લાલા લાજપતરાય ભારતમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ લડવા વાળા મુખ્ય ક્રાંતિકારીઓ પૈકી એક હતા. તેઓ પંજાબ કેસરી (પંજાબનાં સિંહ) નામે ઓળખાતા હતા. તેમનો જન્મ 28 જાન્યુઆરી,1865નાં રોજ દુધીકે ગામે થયો હતો. જે હાલમાં પંજાબના મોગા જિલ્લામાં સ્થિત છે. લાલાજી મુનશી રાધાકિશન આઝાદ અને ગુલાબ દેવીના સૌથી મોટા પુત્ર હતા. તેમના પિતા લાલા રાધાકૃષ્ણ અગ્રવાલ અધ્યાપક અને ઉર્દુનાં પ્રસિદ્ધ લેખક હતા. આથી બાળપણમાં જ લાલા લાજપતરાયને લેખન અને ભાષણ પ્રત્યે ખૂબ જ રૂચી રહેતી હતી. બાળપણમાં તેમને માતાના ઉચ્ચ મૂલ્યોની શિક્ષા મળી હતી. પ્રાથમિક શિક્ષણ સ્થાનિક શાળામાં પૂરું કરીને આગળ અભ્યાસ માટે લાલા લજપતરાય લાહોર ગયા. અહીં તેમણે વકીલાતનો અભ્યાસ કર્યો અને ત્યારપછી વકીલાત શરૂ કરી દીધી. લાલાજીએ 12 વર્ષની વયે દયાનંદ સરસ્વતીનાં પ્રવચનો સાંભળ્યા અને હિંદુ ધર્મની સેવા કરવાનો દ્રઢ નિશ્વય કર્યો. વ્યવસાય અને અભ્યાસની સાથોસાથ લાલા લજપતરાયે સેવાનું કામ કર્યું. તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. લાલ, બાલ, પાલની ત્રિપુટી લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ ‘લાલ, બાલ, પાલ’ તરીકે ખ્યાતિ પામ્યા. આ ત્રણેય બહાદુરોએ ભારત દેશની સંપૂર્ણ સ્વતંત્રતા માટેની માંગ ઉઠાવી હતી. પંજાબ કેસરી સ્વામી દયાનંદ સરસ્વતી સાથે મળીને લાલા લજપતરાયે પંજાબમાં આર્ય સમાજને લોકપ્રિય બનાવ્યો. લાલાજી 1886માં લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપનામાં મોખરે રહ્યા. જેમાં કોલેજમાં ભગતસિંહ જેવા યુવાન ક્રાંતિકારીઓ ભણ્યા હતા. 30 ઓક્ટોબર, 1928નાં રોજ સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે અંગ્રેજોએ તેમના ઉપર લાઠીચાર્જ કર્યો. લાલાજીની શહાદતનો બદલો લેવા માટે ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરૂ જેવા ક્રાંતિકારીઓએ અંગ્રેજો સામે શસ્ત્રો ઉપાડ્યા. લાલા લજપતરાયે કહ્યું હતું, ‘મારા શરીર પર પડેલો લાઠીનો એક ફટકો બ્રિટિશ સરકારના કોફીન પર એક ખીલાનું કામ કરશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો