Abtak Media Google News

વંધ્યત્વ  વૈશ્વિક સ્તરે અંદાજિત 15 ટકા યુગલોને અસર કરે છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં પણ વધુ સ્પષ્ટ છે.  ડબ્લ્યુ.એચ.ઓ મુજબ ભારતમાં પ્રજનન વયના ચારમાંથી એક યુગલને ગર્ભવતી થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ખૂબ જ ભાવનાત્મક અને સામાજિક કલંક સાથે આવે છે. તેથી મોટાભાગના યુગલો તેમની પ્રજનન ક્ષમતાના મુદ્દાઓની ખુલ્લેઆમ ચર્ચા કરવામાં અચકાતા હોય છે. આ સમયસર નિદાન અને સારવારની શક્યતાને અવરોધે છે.

વિશ્વભરના વૈજ્ઞાનિકોએ વંધ્યત્વના મુદ્દાઓને દૂર કરવા માટે સારવાર શોધવા માટે અથાક પરિશ્રમ કરી રહ્યા હતા ત્યારે સૌથી મોટી સફળતા ઈંગ્લેન્ડમાં 25 જુલાઈ, 1978ના રોજ લુઇસ બ્રાઉનનો જન્મ હતો. વિશ્વમાં સફળ આઈવીએફ સારવાર પછી જન્મેલો પ્રથમ બાળક હતો. ત્યારે 25મી જુલાઇએ મનાવવામાં આવેલ વર્લ્ડ આઈવીએફ ડે, વંધ્યત્વની સારવારમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઈ.વી.એફ) તકનીકના સાર અને મહત્વનું પ્રતીક છે.

Vlcsnap 2021 07 24 10H53M04S629

મહિલાઓને હંમેશાં વંધ્યત્વના વાહક તરીકે માનવામાં આવે છે, જો કે આ એક દંતકથા છે કારણ કે હાલના સંજોગોમાં પુરુષ પણ અનેક મુદ્દાઓનો સામનો કરે છે. વંધ્યત્વના સામાન્ય કારણોમાં તબીબી કારણો જેમ કે ફેલોપિયન ટ્યુબ બ્લોકેજ, ઓવ્યુલેટરી ડિસફંક્શન, એન્ડોમેટ્રિઓસિસ, વગેરે સ્ત્રીઓમાં અને નબળા શુક્રાણુઓનો જથ્થો અથવા પુરુષોમાં ગુણવત્તા. વંધ્યત્વના અન્ય અગત્યના કારણોમાં વૈવાહિક યુગમાં વધારો, સંતાન પ્રાપ્તિમાં મુલતવી, તાણ, આલ્કોહોલ અને તમાકુનો વપરાશ જેવા અનિચ્છનીય આહાર શામેલ છે. ત્યારે વંધ્યત્વ જેવી તકલીફ અને સમસ્યાનું નિવારણ આઇવીએફ પદ્ધતિથી કરી શકાય છે.

દર ચારમાંથી એક યુગલને સંતાન પ્રાપ્તિમાં કરવો પડે છે મુશ્કેલીનો સામનો: હવે ટેકનોલોજીની મદદથી માતૃત્વ પ્રાપ્ત થતું હોય શેહ-શરમ છોડી IVF અપનાવવું ખુબ જરૂરી

ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઇવીએફ)માં શુક્રાણુઓ અને ઇંડાંનું જોડાણ એ ગર્ભાવસ્થા માટેનું સૌથી મહત્વપૂર્ણ પગલું છે, જો કે ઘણા પરિબળો છે જે શરીરમાં ગર્ભાધાનની આ પ્રક્રિયાને અવરોધે છે જે વંધ્યત્વ તરફ દોરી જાય છે. આઇવીએફ એ સહાયિત પ્રજનન માટેની એક પદ્ધતિ છે જેમાં પ્રયોગશાળાની વાનગીમાં સ્ત્રીની ઇંડા અને પુરુષના શુક્રાણુઓ શરીરની બહાર ફળદ્રુપ કરવામાં આવે છે, તેથી જ તેને ‘ટેસ્ટ ટ્યુબ બેબી’ પણ કહેવામાં આવે છે.

આમાંના એક અથવા વધુ ફળદ્રુપ ઇંડા (ગર્ભ) પછી સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાનાંતરિત થાય છે, જેથી તે ગર્ભાશયની અસ્તરમાં વળગી રહે અને વધે. તે સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં લેવામાં આવતી એઆરટી પ્રક્રિયાઓમાંની એક છે અને અવરોધિત ફેલોપિયન ટ્યુબ્સ, એન્ડોમેટ્રિઓસિસ જેવા ઘણા કારણોને લીધે અને વંશીય વંધ્યત્વના કારણો જાણીતા નથી ત્યારે પણ વંધ્યત્વને દૂર કરવા માટે વપરાય છે.

આઇવીએફથી જન્મેલા બાળક સ્વચ્છત અને તંદુરસ્ત રહે છે: ડો. નિલેશ આહીર (બ્લીશ આઇવીએફ)

Vlcsnap 2021 07 24 10H51M01S389

વર્લ્ડ આઇવીએફ ડે પર ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં બ્લીશ આઇવીએફના ડો. નીલેશ આહીરે જણાવ્યું હતું કે ડબલ્યુ.એચ.ઓ. દ્વારા લોકોમાં જાગૃતા આવે એટલે તેમના દ્વારા ઘણા ડે ની ઉજવણી કરવામાં આવે છે એટલે વર્લ્ડ આઇવીએફ ડે કે જે વ્યંઘ્તવની સારવાર માટે આઇવીએફ તરફ  લઇ રહ્યો છે. આઇવીએફમાં ઘણા લોકો તેનાથી અજાણ છે અને લોકોમાં જાગૃતા નથી જેને લઇને ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે. પહેલાની સરખામણીમાં વ્યંધત્વનાં કેસોમાં વધારો થયો છે.આ ભાગદોડ વાળા જીવનમાં આ વ્યંઘ્તવ કેસોમાં વધારો થયો છે કેમ કે આ ટેન્શન અને માનસીક બીમારીથી પીડાતા લોકો આ વ્યંધત્વના શિકાર બની રહ્યાં છે.

મેડીકલ સાયન્સ અને ટેકનોલોજી નિસંતાન પણામાં આશિર્વાદ સ્વરૂપ: ડો. દર્શન  સુરેજા (ગ્લોબલ આઇવીએફ)

Vlcsnap 2021 07 24 10H27M27S558

વર્ડ આઇવીએફ  ડે પર ગ્લોબલ આઇવીએફના ડો. દર્શન સુરેજાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો હું વર્લ્ડ આઇવીએફ ડે પર હું બધા દર્શક મિત્રોને જાણ કરવા માંગીશ કે આવી અદભુત અને આશીર્વાદ રૂપ વૈજ્ઞાનિક પઘ્ધતિ જે વિજ્ઞાનીકોની અર્થાત મહેનત બાદ શોધવામાં આવી છે તે એનો લાભ લાભાર્થીઓ લેવો જોઇએ કેમ કે ઘણા દંપતિઓ વ્યંઘ્તવથી પીડાતા હોય છે. બાળક ન હોવાના દુ:ખથી પીડાતા હોય છે તો એના માટે ખુલીને બહાર આવી અને આનુ ફળ પ્રાપ્ત કરી શકાય છે. અને લોકોમાં જાગૃતા આવે એવી પહેલ કરૂ છુ. વ્યંધત્વ આવવા વિશે હું આપને જણાવ્યું તો તેમાં તમે જોવો તો ગામડામાં હાઇપર ટેન્શનનો

એક કેસ હોય છે, એક કેસ ડાયાબીટીસને અન્ય બીમારીઓના પહેલા ઓછા કેસ આવતા હતા પરંતુ હાલના સમયમાં ડાયાબીટીસના કેસ વઘ્યા છે. અને એક જણાને બે બે કે તેથી વધુ બિમારી હોય છે હવે જે રીતે આ નોન કોમ્યુડીસીઝ છે પરંતુ આ ઇન્ફેકશનથી વધતું નથી. પરંતુ જીવનશ્રેણીમાં આવતા બદલાવ અને ટેન્શન અને સ્ટેશ, ડાયટ ચેન્જ અને સામાજીક જવાબદારીથી  અને આ જવાબદારીથી જીવનના વર્ષો ગુમાવવાથી વ્યંઘ્તવ આવે છે. સાથે ઇન્ફેકશનનું કારણ હોય છે. પરંતુ વધુ સ્ટેઝ અને આવી પરિસ્થિતિથી થાય છે. સાથે ઘણા રીપોર્ટ કરાવવામાં પુરૂષને તેનો ઇગો હટ થાય છે. અને તેનું સન્માન વચ્ચે આવતું હોય છે. ઘણા પેશન્ટ આવે તો તેમાં પુરૂષ 10 વર્ષ કે 1પ વર્ષની ફાઇલનાં થપ્પા લઇને આવે અને રીપોર્ટનું કહીએ તો તેમ કહે કે પત્નિ રીપોર્ટ નોર્મલ છે તો કેમ ગર્ભપાત આવતો નથી અને પતિનું પૂછયે રીપોર્ટ ન તો તેમ કહે છે મારે શું જરૂર મારે શું વાંધો હોય છે પરંતુ 40 ટકા ભાગ પુરૂષનો હોય છે.

ગર્ભપાત રાખવા અને 40 ટકા ભાગ સ્ત્રીનો હોય છે. 20 ટકામાં બન્નેના કારણોનો ઉમેરો હોય શકે છે. આઇવીએફને લઇ લોકોમાં ઘણી જાગૃતા જોઇએ છીએ પરંતુ હતુ લોકોમાં જાગૃતા લાવવાની જરુર છે. શ્પેમ ડોનેશન છે જેમ એગ ડોનેશન પણ છે. જયારે પણ કોઇ સંજોગોમાં પતિના શપ્મ શુન્ય હોય છે કે શપ્મનું પ્રોડેશન જનથી અથવા પત્નીમાં ઉંમરના હીસાબે એગ્સ ખાલી થયાં ગયા છે. તે વસ્તુ આપણે બ્લડ ડોનેશનમાં લઇએ તેમ શપ્મ અને એગ્સ ડોનેશન લઇ આવઇએફના માઘ્યમથી પ્રેગ્નનશી રાખી શકીએ છીએ, પરંતુ તેના માટે અવેરનેઝશ જરુરી છે. જાગૃતતા જરુરી છે. અને અંતે વર્લ્ડ આઇવીએફ ડે પર લોકોને તે સંદેશ આપીશ કે જરુર પડીયે યોગ્ય ટ્રીટમેન્ટ લઇ તમારૂ ઇચ્છીત ફળ મેળવી લેવું જોઇએ. અને મનમાં શકોચ રાખ્યા વગર ઉદાર રીતે ટ્રીટમેન્ટ લેવી જરુરી છે.

આ ભાગદોડ વાળા જીવનમાં આ વ્યંઘ્તવનું પ્રમાણ વઘ્યું છે. પ્રેગ્નેશી ન આવી તે મોડા લગ્ન થવા બાળકના પ્લાનીંગ મોડુ કરવું જેના કારણે ં વ્યંધત્વ થાય છે. લગ્નનાં એક વર્ષ બાદ જો પ્રેન્ગનસી ના થાય તેના લીધે તેને વ્યંઘ્તવમાં ગણવામાં આવે છે. ગભાશયમાં ગાઢ હોવાથી પણ વ્યંઘ્તવ આવી શકે છે. થાપ રોડ ને બીજી કોઇ બીમારીના લીધે આનો શિકાર થઇ શકે છે. પુરૂષમાં શુકાળુની ટકાવારી ઓછી હોય અને શુકાળુના આકારમાં ફેરફાર હોય ત્યારે આનો શિકાર બને છે.

આઇવીએમમાં પરિણામની વાત કરીએ તો નેવું ટકા જેટલું આવતું હોઇએ છે અને તેમાં જન્મેલા બાળક સંપૂર્ણ સ્વચ્છ હોઇ છે જેમાં બાળક ખોડ ખાપણ વાળુ જન્મ લેતું નથી ના કે કોઇ ખામી વાળુ બાળક જન્મતું નથી. આઇવીએફના ઉપયોગથી કોઇપણ બીમારી કે સાઇડઇફેક થતા નથી જો ઉમર મોટી હોય તો ડાયાબીટીસ અને બી.પી. ની માત્ર તકલીફ રહે છે. આઇવીએફ.માં કાળજીમાં સૂતા રહેવાનું કે સાવ આરામની કોઇ જરુરીયાત હોતી નથી એક વાર પ્રેગ્નીનસી રહ્યા બાદ બીજી વાર આઇ.વી.એફથી  બાળકની પ્રાપ્તિ કરી શકીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.