Abtak Media Google News

શ્રી વલ્લભ ગ્રુપ દ્વારા હોલી રસીયા ફુલફાગ ઉત્સવ બાલભવન ખાતે યોજાયો હતો જેમાં વ્રજના સુવિખ્યાત કલાવૃંદ દ્વારા હોલીના રસીયા અને ધમાર તા ફુલફાગનો ભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો. આ મહોત્સવમાં ધારાસભ્ય ઈન્દ્રનીલભાઈ રાજયગુરુ, કાશ્મીરાબેન નવાણી તેમજ સોની સમાજના શ્રેષ્ઠીઓ અને રંગરસીયાઓ બહોળી સંખ્યામાં ફુલફાગ ઉત્સવનો લાભ લીધો હતો. સામાન્ય રીતે આ રીતે ધુળેટી વ્રજમાં રમાતી હોય છે. શહેરીજનો ફુલફાગ ઉત્સવનો લ્હાવો માણી શકે તે માટે શ્રી વલ્લભ ગ્રુપ દ્વારા આ વખતે રાજકોટના આંગણે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આજ બિરજ મેં હોળી હૈ રસીયા’ જેવા પદ સો રંગરસીયાઓ ઝુમી ઉઠયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.