરપાલિકાને વેન્ટિલેટર્સની જરૂર હતી તો મેં 20 મગાવ્યા, 10 આવી ગયા છે. જુહૂ લોકેશનમાં 50 બેડની હોસ્પિટલ બની રહી છે, તો તેના સેટઅપ માટે ડોનેશન આપ્યું. નાણાવટી હોસ્પિટલને ગયા અઠવાડિયે 3 કોવિડ ડિટેક્શન મશીન ડોનેટ કર્યા. શહાની ઝૂંપડપટ્ટી તથા ગરીબ વસ્તીના હજારો લોકોને ભોજન મોકલી રહ્યો છું. બે બાળકોને દત્તક લીધા છે. આ બંને બાળકોના પેરેન્ટ્સ કોરોનામાં ગુજરી ગયા હતા. આ બંને બાળકોને હૈદરાબાદના અનાથાશ્રમમાં મોકલ્યા છે. તેમનો અભ્યાસનો ખર્ચ હું ઉઠાવી રહ્યો છું. ધોરણ 10 બાદ જો તેઓ સ્કોલર રહ્યાં તો આગળનો ખર્ચ પણ હું જ ઉઠાવીશ.

 

હાલ સુધી દાન કરેલા રકમની યાદી જાહેર કરતા અમિતાભ

બચ્ચને હાલ સુધીમાં જે દાન કર્યું છે તેની સમગ્ર યાદી જાહેર કરી છે. જેમાં મુંબઇ મહાનગરપાલિકાને આપેલા 20 વેન્ટિલેટર, 3 કોવિડ ડિટેક્શન મશીનનો સમાવેશ થાય છે. કુલ 200 ઓક્સિજન ક્ધસન્ટ્રેટર્સ, એમઆરઇ અને સોનોગ્રાફી મશીન, પરપ્રાંતિ 2800 શ્રમિકો માટે આખી ટ્રેન અને ચાર ચાર્ટર્ડ ફ્લાઇટથી વતન મોકલ્યા, 30 બસ બુક કરીને શ્રમિકોને વતન પહોંચાડ્યા, ચાર લાખ રોજમદાર શ્રમિકોને એક માહિનાની રાશન કીટ સહિતના દાનનો ઉલ્લેખ અમિતાભે કર્યો છે.

દાન મૂંગા મોઢે કરવાનું હોય, ઢંઢેરો પીટવાનો કોઈ મતલબ નથી: બચ્ચન

બચ્ચને કહ્યું કે, હું કેટલું દાન કરું છું તે મારે કોઈને કહેવાની જરૂર નથી. દાન હંમેશા મૂંગા મોઢે જ કરવાનું હોય છે અને જો કોઈ વ્યક્તિ દાન કરીને ગામમાં ઢંઢેરો પિટે તો તે દાનનો કોઈ મતલબ રહેતો નથી. જેથી હું દાન કરવામાં માનું છું નહીં કે, ઢંઢેરો પીટવામાં. જો કે, અંતે મારે આજે પરિસ્થિતિને આધીન આ યાદી જાહેર કરવી પડી તે પણ એક શરમજનક બાબત છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.